SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૧૨–૪૧ સાંપડી. ગીરધરલાલ ! તમા લાખા રહ્યા છે અને લાખા તમેાએ ખરચ્યા છે. પરંતુ એક એવું ખાતું આપે ઉભું કર્યું નથી જે કાયમને માટે આપની યાદ તાજી રાખે” આમ કહીને મેં તેની પાસે પચાસ હજારની માંગણી કરી. ગીરધરલાલે શું જવાબ આપ્યા ? તેઓએ જે જવાબ આપ્યો તેથી મારે તે શરમાઈ જવુ' પડ્યું. કકલભાઈ ! પચાસ હજારમાં કંઇ થાય નહિ. લાખ, તે એછામાં ઓછા જોઇએ અને તેટલી રકમનું ટ્રસ્ટ કરી સાંપવા મેં ધીરજને સૂચના કરેલ છે.” આપ જાણીને ખુશી થશે કે શ્રી ગીરધરલાલે આજના શુભ પ્રસંગની યાદમાં તે રકમ આપવાનું અને તેને ઉપયોગ જરૂરીયાતવાળા આપણા ભાઇઓને જીવન નિર્વાહનાં સાધના જ્ઞાનનાં સાધના તથા વૈદ્યકીય મદ આપવા વા નકકી કર્યું છે. ટ્રસ્ટની વીગતા હવે પછી નક્કી કરવામાં આવશે. શ્રીયુત ગીરધરલાલના આવા ઉદાર જવાબથી મને પણ કંઇક લાભ ઉડવાની પ્રેરણા થઇ. આખરે મારી નસેમાં પણ રાધનપુરીનું લેાહી વહે છે. મારી ઉમર પણ પંચાવન વરસની થવા આવી છે. કોણે જાણ્યુ છે કે કાલે શું થશે ? તેથી જેટલા લાભ જલ્દીથી લઈ લેવાય તેટલે કામને. જે ઉદ્દેશથી ભાઈ ગીરધરલાલે ટ્રસ્ટ કરવાનું નક્કી કર્યું છે, તેજ ઉદ્દેશથી હું પશુ રૂપિયા પચાસ હજારનું ટ્રસ્ટ આજના મારા નવીન ગૃહના વાસ્તુ પ્રસંગની ખુશાલીમાં કરી આપવાનુ માથે લઉં છું. આ રકમ આસ્તે આસ્તે વધારવાની મારી ભાવના છે. પ્રભુ તેમ કરવાની મને સત્બુદ્ધિ આપે.” ત્યારબાદ શ્રી. કાન્તિલાલ ઇશ્વરલાલે જણાવ્યું કેઃ– આજના આનંદ સંમેલન પ્રસંગે, શેશ્રી ગીરધરલાલ ત્રીકમલાલ, અને શ્રીયુત કલકભાઈ તરફથી, રાધનપુરની જૈન પ્રજા માટે, જે ગંજાવર રકમની સખાવતની જાહેરાત કરવામાં આવી છે, તે માટે હું રાધનપુરની જૈન જનતા અને તમા સર્વે તરફથી, આ બન્ને દાતાઓને, હાર્દિક અભિનદન આપું છું. આ પ્રસંગ, રાધનપુરની જૈન પ્રજાને માટે આન તા છે. તેટલેાજ, ગૌરવ અને મગરૂખી લેવા જેવા છે આગળ વધીને કહું તો સમગ્ર જૈન કામ માટે પણ એટલા જ આનંદદાયક પ્રસંગ છે. પ્રબુધ્ધ જૈન રાધનપુરના જૈન સંઘ, તે સમગ્ર જૈન સંધના શરીરનું, એક નાનકડું અંગ છે. આજે કેટલાક કમનસીબ સંયોગને લીધે, આખા શરીરની સ્થિતિ ઘણી નબળી પડી ગઇ છે. નાના અંગના એક ભાગનું નિરાકરણ, આજની ગંજાવર રકમની સખાવતથી, બહુ સ ંતોષકારક રીતે થઇ શકશે. એટલે આખા શરીરને આટલી ચિન્તામાંથી મુકત થવાના અવસર મળશે. આ રીતે સમગ્ર જન સંધ માટે અત્યારના પ્રસંગ ખૂબ આનંદજનક છે. જૈનધર્મમાં નાણાંના સર્વ્યય કરવા માટે સાત ક્ષેત્રેને સાચવવાનું અને પોષવાનુ કહેલ છે. આ સાતે ક્ષેત્રના મુખ્ય આધાર એમાંના એ ક્ષેત્રે, શ્રાવક અને શ્રાવિકા ઉપર છે. શ્રાવક અને શ્રાવિકા આ સાતે ક્ષેત્રના પ્રાણવાયુ છે. શેઠશ્રી ગીરધરલાલ અને શ્રીયુત કકલભાઇએ સમગ્ર જૈન સંધના શરીરની સાચી નાડ પારખી છે. એમણે સાતે ક્ષેત્રને મજમ્મુત બનાવવા, મૂળ પાયાના પ્રથમ વિચાર કર્યાં છે. આજતા અને આવતી કાલને શ્રાવક જગત સમક્ષ ઉભા રહી શકે, અને ભગવાન મહાવીરના શાસનને દીપાવવાની શકિત અને ખળ મેળવી શકે તેની ઉડી વિચારણા