________________
(0)
મ
કેટલાક ઉત્તરદાતાઓએ એ શકા પ્રગટ. કરી છે કે આપણે હિટલર જેવા રાક્ષસી દુશ્મનને સામને અહિંસાથી કેવી રીતે કરી શકીએ ? પણ હિંસાત્મક ઉપાયોથી સામના કરવામાં પણ કર્યો. આપણા વિજય નિશ્ચિત જ છે ? હિટલરે ગઇ વસંત રૂતુમાં એક પછી એક એમ કેટલાએ રાષ્ટ્રોની સેના હતી ન હતી કરી નાંખી. એ દેશોની આટલી હિંસાત્મક તૈયારીઓ હાવા છતાં, લાખા માણસા મરી ફીટવા છતાં તેઓ ફાવી ન શકયા. આને બદલે પેાલેન્ડ અગર ફ્રાન્સે જો અહિંસક રીતે લડતાં ભરવા માટે ભાણસા તૈયાર કર્યા હાત અને તેમના અલિદાન એ રીતે થયાં હાય તે આજ જે પરિણામ આવ્યું છે, તેનાથી જરૂર કંઈક સારૂ જ પરિણામ આવત. આજ એ દેશાની જે હાલત છે તેનાથી જરૂર કંઇક સારી હાલત હાત. હવે અંદર અંદરનાં ટટાક્રિસાદ, લૂંટફાટ, કે ગુડાએથી રક્ષણ કરવાની વાત રહી. જો આપણે ધ્યાનપૂર્વક વિચારશું તે માલમ પડશે કે આ બધું થાય છે આપણી સામાજિક વિષમતાને કારણે, જો આપણી સમાજ વ્યવસ્થા સુવ્યવસ્થિત કરીએ, એમાં રહેલાં શાષણ અને ગરીબીને નિર્મૂળ કરીએ તો એ બધા ઝઘડાએ આપોઆપ મટી જાય. ધારો કે એમ કરવા છતાં પણ એવા અકસ્માતે અને તે તેને સામના કરવા આપણે તૈયાર રહેવુ જોઇએ. મુકાબલો કરવામાં મારવાને બદલે ભરવાની તૈયારી ઘણી જરૂરી જરૂરની છે– એ મેં ઉપર પણ બતાવ્યું છે. અમુક પ્રસંગોએ કઇ રીતે અહિંસાત્મક ઉપાયોથી કામ લેવું તે અનુભવની ચીજ છે અને જો આપણામાં અહિંસા પ્રત્યે સાચી નિષ્ઠા હશે તે તે તે સમયપર ઉપાય સુઝી આવવામાં કોઇ શંકાને સ્થાન નથી.
બુદ્ધ જૈન
હમેશાં એ વિષયમાં શકા થવાનુ સૌથી માટુ કારણુ તા એ સમજાય છે કે અહિંસક રીતે સામનો કરવાનો અર્થ આપણે એમ માની ભેઠા છીએ કે જ્યારે કાઇ દુશ્મન આપણા પર આક્રમણ કરે ત્યારે હાથ ઉંચા કરીને આપણે સામા જતે આત્મસમર્પણ કરવું. એ ખ્યાલથી કેટલાયે ઉત્તરદાતાઓએ એવા મીઠી મજાક પણ કરી છે કે જ્યારે હિંદુસ્તાન પાસે હથિયાર જ નથી, એ કમજોર છે–તે! પછી અહિંસક રહ્યા સિવાય બીજું આપણે કરી પણ શું શકીએ ? કેટલાકે એ વાત ઉપરથી એમ પણ કહ્યુ છે કે એવા વખતે હાથ ઉંચા કરીને આત્મસમર્પણ કરવુ એ કાયરતા છે. હું એમની સાથે સંપૂર્ણ રીતે સહમત છું. પણ દુ:ખ એ છે કે એ લોકોએ આ પ્રશ્ન ઉપર ગંભીરતાથી વિચાર કરવાને પ્રયત્ન જ કર્યો નથી. અમારા પ્રશ્નમાં આત્મસમર્પણુતા ભાવ ન હતા. રક્ષણ તે કરવાનું જ છે; પણ તે હિંસાત્મક ઉપાયાથી કે અહિંસાત્મક ઉપાયોથી એ જ સવાલ છે. જો જરા ધ્યાનપૂર્વક વિચારશુ તા માલુમ પડશે કે હિંસાત્મક ઉપાયા લેતાં આપણને હથિયાર ભેગાં કરવાની જરૂર પડે છે. આત્મરક્ષણ માટે લાઠી-તરવાર એકઠાં કરવાં પડે છે. વળી સરદાર, જમાદાર વગેરે રાખવા પડે છે. તેમ જ દેશરક્ષાને માટે તે આજે ઘણા હથિયારે વિભાને, તે પગાળા, વિનાશિકાઓ અને મેટાં લડાયક જહાજો વગેરેની જરૂર પડે છે. હિટલર છેલ્લા વીશ વરસથી હિંસાત્મક યુધ્ધની તૈયારી કરી રહ્યો હતા. એ વરસ દરમિયાન એ સાધના ભેગા કરવા માટે એને શું શું કરવું પડયું? જમઁન રાષ્ટ્રને પેાતાના પેટપર પાટા બાંધવા પડયો. આખા રાષ્ટ્રની બધી શકિત
આ આ એક બાજુએ લગાડી દેવી પડી અને સાથે સાથે રાષ્ટ્રના લાખા નવજવાનો પાતાનું લેાહી રેડવા તૈયાર કરવા પડયા.
