SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન ફીક ઠીક પરચા બતાવ્યા છે. જ્યારે દેશભરમાં અનાજની તગીએ જ્યાં ત્યાં ભૂખમરાની સ્થિતિ ઉભી કરી ત્યારે પજાએતંગી અનુભવતા પ્રાંતાની વહારે દોડી જવાને બદલે પેાતાના પ્રાંતના આર્થિક લાભના જ કેવળ વિચાર કર્યાં કર્યાં અને મધ્યસ્થ સરકારની પણ અનેક વાર અવગણના કરી એને લગતી અનેક હકીકતે આજે બહાર આવી રહી છે. બંગાળની આજે કપી ન શકાય એવી દુર્દશા કેવળ ત્યાંના રાજ્યવહીવટને જ માટે ભાગે આભારી છે એ પણ ઝબુલ હૈ, શ્યામપ્રસાદ મુકરજી તેમજ અન્ય જાણીતા માણસાનાં નિવેદન ઉપરથી સૌ કાઇના બરાબર સમજવામાં આવ્યુ છે. બંગાળાની સરકારે નામેારી કરી છે, એવા આક્ષેપ જાહેર રીતે કરવામાં આવ્યો છે અને હમણાં હમણાં સપ્લાઈ ખાતાના પ્રધાન સહરાવીએ આટલુ તે કબુલ પશુ કર્યું છે કે શરૂઆતમાં ઘઉં અને ઘઉંમાંથી નીપજતી. ચીજોમાં બંગાળાની સરકારે ચેકસ નકા કર્યાં હતા. મેસ્લેમ લીગના આગેવાન સભ્ય ઈહાની ઉપર જાતજાતના છડેચાક આક્ષેપ મુકાઇ રહ્યા છે. આ બધું પાકીસ્તાનના પહેલા પરચા છે. સાચાં પાકીસ્તાનના ગર્ભમાં તે ાણુ જાણે કેટલીયે આક્તે ભરી હશે ? ઘરના છેાકરા ઘટી ચાટે, પાડાશીને આટા ! મુંબઇ સમાચારના તા. ૪-૧૦-૪૩ ના અંકમાં નીચે મુજબની જાહેરાત- પ્રગટ કરવામાં આવી છે. ગ્રોસને રાહત આપવા માટે ઘણા દેશોમાં કુંડ ઉધાડવામાં આવ્યાં છે. હિંદમાં પણ એ માટે અપીલ કરવામાં આવી છે.. સર હામી મેદીનાં પ્રમુખપણાં હેઠળ મુંબઇમાં એક કમિટી તેમવામાં આવી છે. એ કમીટીના બીજા સભ્યામાં મી સી. જે. દામલે ઉપ-પ્રમુખ છે અને સભ્યામાં સર હામી મહેતા, સર રહીમતુલ્લા ચીનાઇ, એન. સર શાંતીદાસ આસકરણ, સર વી. એસ. ચંદાવરકર, સર ફ્રાન્સીસ લેા, સર જમશેદજી ડગન, સર ફ્રેડરીક સ્ટાન્સ, મી॰ જે. બી. ગ્રીસ, મી॰ સી. જે. કૈફીસ અને મી॰ રેવાકાસ છે. ઉપલી કમીટી તરફથી જે અપીલ બહાર પાડવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રીસ પર જુલ્મી દુશ્મનના આક્રમણ સામે એ દેશે કેવી વીરતા દાખવી હતી, અને પછી એ રાક્ષસી દુશ્મન તરફથી તેને શું રાહન કરવું પડયું હતું એ દુનીઆ જાણે છે. ગ્રીસના છુટકારાને દિન નજીક આવત જાય છે, પણ નાઝી ઝુ ંસરીમાંથી ગ્રીસને મુકત કર્યા પછી પણ તેની ભુખે મરતી પ્રજા સંયુકત રાષ્ટ્રો જે મદદ આપી શકે તેની મહેાતાજ રહેશે દવા, લુગડાં ખારાક અને બાળકો માટે