આ સખાવતમાં રહેલી છે. અનુકંપા અને સમભાવ જે જૈન ૧૪૭ ધર્મની મુખ્ય આજ્ઞા છે, તે આ સખાવતેમાં આપણે જોઇ. શકીએ છીએ. આ આખી સખાવત પાછળ, દાતાઓએ, ખૂબ, ઉડી વિચારણા કરી હાય, તેમ લાગે છે. આવી સખાવતથી જૈન કામને એક નવી પ્રેરણા મળશે. વ્યવહારિક પ્રસંગે, એ વ્યક્તિગત આનંદના વિષયેા છે. પણ જ્યારે વ્યવહારની સાથે ` ધર્મ અને ક્રૂરજને જોડવામાં આવે છે ત્યારે તે પ્રસંગ આખા સામુદાયિક આનંદમાં ફેરવાઇ જાય છે. આજનુ આનંદ સમેલન આ પ્રકારનુ છે. વ્યવહારિક પ્રસંગાને ઉજવવાના આ નવા ચીલે આપગુને શિક્ષણુરૂપ છે. જ છેવટમાં, આ બન્ને દાનવીરેશને લાંબુ આયુષ્ય મળે, અને આવી રીતે અનેક વખત ઍમની સખાવતા સંભળાવવા આપણને નેતરે તેવું પરમાત્મા પાસે ચ્છું છું.” ત્યાર બાદ બીજાં કેટલાંક ભાષણા થયાં અને પછી બાળાસાહેબ ખેર ઉભા થયા અને તેમણે એક ભારે પ્રેરક વ્યાખ્યાન આપ્યું. તેમના વ્યાખ્યાનને સાર નીચે મુજબ છેઃ—— આપના જૈનધર્મમાં પાંચ મહાવ્રતને મુખ્ય રયાન આપવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. આમાં અપરિગ્રહની ભાવના માત્ર દાનથી જ સિદ્ધ થઇ શકે છે. આ દૃષ્ટિએ અહિં જાહેર થયેલાં દાના અપરિગ્રહની ભાવનાના પાળક છે અને તેથી આવી માટી ઉદાર સખાવતે સાંભળીને મને ખૂબ આનંદ થાય છે. અપરિગ્રહની ભાવના ઉપર આપણી આર્ય સંસ્કૃતિએ અને હિંદુ ધર્મમૂળથી ખૂબ ભાર મુકયા છે. કવિ કાળીદાસે રચેલ રઘુવંશમાં કથા આવે છે કે વરતન્તુ રૂષિના શિષ્ય કૌત્તે અભ્યાસ પુરા કરી ગુરૂની વિદાય માંગીઅને ‘આપને ગુરૂદક્ષિણા શું આપું' એમ પ્રશ્ન કર્યાં. ત્યારે ગુરૂએ શ લાખ સેના મહેાર માંગી. આવડી મેટી ગુરૂદક્ષિણા કયાંથી મળે ? વરતન્તુને શિષ્ય અપેાધ્યાના રાજા રઘુ પાસે આવ્યા અને ગુરૂને આપવા માટે દશ લાખ સેાના મહેારની માંગણી કરી. આ વખતે કવિ કાલીદાસ રાજા રઘુની પરિસ્થિતિ નીચે મુજબ રજુ કરે છેઃ निःशेषविश्राणितकोपजातं कौरसः प्रपेदे वरतन्तु शिष्यः । અર્થાત્ઃ—જે રાજાએ પોતાના સમસ્ત ભંડાર દાનમાં આપી દીધા હતા તે રાજાની સમીપ વરતન્તુના શિષ્ય કૌત્સ ઉપસ્થિત થયા, આ શું સૂચવે છે? અપરિશ્રહને આદર્શ રાજા સમક્ષ હંમેશા ઉભા હતા, રઘુકુળમાં થએલા રાજાઓનું વર્ણન કરતાં કવિ કાલિદાસ જણાવે છે કે ચાય સમૃધ્ધ નામ્ ।-તેમની સમૃદ્ધિ ત્યાગને માટે હતી, વળી અન્યત્ર એ જ કવિ જણાવે છે કે શ્રાદ્દાનું દ્વિ-વિલય |–રાજાએ કર લેતા તે આખરે એકત્ર કરેલું ધન લેાકકલ્યાણમાં વાપરી નાંખવા માટે. ઉપનિષમાં પણ આજ ભાવનાનું સમર્થન કરવામાં આવ્યું છે. ચહેન મુન્નીયાઃ | ત્યાગ વડે જ દ્રવ્યના ઉપયોગ કરે. જાણીતું સુભાષિત છે કે ટ્રામેન વાઉચનતુ લોન । હાથની શેાભા દાનથી વધે છે, કંકણથી નહિ. આ ભાવનાને અનુસરીને આજે જે દાન જાહેર થઈ રહ્યાં છે તેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. આજે અપાયલાં દાનની મર્યાદા રાધનપુરના જૈન સમાજ પુરતી હાય એમ લાગે છે. આ યોગ્ય છે, પણ હું ઇચ્છું છું કે આવાંજ ઉદાર દાના નાતજાત કે ધર્મના ભેદ વિના સર્વ સામાન્ય
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy