________________
·
૧૯૪
પ્રબુધ્ધ જૈત્
આજે આપણા સળગતા રાષ્ટ્રીય મહાપ્રશ્નોમાંના એક થઇ પડયા છે અને દેશના તમામ વિચારી લોકોને મૂંઝવી રહ્યો છે. આવા મેજા જો વગર અંકુશે વચ્ચે જ જાય તે પ્રજાની આખી અર્થવ્યવસ્થા તૂટી પડે એમાં શંકા નથી.
ભણેલા કે ભૂલેલા ?
આ એક બાજુ થઇ. બીજી બાજુએ કોઇ કોઇ શ્રીમંતા, શાખાના કે કયાંક વળી કાઇ વેવલા નિષ્ણાતો યુરોપ અમેરિકાનાં ડેરી–દુગ્ધાલયાના નકશા આંખ સામે દેરી કંગાળ ખેડૂતોની વસ્તીથી ખદબદતા આપણા આ દેશમાં મશીનેાથી દોહવાતી અને રેાજનાં સેકડો રતલ દૂધ આપતી ગાયોનાં ચિત્ર ખડાં કરે છે અને એવી ગાયા હિંદુસ્તાનમાં આયાત કરી અગર તે વશએલાદની ઘાલમેલ વડે પેદા કરી તેનું ટીપેટીપુ દૂધ ભશીનાની મદદથી જેવી ને તેવી તાજી સ્થિતિમાં શહેરમાં વસતા લેાકાને પહોંચાડી પ્રાના ધન અને આરેગ્યમાં ક્રાંતિ આણવાનાં સ્વપ્નાં સેવે છે. આ ભલા ભાઇને એમના ઉત્સાહમાં એ વાતનુ ભાન નથી રહેતું કે, હિંદુસ્તાનની પ્રજા એનાં સાત લાખ ગામડાંઓમાં વસે છે. એમાં શહેરા તા પાંચ પચાસ ગૂમડા જેવાં એના દેહ ઉપર ઊઠયાં છે જે એના લેહીનું પાણી--પરૂ કરી રહ્યાં છે. એ ઉકરડે અમૃત ઢાળીને દેશનું કયું કલ્યાણ સાધવાનું છે ? પ્રજા તે નાગી ભૂખી એનાં ઘેલકાંઓમાં પડી છે. ભૂખદુ:ખથી એના પ્રાણ તરફડી રહ્યા છે. આસમાનીસુલતાની એને વરસેવરસ ઘેરીને દમે છે. એનાં બાળકોએ દૂધ-ધીનું નામ જ સાંભળ્યું છે. એના ઘરમાં પાવળુ છાશ થાય એવા કાઈ રસ્તા બતાવા કે જેથી એને કાર ટુકડા ગળે ઉતારવાનું સાધન એને ઉભું થાય. ગઈ સાલેજ અખિલ ભારત ગ્રામઉદ્યોગ સધવાળા શ્રી. કુમારઅપ્પાએ પ્રજાકીય આર્થિક શાની તપાસ કરવા મધ્યપ્રાંતની સરકારે નીમેલી સમિતિની વતી જાહેર કરેલું કે, એ ભાગની ગામડિયા પ્રજાની વાર્ષિક આવક રૂ. ૧૨)થી વધુ નથી ! બિહાર ધરતીક ંપ દરમ્યાન પાંચપાંચસા વસ્તીનાં ગામા અમે જોયેલાં જેને ઘેરીને ગામ આખાની સંપત ભેળી કરો તો પાંચ રૂપિયાના રાતા પૈસા ન નીકળે, કે ન અરા મણ ધાતુપાત્ર વાસણુંકૂસણું નીકળે ! વરસ દિવસના બજેટમાં દીવાસળીના એક બાકસની ખરચીવાળાં કુટુ આપણાં ગામડાંઓની આર્થિક તપાસ કરનારા આપણા નવયુવકાને જડયાં છે? પશ્ચિમની પ્રજાએ—સરકાર તેમ જ પ્રજાકીય સંસ્થા— * Drink more milk ' ( ‘દૂધ પી, દૂધ પી') * Milk the backbone of the nee’ (‘દૂધ પ્રજાનું હાડ આવે છે, દૂધ જ પ્રજાનુ ખમીર છે'.) એવા એવા પ્રચારકા પાછળ લાખા રૂપિયા દર વરસે ખર્ચે છે અને એવા વાતાવરણુ તેમ જ સાધનસામગ્રી ઉપર પ્રજા ઉછરે છે. આપણે પશ્ચિમ પાસેથી પ્રેરણા લઇને એટલું જ શીખીએ છીએ કે દૂરદૂરનાં ગામડાંની વિપુલ સાધનસામગ્રી અને સસ્તા મનુષ્યબળને ઉપયાગ કરી લઇ તેમની મહેનતની પેદાશ શહેરામાં કઇ રીતે ઝટ પહોંચાડીએ. પેાલ્સનને પનારે પડીને જીવતાં ખેડા જિલ્લાનાં ખેડૂત ભાઇબહેના ધરનાં છેકરાંઓને સારુ પાવળું દૂધ ન રાખતાં ટીપેટીપુ સંચે ભરી આવે અને એમ રાજરાજ મુબઇની વસ્તીને દૂધ-માખણથી નવડાવનાર ગુજરાતનાં ગામામાં બારેમાસ દૂધ શ્રીના દુકાળ વર્તે એ સ્થિતિ અસહ્ય ગણાવી જેએ.