દૂધની તેને ખાસ જરૂર છે અને મિત્રા તેનેા કરી કબજો લે પછી પણ તેને આ મદદ પહોંચાડવાની જરૂર છે.” આ અપીલ બહાર પાડનાર ગૃહસ્થા મુંબઇના જાણીતા શ્રીમાત આગેવાનો છે. જ્યારે હિંદમાં ભુખમરાના દાવાનળ બંગાળની પ્રજાતે ભરખી રહ્યો છે અને તેની જવાળા તર પ્રાંતમાં ફેલાઇ રહી છે, જ્યારે ધરઆંગણે દુ:ખ, સંકટ અને આતનાં વાદળા ઘેરાયલાં પડયાં છે ત્યારે આવી અપીલ ભારે વિસ્મય ઉપજાવે છે. જ્યાં સંકટ હાય ત્યાં મદદ પહોંચાડવામાં આવે તે સામે કાઈને વાંધા હાઇ ન જ શકે, પણ કાઇ પણ દેશની જાહેર જનતા સમક્ષ જવાબદાર આગેવાન શહેરીઓએ કોઇ પણ બાબતને લગતા કુંડ સંબંધમાં અપીલ બહાર પાડતાં પહેલાં તે દેશના સંયોગાના જરા વિચાર કરવા જોઇએ. આ અપીલ કરનારા શાણા માણુસેને કાઇ પણ્ અદના આદમી પૂછી શકે છે કે ગ્રીસની વહારે ધાનારા આપ લેકેએ દેશનું સ કટ ટાળવા પાછળ કેટલા હાથ લંબાવ્યો છે અને શુ પરિશ્રમ સેવ્યા છે? આ અપીલ આપની અન્તઃપ્રેરણાનું પરિણામ છે કે આપે તે કેવળ ચીઠ્ઠીના ચાકરનું જ કામ કર્યું છે ? આવી અપીલ વાંચીને લેકા આપની હાંસી કરે છે, અને આપની બુદ્ધિની કીમત કરે છે. ગમે તેટલુ' સારૂ પણ વખતનુ કામ હંમેશા ઉપહાસચેાગ્ય અને ટીકાપાત્ર અને છે. પાન દ તા. ૧૫-૧-૪૩ લાકસાહિત્યની વિશેષતા *(લાકસાહિત્યની ન્યાખ્યાનમાળાના ભાઇ ઝવેરચંદ મેઘાણીએ નીચે સુજબ ઉપસ’હાર કર્યા હતા.) રાજાઓનાં મિથ્યા, યશાગાનાને, મુસદીની પ્રપંચ લીલાને અને સામસામા શત્રુએની કાપાકાપીને વેગળી રાખી. માનવીએ પોતાનાં જ સુખ દુઃખાની છષ્ણાવટ કરતાં ગીતા વાર્તાઓ સર્જાવવામાં મસ્ત રહ્યા એવુ એક ઉજ્જવળ સત્ય જગત સમસ્તના લોકસાહિત્યમાં નિષ્પન્ન થાય છે. પેાતાને વિષે પાર વગરનાં આત્મમંથના અનુભવવાં, આત્મનિરીક્ષણામાં ઉતરવુ, આત્મસવેદનને પામવું એ નાનીસુની વાત નથી. એ વાતની પરમ મહત્તા તે લેાકેાના આ નિરાધાર પ્રયત્નમાં રહેલી છે. તેમણે કેાઇ પ્રતિભાશાળી સાહિત્યકારની કૃપા ઉતરવા વાઢ જોઇ નહિ, તેમણે વિરલ બુદ્ધિવાનાં અવતરણની અપેક્ષા ન રાખી, પેાતાનું સાહિત્ય સર્જન તેમણે પોતે જ કરી લીધુ’. ગુણાત્મ્યની વાણીને વિદ્રત્તાથી ભરેલા રાજદરખારે ન સત્કારી તેા તેથી એ જેમ ન તા ક ંગાલ બન્યા કે ન કિન્નાખેાર અન્યો, પણ અરણ્યની સૃષ્ટિને સંભળાવવા ચાલ્યા, તેમ લેાકવાણીએ પેાતાનાથી વેગળા અને પોતાના કરતાં જૂઠેરી જ છટાથી ચાલી રહેલા શિષ્ટ વાડ્મયની