________________
૨૧૦
પ્રબુધ્ધ જૈન
આપણી પાંજરાપાળા અને ગૈાશાળાઓ.
( ગતાંકથી ચાલુ )
ગાય વિરૂધ્ધ ભેસ
પશ્ચિમના દેશોમાં ખારાકની ચીજ તરીકે તેમ જ દુધની નીપજ કરનાર તરીકે એમ સાવ નાખનેાખી વિભાગણી કરીને તેખને ખી ઢબે ગાયોના ઉછેર કરવામાં આવે છે. આથી પાછલી જિંદગીના પાલનના ખેાજાથી પશ્ચિમના ગેાપાલકા મુકત છે અને નિરાંતે બેઉ ઢબના ઉછેર ખીલવ્યે જાય છે. આપણે તે ગાયને ભક્ષ્યરૂપે સ્વીકારવા તૈયાર ન હેાઈએ અને છતાં એની રક્ષા કરવા માગતા હાઇએ તે આર્થિક ગણતરીએ એને કીમતી બનાવ્યા વગર કોઇ વાતે આપણે એ રક્ષા કરી શકવાના નથી. અને આર્થિક હિસાબે એને કીમતી બનાવવી હેાય તે ભેંસને મુકાબલે એને જ વધુ પસંદગી આપ્યા વગર અને દુધ તેમ જ બળદ એ એક્ પ્રકારની એની નીપજશકિત ખીલવવાના એકાગ્ર પ્રયત્નો કર્યા વગર એની આર્થિક કિંમત વધારી શકવાના નથી. જ્યાં સુધી હિંદ એ કૃષિપ્રધાન દેશ છે-અને હજુ દાયકા કે કદાચ સંકાઓ સુધી તે તેવા જ રહેવાના છે એ નક્કી છે-ત્યાં સુધી ભેસને મુકાબલે ગાયને પસંદગી આપ્યા વિના આપણા આરે જ નથી. અને આજની આપણી આર્થિક દશામાં આપણાં ટૂંકાં અને દિવસે દિવસે વધુ ટૂંકાં બનતાં જતાં સાધને જોતાં, ગાય ભેંસ બેઉની એકવારે રક્ષા આપણે કરી શકવાના નથી. તેથી જ ગાય વિ. ભેંસની ભાષા આપણા પશુસેવા-મંડળામાં આજે સંભળાવા લાગી છે. જો મેઉની રક્ષા આજની અવસ્થામાં શકય નથી ને એમાંથી એકને જ પસંદગી આપ્યું છૂટકો છે તે પછી એ પસંદગી આ દેશમાં ગાયને જ મળવી રહી છે. કારણ ગાય દુધ-બળદ એમ બેવડી નીપજ આપનારી છે; ભેસ માત્ર દુધ આપનારી છે. આમાં ભેંસને દ્વેષ નથી, કેવળ આજની અર્થવ્યવસ્થાની દૃષ્ટિ જ રહેલી છે.
અવળા પ્રવાહ
પણ શહેરના પ્રવાહ ઊલટા ચાલી રહ્યા છે અને એની સામે થવુ સહેલું નથી હેતું. ભલભલા એની આગળ મહાત થયા છે. આ સ્થિતિ અત્યંત ઉર્દૂગ ઉપજાવનારી છે. મને જાણીને ખુશી થઇ કે કાઠિયાવાડની ઘણી ગેાશાળાઓમાં ગાયની જગા ભેસે નથી પચાવી. મુંબઈ જેવાં વિશાળ અકાલી શહેરામાં નર્યાં ધનઉપાર્જનને લાભે વસતી પ્રજામાં આ દિશાએ ભારે સા પેઢા છે. એ તરફની જીવદયા સંસ્થાએ દૂધની કમાણીમાંથી પશુસંસ્થાઓના નિભાવ કરવાની આત્મવંચનામાં પડી મેટી સંખ્યામાં ભેંસા રાખવા લાગી છે, અને માટે અશે ગાય અને ગારક્ષાને નામે આવતા પૈસે મુખ્યત્વે ભેંસના પાલન પાછળ ખરચાય છે. આવી સંસ્થાઓના સંચાલકોનું કહેવુ એમ હાય છે કે, મુંબઇ જેવાં શહેરામાં ખાતરીખધ ચોખ્ખું દૂધ ઠીક કિંમત આપતું હોવાથી દરેક પશુપાલક સંસ્થા જે સારું દૂધ આપતી ભેસા સારા પ્રમાણમાં એક વિભાગ તરીકે રાખે તે પણ એવી ભેંસે ખીજા અનેક બિનઆર્થિક ઢારાના પાલનના ખરચ વાળી આપે છે અને એમ સંસ્થાના ચાલુ ખરચાને પહોંચી વળાવાથી સંચાલકને રાજ ઊઠીને શ્રીમતાની ખુશામત કરવા જવું પડતું નથી, બલ્કે પ્રજામાં પણ સંસ્થા સ્વાશ્રયી છે એમ જણાઇ સારી છાપ પડે છે. આ વિચારસરણીમાં ભારે દેષ રહેલા છે. એક તે મેટેભાગે ગાયને નામે મળતાં દાનને અને જે મેળવવામાં પણ આવી સંસ્થાના પ્રચારક હંમેશાં ગાયનું નામ અગ્રસ્થાને રાખ
તા. ૨૮૨-૪૧
