________________
તા. ૧-૧૨-૪૧
પ્રમુખ જૈન
આપણું અડધું અંગ.
વિચાર વાણી અને વ્યકિતગત સ્વાતંત્ર્ય એ માનવીને જન્મસિદ્ધ અધિકાર છે” એમ જાહેરમાં ખેલવું યા લખવું એ એક વાત છે અને એ જ અધિકારા ખીજાને ભાગવવા દેવા એ જી વાત છે, અને ખાસ કરી આપણા ભારતવર્ષમાં સ્ત્રી અને પુરૂષની બાબતમાં વ્યકિતગત હક્ક-અધિકારને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ દેખાઇ આવે છે કે, સ્ત્રીઓની વ્યકિતગત વાતંત્રતા પુરૂષ વર્ગની દયા ઉપર અવલંબે છે, અથવા એમ કહીએ કે પુરૂષની ઇચ્છાનુસાર જ સ્ત્રી પોતાના હક્ક ભોગવી શકે છે, જ્યારે પુરૂષને પાતાના હકક-અધિકાર પેાતાને સ્વાધીન હાય છે, એટલું જ નહિ પણ મોટે ભાગે માતાના હકકના બચાવમાં અને સ્ત્રીઓના હકક ડુબાવવાના પ્રયત્ન કરવામાં ભુતકાળમાં થયેલ મહાપુરૂષા મનાતા પુરૂષાએ જ રચેલાં-સ્મૃતિ આદિગ્રંથાના હવાલા'તાં પણ પુરૂષો શરમાતા નથી.
પુરૂષપ્રધાન સમાજનું બંધારણ અને તેના સામાજીક કાયદાકાનુના જ એવી રીતે ધડાયલા છે કે પુરૂષ એ સ્ત્રીના માલીક છે, સ્ત્રી મીલ્કત છે, અને પુરૂષ વર્ગના ઘણા મેટા ભાગનુ ં માનસ આ દૃષ્ટિએજ ધડાયલુ હાય છે એટલે માલીકપણાનો હક્ક જતા કરવા તે ભાગ્યે જ તૈયાર હોય છે. રાજદ્વારી કે આર્થિક ક્ષેત્રમાં પોતાની સત્તાના—માલીકી હક્કના બચાવ માટે કાયમ એ સ્થિતિ નભી રહે તે ખાતર જેમ સામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવામાં આવે છે તેજ પ્રમાણેની નીતિ સમાજશાસનમાં પેાતાના હક્ક નિભાવી રાખવા માટે પુરૂષવગે સ્ત્રી વર્ગ તરફ ચલાવી છે—ચલાવે છે.
પૂજ્ય મહાત્માજી જેવા મહાપુરૂષે અનેક વખત જાહેર કર્યું છે કે સ્ત્રી એ પુરૂષની બરાબર સમાન છે, સમાન હુ તેને છે.' છતાં સ્ત્રીઓના વાસ્તવિક અધિકારો છીનવી લઇ તેને માલીક થઇ એસનાર પુરૂષ તેમના હક્કો પાછા આપવા કે નહિ ? આપવા તેા કઇ જાતના ? કેટલા આપવા ? ઇત્યાદિની વિચારણામાં પણ પેતેિજ મુખ્ય ભાગ ભજવે છે. બીજાની મીલ્કત પચાવી એસનાર જડસુએ જેમ દાન કરવાનાં નાકા ભજવે છે તેમ પુરૂષવર્ગ શું નથી કરતા ?
આપણા સમાજ તરફ નજર કરા! રૂઢીઓ અને રીત રીવાજોનાં અનેક અધનાથી જેના શ્વાસ ગુંગળાઇ રહ્યા છે એવી જ્ઞાતિ, તડા, ધેાળા, અને' પંચ દ્વારા કાને અન્યાય થઇ રહ્યો છે? રૂઢીનાં, રીતરિવાજનાં કે કોઇ પણ વાડાનાં બંધન પુરૂષને સ્પર્શે છે ખરાં ? સમાજરચના જ એવી રીતે રચવામાં આવી છે કે માનવી જે જાતનાં-લગ્ન આદિ-સામાજીક સુખાની અભિલાષા રાખે છે તે દરેક બાબતમાં પુરૂષ સ્વતંત્ર છે, સ્ત્રી પરતંત્ર છે. પછી તે ગમે તે સ્થિતિમાં હાય.
આપણે કહીએ છીએ કેઃ સ્ત્રી અને પુરૂષ સંસાર રથનાં એ ચક્ર છે. અને આ દ્રષ્ટિએ સ્ત્રી અને પુરૂષ અને સમાન હક્કદાર જ હેવા જોઇએ. પણ આ તે પ્રસંગ આવ્યે માત્ર ખેલવાનું. આપણે તેમને કેળવણીથી વેગળા રાખવાના પ્રયત્ન કરીને, સામાજીક, આર્થિક, રાજદ્વારી કે જીવનવિકાસના પ્રત્યેક પ્રશ્નોથી દૂર રાખીને, રસાડાની રસાયણ તરીકે, આપણી ઇજ્જતમાં વધારે! કરવા, સોના ચાંદીને ઝરઝવેરાતનાં ધરેણાં અને વિવિધ વસ્ત્રાથી શણગારેલી પુતલી તરીકે આપણી સ્ત્રીઓને મેટા ભાગે જીવાડીએ છીએ.