તા. ૧૫-૫-૪૧
તેા પછી એમ કેમ માની લેવુ કે અહિંસાત્મક ઉપાયો કામમાં લેવામાં આપણે ફક્ત શત્રુની સામે જને ઉભા જ રહેવાનું છે અને ખીજું કશું જ કરવાનુ રહેતું નથી ? અહિંસાત્મક ઉપાયોથી રક્ષા કરવા માટે વર્તમાન હિ ંસક ફેજોની જેમ લાખ માણસને યોગ્ય તાલીમ આપી પ્રસંગ આવ્યે પેાતાનું બલિદાન આપવા માટે તૈયાર કરવા પડશે, શિસ્તપાલન કરવુ પડશે અને સાથે સાથે અસહકારનું શિક્ષણ: પણ પૂરેપૂરૂં આપવું પડશે, વળી સૌથી મેટી શરત એ છે કે આપણે આપણી આર્થિક તેમજ સામાજિક વ્યવસ્થાના રંગઢંગ બદલવા તૈયાર રહેવું પડશે. જ્યાં સુધી આપણા અંદર અંદરના સબધામાં ચાહે તે સામાજિક હાય, કૌટુંબિક હાય અગર રાષ્ટ્રીય હાય–હિંસાને સ્થાન છે ત્યાં સુધી આપણે અહિંસાથી રક્ષણ કરવાનો પ્રશ્ન ઋણી સામે કેવી રીતે લાવી શકીએ ? અહિં સાથી-ધર્મથી, હિંસા કે પાપની રક્ષા ન જ થઈ શકે, જેમ . હિંસા કરીને આપણે ધર્મની રક્ષા ન કરી શકીએ—એની હત્યા જ કરીએ છીએ. તેવી જ રીતે અહિંસાથી હિંસાનું રક્ષણ નહિં જ કરી શકીએ.
જ્યારે આપણે અહિંસાથી રક્ષણ કરવાની વાત વિચારી રહ્યા છીએ ત્યારે આ વાત પણ આપણે સારી રીતે સમજી લઇએ કે આપણો હેતુ કવળ હથિયાર છેોડી દેવાના જ નથી. આપણે આપણા મનમાંથી પણ હિંસા કાઢી નાંખ્વી પડશે, શત્રુ તે શત્રુ ન માનતાં એને આપણા સ્વજન બનાવવા પડશે. એના હૃદયપલટાની આપણે ફિકર કરવાની છે અને નહિ કે એને નાશ કરવાની. એ દૃષ્ટિથી આજે ગાંધીજી જે સત્યાગ્રહ સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા છે તે બહુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા જેવા વિષય અંતે છે.
ખરી વાત એ છે કે અત્યાર સુધી સંસારના ઇતિહાસમાં અહિંસાનુ ક્ષેત્ર વ્યતિગત જીવન સુધી જ મર્યાદિત રહ્યું છે. એ બાબતપર ઉપર પુરતુ કહેવાઈ ગયુ છે. આજ મહાત્મા ગાંધીજીએ દુનિયા સમક્ષ એક ખીલકુલ નવી જ વસ્તુ રજુ કરી છે. તિહાસ એને ટકા નથી આપતે એમાં આપણા દેષ છે. આપણે તિહાસને અત્યાર સુધી લડાઈનાં વર્ણના અને રાજા મહારાજાએના જીવન સુધી પરિમિત રાખ્યા છે. સિકદર, ચંગીઝખાન, તૈમુરલંગ, નેપોલીયન અને ઔરંગઝેબના આપણે જેટલી ખંતથી અભ્યાસ કર્યો છે તેટલી ખંતથી આપણે મહિષ સોક્રેટીસ, ઇસુ ખ્રીસ્ત, બુધ્ધ, મહાવીર, ચૈતન્ય, કર અને મીરાંને અભ્યાસ કાં કર્યો છે ? પણ આજે ઇતિહાસના પાનાં ઝડપથી બદલાઇ રહ્યા છે અને આ પ્રયોગ આપણી સામે ખડા થયા છે. આપણે અહિંસાને પરમ ધર્મ માનતા આવ્યા છીએ; પરમ કર્તવ્ય તે એ છે કે આ પ્રયોગની સફળતામાં આપણે સહાયરૂપ થઇએ અને નહિ કે શુષ્ક અને નિર્જીવ જ્ઞાન, શાસ્ત્રો કે ઇતિહાસની સહાય લઇને એ ક" વ્યથી વિમુખ બનીએ.
અપૂર્ણ
સિધ્ધરાજ દે શ્રી જૈન વિદ્યાથી સ`ઘના મંત્રીએ જણાવે છે કેઃમુંબઇની કોલેજો, હાર્ટલેા તેમજ ખેડી ગા સંબંધમાં જરૂરી માહીતી કાલેજમાં દાખલ થવા ઇચ્છતા જૈન વિદ્યાર્થી - એને સધ તરફથી પુરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે કાષ્ઠ જૈન વિધાર્થીને આવી માહીતીની જરૂર હાય તેણે નીચેના ઠેકાણે જરૂરી પેસ્ટ સ્ટેપ સાથે લખી મોકલવુ મંત્રી, શ્રી જૈન વિદ્યાથી સઘ
રાણ ભુવન, પહેલે માળ, હ્યુજીસ રેડ, મુંબઇ, ૭. શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪પ૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