વાની કાળજી લે છે—વિનિયેગ ચાહે તેટલા શુભ હેતુઓથી પણ બીજી રીતે થાય એમાં પ્રમાણિકતા નથી. બીજું એ કે, સંસ્થાના ચાલુ ખરચને પહોંચી વળવાની ધગશમાં આવક આપતી ભેંસને રાખવા સંભાળવા જતાં એ વિભાગને જ ખીલવવા તરફ સંચા લકાનું ધ્યાન રાકાય છે અને બીજા મુખ્ય કાર્યવિભાગો તરફ સહેજે જ દુર્લક્ષ થવા ભાંડે છે. વળી, આટલેથી જ આ દોષ અટકતા નથી. પણ એક વાર આ વિચારસરણી સ્વીકારી એટલે પછી આવક આપતી એવી દૂઝણી ભેંસોની સંખ્યા અને તેના દૂધની પેદાશનું પ્રમાણુ અમુક પ્રમાણમાં ટકાવી રાખવા તર જ અનિવાર્ય પણે સંચાલકોની વૃત્તિ તેમ જ પ્રવૃત્તિ રહે છે અને તે એટલે સુધી કે એવી ભેસે ચાક્કસ મુદ્દતમાં અને સંખ્યામાં વખતસર સંસ્થામાં ન આવી ચડે-અને નથી આવતી તે પછી સામાન્ય તબેલાવાળા ગવળીની પેઠે જ બારીમાં જઇને સંસ્થાનાં નાણાં રોકીને ભેંસ ખરીદ કરી લાવવાની અને સંસ્થામાં આણી બાંધવાની તેમને ફરજ પડે છે. આમ સંસ્થાની કાર્યવાહી અને કાર્ય—ઉદ્દેશે! બાજુએ રહી જઇ તેના વેપારી અંગ તર જ ચાલક સંચાલક સૌ કોઇ રોકાઇ જાય છે, પાર વગરની આત્મવચના થાય છે, તે સંસ્થાના મૂળ ઉદ્દેશા માર્યા જવા વખત આવે છે. વળી આ બધું કરીને પણ સંસ્થા સર્વાંગે સ્વાશ્રયી બને છે એવુ તે કશું હેતુ જ નથી. બહુ બહુ તે તેનુ એકાદ ખાતુ સ્વાશ્રયી ધોરણે ચાલે છે એટલુ સંચાલકો બતાવી શકે છે પણ સંસ્થાની ખિલવણી, કાર્યપ્રદેશ, સુધારા અને મનોરથો સિદ્ધ કરવાની નવી નવી યોજનાઓને સારૂ સખી શ્રીમ તેને ક્રૂડની અપીલો તે વરસોવરસ અને દરેક છાપેલા રિપોર્ટમાં સંચાલકા ને કરવી જ રહે છે. મતલબ કે ‘ન ઉપરકે ન ધરકે’ એવી હાલત થઇ પડે છે. આવી જ એક ધરખમ સંસ્થાએ ઘણા અભિમાનપૂર્વક ગાંધીજીને મોકલેલા પાનાના રિપોર્ટમાં અહેવાલના વર્ષ દરમ્યાન આશરે ૧૬૦૦૦ ફ્રા. જેટલી રકમની તાજી વિયાયેલ ભેંસા બજારભાવે વેચાતી આણ્યાનો ઉલ્લેખ હતા. આ સંસ્થા જોડે ગાંધીજીએ દૂધવેચાણુ સારૂ ભેંસાનું પાલન છોડી ગયા રાખવા ઘણા અનુનય—વિનયપૂર્વક આગ્રહ કર્યો. તેમ કરવા જવામાં સંસ્થાને જે કઇ આર્થિક નુકસાની આવે તેની જવાબદારી પેાતાને માથે લેવાની જાતે તૈયારી બતાવી અને સંસ્થા તેમ કરે તા પેાતાને હસ્તકની એક ખાસી સખાવત સંસ્થાને અપાવવાની ખાયેશ દેખાડી. ત્યારે આ સંસ્થાના સંચાલકએ મજકૂર ઑફરને તરંગી અને અવહેવારૂ ગણી તેટલી જ વિનયપૂર્વક પણ તેને અસ્વીકાર કરનારા રાવ ૫૧ સભ્યોની વ્યવસ્થાપક સમિતિમાં પસાર કર્યો ! શહેરામાં વસતા શ્રીમતાનાં દાનને લેાભે પ્રતિકૂળ હવાપાણીવાળા સજોગોમાં પણ મુંબઇ જેવાં શહેરોની પડોશમાં પડી રહેનારી અને દૂધના વેપારથી આવક કરીને સંસ્થાના ખરચા ઓછેવત્તે અંશે કાઢવાનાં પ્રલેભતામાં પડનારી પશુરક્ષક-સંસ્થા સંસ્થાના મૂળ ઉદ્દેશથી કેટલી હદ લગી વિમુખ અને છે, તેના દૃષ્ટાંતરૂપે આ કરૂણ કિસ્સો અહીં રજૂ કર્યાં છે. મુંબઇ આસપાસના ૩૦-૪૦ માઇલ જેટલા પ્રદેશમાં જાડી ગણતરીઓ નહિ નહિ તે વાર્ષિક ૫-૬ લાખ જેટલી ધર્માદાની રકમ ખરચાય છે એવી અટકળ બાંધવામાં આવી છે. વર્ષો અને દાયકા થયાં આ સખાવતાના પ્રવાહ ચાલુ છે. ગુજરાતની રબારી કામો નોકર રહીને આ સંસ્થાનાં પશુઓ સંભાળે છે; લાં અને શિરોર થઇ બેઠી છે. સંસ્થાના વ્યવસ્થાપકોને, તે પેાતાની દયા ઉપર નભે છે, એ વાતનુ પગલે ને ડગલે ભાન