ઈર્ષ્યા અથવા સ્પર્ધા ન સેવતાં, નિજત્વના બળથી, પેાતાના વિરાટ ભાનસમૂહને સુપથ્ય બને તેવુ સંઘપ્રવાહી વાડ્મય પકાવી લીધું. પુરાહિતા નથી આવતા ? કઇ રીકર નહિ. અમે જ અમારૂ દેવભડલ અને વ્રતશાસ્ત્ર રચી લઇશું. બ્રાહ્મણા જમવા નથી આવતા? પીકર નહિ, પીપળાઓને માતરીશુ. (પુરૂષોતમ માસની વાર્તા કંકાવટી) શાયરો, નૃત્યકારા ને સંગીતકારે સુપ્રાપ્ય નથી તે ખેર, ચાલે! આપણે ૪ નૃત્યસંગીત અને કવિતાના સુમેળ કરીને ગાવાનું રચી લેશું. બધું જ કરીશું, પશુ પરાજય તે નહિં જ કબુલીએ, હીનતા તે નહિજ વેઠીએ. રસેલ્લાસ વગર કેવળ રાટલા પર તો નહિ જ જીવીએ. સંસ્કૃત ભાષાનાં બળે વેગવાળાં છે, તે પ્રાકૃત અપભ્રંશા પણ કયાં બળવિહીન છે? એને ધાવી ઉઝરશું, શકય તેટલી કરામત કરીને પણ જીવનને સૌદર્યું. મઢશું. એ સૌંદર્ય વિધાનનું આપણે આ વ્યાખ્યાનાદારા જુદે જીદે દૃષ્ટિકાણેથી દર્શન જ નહિ, પરિશીલન પણ કર્યું છે. આપણે ગૂજરાતની સકીષ્ણુતાના સીમાડા વટાવી જઇ બહેાળા પશ્ચિમ ભારતને વ્યાપી ઉભેલા જનવિરાટ આપણને પોતાના ભુજમાં સમાવતા જોયા છે. આપણે એલચાલના વામયની દૃષ્ટિએ આપણી અસ્મિતા છેક પંજાબ અને ગઢવાલ પર્યંત જોઇ છે. મહારાષ્ટ્રની જનતા પણ ‘એવી’ દ્વારા આપણી બને છે. એક જ પ્રકારની સંસ્કારિતાના આપણે શ્વાસ લઇએ છીએ. શિષ્ટ વ્યક્તિ સર્જ્ય સાહિત્ય આપણને જે મુકામે લઇ જાય છે તેજ મુકામ પર લોકસાહિત્યનું મહાપ્રયાણ છે. શિષ્ટ સાહિત્યનું ઉત્પાદક બળ, જો સ’સ્કારિતા છે તે લોકસાહિત્યની રાણ કયારી પણ તળપદી, રૂપાળી, નિરાળી લેકસસ્કારિતા જ છે. વિશેષમાં આપણે એ પણ જોયું કે લેાકસમુહનુ' પ્રતિનિધિત્વ કરવુ એ કોઇપણ એકાદ એ ચાર પ્રતિભાસંપન્ન કવિ વ્યકિતએનુ કામ નથી, એ કવિએ કે સર્જકો પૈકી કેટલાક લાકભાગ્ય બને તેવું કેટલુંક સર્જન ભલે કદાચ કરી શકતા હાય. છતાં લોકહૃદયના પ્રતિબિમ્બકનું કર્તવ્ય તા લેકસાહિત્ય જ કરી શકે છે, વ્યક્તિપ્રતિભાના સર્વથા અભાવ એ જ લાકસાહિત્યના મેટા ગુણુ છે. સમષ્ટિની જ એ ઉત્પત્તિ છે તે સંપત્તિ છે અને અને એનુ' સર્વોચ્ચ સામર્થ્ય તે। એની શ્રાવ્યતા છે. સાચા અર્થમાં એ વાઙમય છે. વાણી એ મુખ્યત્વે શ્રુતિના વિષય છે, નાદને આપણે બ્રહ્મ કહીએ છીએ. લાકસાહિત્યના વાહક એ નાદ છે, કાગળ પર થીજતા ટાઢાં મેળ અક્ષરે નહિ. અવેર્ચ, મેઘાણી
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy