SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧-૪૧ પ્રબુદ્ધ જૈન આપણી પાંજરાપાળા અને ગૈાશાળાએ. ( ગયા અંકથી ચાલુ ) વ્યાધિ અને ઇલાજ આ વ્યાધિના પ્લાજ, આ પાપનું પ્રાયશ્રિત એ નથી કે આપણે ગૌમાતાનાં ભજનપૂજન ફેલાવનારા જલસા ગેલીએ, ગોપાલકૃષ્ણ કે ગાય–કસાઇના દેખાવા ચૌટે—ચકલે કે સ્ટેજ પર ભજવીને હાંસીપાત્ર બનીએ અને ગામાતાને રૂંવે રૂંવે તેત્રીસ કરાડ દેવતાને વાસા છે એ સાદી સરળ અને ખુલ્લી વાત ખીછ કામવાળાઓની કે રાષ્ટ્રીય વૃત્તિવાળાઓની બૂટ્ટી બુદ્ધિમાં કેમ નથી ઊતરતી એ બીના ઉપર આંસુ ઢાળતા કરીએ. આપણી ગાસેવા– સંસ્થાએને ચેતનવંતી અને પ્રગતિક બનાવવાનો એકમાત્ર ઇલાજ મારી અલ્પમતિ પ્રમાણે એ છે કે, દેશના પશુધનને આ પ્રશ્ન દેશના અને પ્રજાના અર્થકારણની દૃષ્ટિએ વિચારતાં આપણે શીખીએ. કેટ: ગ્રંથનું કહ્યું અરધા વચનમાં કહેવુ હાય તા આ બાબતમાં મહાત્માજીના શબ્દો ટાંકીને એટલું જ કહેવાય કે, गाय अने गोवंशनुं पालन आर्थिक दृष्टिए हिंदुस्तानना खेडूतने परवड थाय ए एक ज साची गोरक्षानो सुवर्णमार्ग छे बन्नु આજે પણ મુખ્યત્વે કરીને ખેતી પર નભનારી આપણી પ્રજાસમસ્તના અર્થકારણમાં બીજાં ઢાર કરતાં ગાય તથા બળદના પાલનને પ્રશ્ન કેવા અગત્યના છે એ પ્રમાણુ-પુરાવા સાથે સિદ્ધ કરવુ અને પ્રજાને હસાવવું, આવી નરદમ પ્રજાકીય અને આર્થિક ભૂમિકા ઉપર જ આ પ્રશ્નને રજૂ કરીને એને લગતી આખી વિચારસરણીતા પ્રજામાં અને ખાસ કરીને ગોસેવા તેમ જ ગેસેવામાં રાકાયલી સંસ્થાઓમાં પ્રચાર કરવા, અને તેમને પરસ્પર સહકાર સાધી સંગઠન કરવું, એ આપણુ કામ છે. એમ તો આજે પ્રાંતેપ્રાંતમાં, જિલ્લે જિલ્લે અને ગામેગામ જીવરક્ષા મંડળેા અને પાંજરાપેાળા, પશુડા અને ગૌશાળા, પડયાં છે. ધ્યાાનના પરંપરાથી ચાલતા પ્રવાહેામાંથી એ નળ્યે જાય છે. પણ કાષ્ટક રડયાખડયા અપવાદો સિવાય કયાંયે આવી સંસ્થામાં નૂર કે શદૂર જોવામાં આવતાં નથી. કયાંક સંચાલકાને પુરસદ નથી હાતી, તા કયાંક સંચાલકમડળાના કર્તાકારવતા સંસ્થાની મિલકતા સંસ્થાને ચેપડે અને અહેવાલમાં કે સરકારી દફ્તરે વધાયે જવામાં જ પોતાનું પ્રતિકર્તવ્ય માનતા જોવામાં આવે છે. પણ જેતે સારુ એ મિલકતા મેળવવામાં અને વધારવામાં આવે છે તે પશુઓના સુધાર પાછળ કોઇનું લક્ષ જતું નથી. કસાખાતે જઇ જીવ છેડવવા, ઢાર--બજારોમાં જઇ યાધર્મને નામે કસાઇઓ અને તેના લાલે કે સાગરીત જોડે હરીફાઇમાં ઉતરવુ એ તે હૈયાફૂટાપણાની પરાકાંા છે અને એમાં એમને તથા યાધર્મી ‘વાણિયા લાક પાસેથી નાણાં કઢાવવાની એમની રીતેતે સીધુ ઉત્તેજન આપવા ખરેખર છે એ તે હવે સૌને સમાવા લાગ્યું છે. જીવરક્ષાની કે ગોરક્ષાની એ રીત જ નથી એ દેખીતુ છે. વ્યાધર્મીઓને માટે શુ કે વ્યાધ↑ સંસ્થાએને માટે શું, વધતી જતી જરૂરિયાતાના પ્રમાણમાં જેમ અને તેમ ગેાચરા, ભીડે અને સંસ્થાની માલેકની ધાસચારા ઉગાડવા લાયક જમીને વધારવી અને જે સંસ્થા પાસે કાયમી કે અનામત નિધિએ પડયા છે ત્યાં તેવા નિધિઓને પણ ખાસ હિસ્સા વ્યાજવટાવ કે કાગળિયાંઓમાં રેકવાને બદલે ઢારઉપયોગી જમીને મેળવવામાં શકાય એ સૃષ્ટિ આપણી પશુસંરક્ષક સંસ્થાએના વહીવટ કરનારાઓમાં