ઉપરના માનસે કુમાર અને કુમારીકાની કેળવણીમાં ભેદભાવ રાખ્યો છે. એ વર્ગ અભણ રહેવાથી સીધું પરિણામ એ આવ્યું
૧૪૫
છે કે તેઓ જડ, વહેમી અને ચાલ્યા આવતા રીતિરવાજોની સ્હેજ પણ મર્યાદા ઓળંગવામાં ભીરૂ બની. ‘અબળા એ આ નામને સાથ ક કરી રહી છે. દુનિયાના મહાન શિક્ષણકારાનુ માનવુ છે કે બાળકાના મેટામાં મેાટા ગુરૂ તેમની માતા છે.' એટલુ વિચારી જુઓ કે અભણ માતાઓના ખેાળામાં ઉછરતી પ્રજાનું ધડતર કેવુ હાઇ શકે? જો માતા સુશિક્ષિત, સ’સ્કારી, સ્વતંત્ર અને આઝાદ હોય તે ઉગતી પ્રજાના ઘડતરમાં કેટલા સુંદર ફાળે આપી શકે ? એટલું જ શા માટે! દેશ કે સભાજની ઉન્નતિના કાર્યમાં પણ પુરૂષ વર્ગને પુરા સહકાર આપી શકે એ નિ:સંશય છે. કારણ કે તુર્કી અને રશિયાના ઉલ્હારમાં સ્ત્રી વગે જે મહત્વના ભાગ ભજવ્યેા છે. તે ઇતિહાસ આપણી સામે મેાજુદ છે. ભૂતકાળમાં અનેક સ્રગ્માએ રાજ્યતંત્રના અનેક આંટી ટીભર્યાં વહીવટ ચલાવ્યા છે. અનેકે ભલભલા મુછાળા રાજવીએ અને સેનાપતિઓને રણમાં હાવ્યા છે. અનેકે શિલ્પ, અને સાહિત્યકળામાં યશ પ્રાપ્ત કર્યો છે. એટલે આ પ્રશ્ન લાયકાતા નથી. આપણે તેમને તક જ આપતા નથી એજ મુખ્ય પ્રશ્ન છે.
જ્યાં જ્યાં સ્ત્રી વર્ગને તેમને જીવનવિકાસ સાધવા માટે સંપૂર્ણ તક અને સગવડ આપવામાં આવી છે તે તે દેશમાં સ્ત્રીવર્ગ ખૂબ આગળ વધ્યા છે અને દરેક વિષયામાં આગળ આવ્યા છે.
આ ઉપરથી એમ કહી શકાય કે ' સ્વરાજ્ય એ અમારે। જન્મસિદ્ધ હક છે' એ જેટલું સાચુ છે–તેટલું જ જે હાથ પારણું હીંચોળે છે તે જ હાથ પ્રજા ઉપર શાસન ચલાવે છે એ પણ સાચું છે, એટલે જ આપણા અડધા અંગના જન્મસિદ્ધ અધિકારોની ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત રીતે આપણે આજ સુધી જે લુંટ ચલાવી છે તે હવે પહેલી તકે બંધ કરી તેમને સમાન દરજ્જે સ્થાપવાની અનિવાર્ય અગત્ય છે. નહિતર દેશ અને સમાજની ઉન્નતિનું ‘દીલ્હી' હજી બહુ દૂર છે અને રહેશે. એટલુ' આપણે સમજી લેવું ધટે છે. અમીચ'દ.
જે દેશ
જે દેશનું જળ પીઇને તુજ દેહને ભીને કર્યો, તે દેશને તુજ આત્મનુ પાણી સીંચીને પોષજે ! જે દેશની માટી થકી અવનિ પરે તુ ઉપજ્યા, તે દેશના કલ્યાણ માટે દેહ યસે હામજે જે... દેશનુ જે દેશનું શાણિત રાતું, નસ નસે કુદી રહ્યુ, તે દેશને ઉદ્દારવા તુજ રક્ત પણ વહેવાડજે ! જે દેશના ધર્મો થકી, તુજ સ્વર્ગ ખુલ્લુ થઇ જશે, તે દેશ કેરા આંગણા તુજ ધર્મ નાદે ગજાવજે...જે દેશનું, જે દેશની માટી અને શક્તિ થકી ધન મેળવ્યું, તે દેશ માટે, દીન માટે, પરમ ધન તુવેરજે ! જે દેશમાં તારા વડીલે જન્મી મુક્તિ મહિં ગયા,
તે દેશને તુજ જન્મથી ઉન્નત સ્વર્ગ બનાવજે...જે દેશનુ જે દેશના ઝુલા મહિં તુજ બાળકો ઝુલશે હવે, તે દેશમાં મૂકી જજે આશિષ, આશા ઉમદા જે દેશની માટી થકી થઇ માટી મહિ જાવુ મળી,
તે દેશની ભૂમિ પરે તુજ દેહ આ ઢળજો રે...જે દેશનુ જે દેશમાંથી ઉડીને તું, સ્વર્ગ ટાંચે જઇ વસે, તે દેશને તુ સ્વર્ગમાં પણ ધડી કદી નહિ ભૂલજે....જે દેશનુ વ્રજલાલ મેઘાણી,