9
ગાચર, ગોપાલકા અને સરકારનીતિ
શેષચુસ્ત વિદેશી સરકારની ખાઉધરી રેવન્યુ નીતિઓ પ્રાંતેપ્રાંતનાં ગાચરાના દાટ વાળ્યા. પશુપાલક કામે સરાઉ પૂજિત અભાવે રઝળુ થઇ રવડી ગઇ, કથળીને તેાની થઇ ગઇ, શહેરે માં ભરાઇ કસાઇઓની દલાલ બની ગઇ. એક વાર એક મિ ખેડા-ચરોતરની વિશાળ ગાચરભૂમિપર પશુઓનાં પાલન અને ઉછેર કરનારી લાંકી કામે સરકારની નીતિને પરિણામે તેમની ચરાઉ ભૂમિએસના લાટ પડી જઇને કપાસ તુવેરના પાક આપી ખેડાણ જમીન થતાં કેવી રવડી ગઇ અને એ બીના ખેડા જિલ્લાના બહારવટિયાઓની ઉત્પત્તિમાં કેવી રીતે એક કારણ પ બની, એના કરુણ ઇતિહાસ મને કહ્યો હતા. ઉત્તર ગુજરાતની રબારી કામેાના ઇતિહાસ તપાસશે તે એક કે બીજો એવા જ કંઇ ને કંઇ ઇતિહાસ જડશે. કાઢિયાવાડ તા મૂળે જ નિવૃક્ષ અને નપાણિયો મુલક. ગીર-નાઘેર સિવાય અમસ્થેયે ત્યાં ઢારને તરણુ મળવું દુર્લભ, તેમાં વળી દુષ્કાળ પડે ત્યારે પછી પૂછ્યું જ શું ? આને પ્રત્યક્ષ અનુભવ હજુ ગઇ સાથે જ આપને સૌને થયા અને એનાં દૃશ્ય હજી આંખ સામેથી ખસ્યાં નથી. એક બાજુથી સર કાર–દરબારની તૃષ્ણાને પ્રતાપે ગેાચર દબાતાં ગયાં ને બીજી ચેર આપણી ધર્મઘેલછાએાને પ્રતાપે નકામા અને નર્યો જા પ પશુઓના નિરકુશ વંશવિસ્તાર ચાલ્યા. એમ બેઉ બાજુએથી ગામડાંની પ્રજા ભીંસાતી ગઇ અને તેની પાસેની સાધનસામગ્રી બધી ખવાઇ ચવાઇ ગઇ. પરિણામે આજે આપણા ચીંથરેહાલ ખેડૂત એક સારી બળદ–જોડ ખેડી શકે એટલી ખેતી કરવા સંભાળવા પાછળ બચ્ચે ત્રણ ત્રણ મડદાલ જોડીના પાલનમેજા ઉડાવે છે ને પરિણામે વધુ ને વધુ ધસાતા જાય છે. ભાડાંવંતરાંની એની ઉમેરાની આવક પણ ભાલ વહુનારી માટ લારી આવીને ભરખી ગઇ, એટલે એનાં ગાડીબળદને એણે નરી ખેતીની પેદાશને આશરે જ નભાવવાં રહ્યાં.
સાચી અદૃષ્ટિ
આવી આજની ભયાનક પરિસ્થિતિ વચ્ચે દેશના સાચા અર્થકારણની એકમાત્ર દષ્ટિને વળગીને ચાલ્યા સિવાય આપણા પશુપ્રશ્નના ઉકેલ આપણને મળવા મુશ્કેલ છે. એ સાચું અથૅ કારણ બતાવનારા આપણા શહેરી અર્થશાસ્ત્રીએ નથી, જે આપણી શાળા કાલેજોમાં અને વેપારી વિધાલયાનાં વ્યાસપીઠું ઉપર બેસી પાશ્ચાત્ય અદૃષ્ટિના ચવાઇ ફેંકાઇ ગયેલા એંઠા-અછઠ્ઠા સિદ્ધાંતા પ્રગતિશીલતાના ડાળદમાન સાથે આપણા જુવાને આગળ રાજ પીરસે છે; પણ એ સાચું અર્થકારણ બતાવનાર મહાત્મા ગાંધીજી છે જે આપણા દેશની પ્રજાકીય ભાવના અને સંસ્કૃતિને ભાવતુ અને આપણા હાડલોહીમાં મળેલું બિનહરીફાઇનું અને સ્વસતેષનું અર્થકારણ સજીવન કરીને આજે આપણને શીખવી રહ્યા છે. પશ્ચિમના અર્થકારણુતા અને ત્યાંની આખી અર્થવ્યવ સ્થાના વે કરૂણ ફેજ આવ્યો તે તે। હવે આપણે આજે નજરેશનજર જોઇ ચૂકયા.
અપૂર્ણ
સ્વામી આનંદ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી, મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