મુખ્ય રહેવી જોઇએ. અગાઉના ૧૯૩ કાળમાં જ્યારે પૃથ્વી વિપુલ હતી અને તેના ઉપર વિચરનારાં ઓછાં હતાં ત્યારે ખારાકને લગતા આવા પ્રશ્નો કદી ઉઠતા જ નહાતા. આજે સ્થિતિ પલટાઇ ગઇ છે. એક બાજુ વસ્તી-વિસ્તારથી અને બીજી બાજુએ પરસ્પર આવજા અને વહેવારનાં સાધને વધવાથી આવા પ્રશ્નો તીવ્ર થઇ પડયા છે. જે ગાયરા આજે રહ્યાં છે કે મળે છે તે પણ ઘણી જગાએ કરકસર અને ઝીણુવટભર્યાં ઉપયાગની રીતાના અજ્ઞાનને કારણે બિનઉપયેગી બનતાં જાય છે અને તેમની તાકાત ઘટતી જાય છે. બીજી બાજુએ આજે શહેરામાં શું કે ગામડાંમાં શું, સાચાં દૂધ-ધી જોવા મળવાનું પણ મુશ્કેલ થઇ પડયું છે. વેજીટેબલ ધી અને પાઉડરનાં દૂધે બધે ઘાણ વાળ્યો છે. એસડ માટે પણ સાચું શ્રી મળવુ મુસીબત થઇ પડયું છે. હું એવા માણસાને જાણું છું કે જે સાચું ધી ગમે તેવા ખાતરીલાયક રસ્તેથી આવ્યું હોય તેપણુ આંખ આગળ મહીમાખણ વલાવાયાં તવાયાં ન હેાય ત્યાં સુધી તે વિશ્વાસપાત્ર ન જ હોઇ શકે એમ માનતા થઇ ગયા છે અને જેમણે સ્થિતિવાળા છતાં ધી-દૂધ ખાવાં તન્મ્યાં છે. નર્યાં એજે મારા જિલ્લામાં ૮૫ લાખ માણસ અને ૯ લાખ જેટલાં ઢારની વસ્તી છે. પણ સરકારી પશુનિષ્ણાત સુદ્ધાં કબૂલ કરે છે કે એ ૯ લાખ દ્વારમાંના બહુ મોટા ભાગ તેના પાળનારને છાણુ સિવાય અને પેાતાના જેટલી જ નિરૂપયેાગી સંતતિ સિવાય ખીજું કશુ વળતર આપતા નથી અને છતાં થાણા જિલ્લામાં વરસેવરસ નીપજતા આશરે ૫૦ કરોડ પૂળા ધાસમાંથી કેટલાયે કરોડ ધાસ આ રૂપાળું પશુધન આરેગી જાય છે! આ ઢાર નથી છાંટે દૂધ આપતાં કે નથી ખેતીવાડીમાં કશા ખપનાં હતાં. હુ કહી ગયો તેમ થાણા જિલ્લાના ખેડૂત ડાંગર કયારીને સારૂ નર્યાં છાણુની લાલચે ઢળાંબંધ ઢાર પાળે છે. એ ઢારને સાંજે પકડી આણીને પોતાના ઝૂંપડામાં બાંધવા ઉપરાંત બીજી કશીયે તકલીક એ એની પાછળ ઉદ્માવતા નથી, કે નથી રાતી પાનું ખવડાવતા કે ખરચ કરતા. ઘાસદાણાની તે વાત જ શી ? લાખા જાનવરે આપણા દેશમાં . આમ પળાય છે, રવડે છે, દેશની સાધનસામગ્રી ખુટાડે છે અને રફેદફે થઈ જાય છે. આપણે એનુ કશું નિયમન—નિયંત્રણ કરતા નથી તે માત્ર -લાંબા સૂર તાણી કસાઇ, કતલખાનાં અને સરકારની નીતિ સામે આક્રોશ કર્યા કરીએ છીએ. જે સમાજમાં અનાથ-અપંગની સંખ્યા વધ્યે જ જાય, જે પ્રજામાં ઇસ્પિતાલો અને ચિકિત્સાહા વધતાં જતાં જેવામાં આવે, તેની સમાજવ્યવસ્થામાં જ ક્યાંક વાંક છે, તે પ્રજા જોખમમાં છે, એમ સહેજે જ માની લેવાય, તેમ આપણી પાંજરાપોળામાં આવતાં ઢોરાની સારી સંભાળ લેવાય, એની મિલકતા અને એનાં સાધને કઇ રીતે વધે અને એના વહીવટ કઇ રીતે વધુ સંગીન બને, એ કરતાંયે દેશની પીઃ ઉપરથી અપંગ અંતે નકામાં ઢારાના એન્ત કઇ રીતે હળવા થાય, દેશના ઘાસચારા અને સાધનસાનથી નાહક ખુટાડીને સારાં ઢારને સાંકડ કરનારાં ઢોરની સંખ્યા અને વિસ્તાર કઇ રીતે અટકે, અને અપંગ અખન થઇને મૂઆ વાંકે જીવતાં ઢારા કટાવા અથવા તેા કેમ જાણે એક બારણેથી પેસીને બીજે બારણેથી મૂએલાં નીકળવા સાથે જ પાંજરાપોળામાં આવતાં હોય એવી આપણી પાંજરાપોળા અને પહેાની સ્થિતિ કઇ રીતે સુધરે એ પ્રશ્ન
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy