________________
તા. ૩૧-૧-૪૧
પ્રબુદ્ધ જૈન
પ્રસ્તુત વર્ષમાં તા. ૨૧-૧-૪૦ ના રોજ વાર્ષિક ચુંટણી વગેરે કાર્ય માટે સંધની એક સામાન્ય સભા મળી હતી અને કાર્યવાહક સમિતિની કુલ ૧૧ સભાઓ મેળવવામાં આવી હતી. ગયા વર્ષે સંઘના સભ્યોની સંખ્યા ૨૩૭ હતી તેમાંથી ૩૮
૪૫ નવા વધ્યા. પરિણામે આજે સંઘના સભ્યોની સંખ્યા ૨૪૪ છે.
આ સાથે જોડવામાં આવેલ આવક જાવકના હિસાબ તથા સરવૈયા ઉપરથી માલુમ પડશે કે સંધ પાસે ગયા વર્ષની આખરે રૂ. ૨૬૭-૩-૬ ની રકમ જમે હતી તેમાં ચાલુ વર્ષના આવક જાવકના હિસાબ મુજબ વધેલી રૂ. ૧૧૨૦-૭-૩ ની રકમ તથા પુસ્તકાલયની અનામતની તથા બીજા ખાતાના દેવાની રૂ. ૭૭૮-૮-૬ ની રકમ ઉમેરતાં કુલ રકમ રૂ. ૨૧૬૬-૪-૩ થાય છે. તે સામે પુસ્તકાલય માટે બનાવેલ ફરનીચર તથા ખરીદાયેલાં પુસ્તકો ખાતે રૂ. ૧૨૨૫-૨-૩ અને “પ્રબુધ જૈન” ખાતે . ૫૪૫–૧૩-૬ ખર્ચાયા છે; અને બેંક તથા રોકડ મળીને આપણી પાસે રૂ ૩૮૫-૪-૬ છે.
આ રીતે આખું સરવૈયું વિચારતાં રૂ. ૩૮૩-૫-૦ ની ખેટ આપણે આગામી વર્ષમાં પુરી કરવાની રહે છે. આ ઉપરાંત “પ્રબુધ્ધ જૈન વાંચનાલય તેમજ ઓફીસને વાર્ષિક ખર્ચ રૂ. ૩૦૦૦) ને ગણાય. તે ઉપરાંત પુસ્તકાલયને પણ હજુ સમૃધ્ધ કરવાનું રહ્યું. ઓછામાં ઓછા ૫૦૦૦ પુસ્તકો ન થાય ત્યાં સુધી સંતાપ પામવા જેવું ન જ ગણુય. આ સામે સભ્યના તેમજ “પ્રબુધ્ધ જન”ના ગ્રાહકોના લવાજમ અને અપાયેલા વચન મુજબ ચાલુ વર્ષની રકમ ભરપાઈ થાય તે આજની સ્થિતિએ રૂ. ૩૫૦-૧-૦ ની આવકની આશા રાખી શકાય. આ બધાંનો સમગ્રપણે વિચાર કરતાં સંઘે પિતાના માથે લીધેલી અનેકવિધ જવાબદારીઓને પહોંચી વળવા માટે સારા પ્રમાણમાં દ્રવ્ય એકઠું કરવું રહ્યું. આ આવક વધારવાના અનેક રસ્તાઓ છે. સંધના સભ્યો વધારવા, “પ્રબુધ્ધ જન”ના ગ્રાહકેની સંખ્યા વધારવી, પુસ્તકાલય માટે મળી શકે ત્યાંથી પુસ્તકો
એકઠાં કરવાં, વાર્ષિક મદદનાં વધારે વચને મેળવવાં. આ બધી દિશાએ બનતું કરવા સંઘના સભ્યોને વિનંતિ કરવામાં આવે છે.
આ તે સંઘની છે તેટલી પ્રવૃત્તિઓ ચલાવવાની તેમજ વિકસાવવાની વાત થઇ. આ બધી પ્રવૃત્તિઓમાં પગભર થવા સાથે સંઘ સામે બીજી અનેક પ્રવૃત્તિઓની ચેજનાઓ અને વિચારણાઓ પડેલી છે. વ્યાયામશાળા, બહેને માટે શિક્ષણ તેમજ ઉધોગ વર્ગો, હિંદી વર્ગ-આવી કેટલીક બાબતે આજના પ્રવૃત્તિક્ષેત્રની સીમા ઉપર ઉભેલી છે. જે રીતે સંધ એક પછી એક આગળ પગલાં ભરી રહેલ છે તે રીતે વિચારતાં આ વર્ષ પુરૂ થતાં પહેલાં આપણે ઉપર જણાવેલી બાબતેને પહોંચી વળવાને કદાચ ભાગ્યશાળી થયા હોઈશું એમ આશા રાખીએ. આપણે જે કાંઈ ચાલે છે તેને બરાબર પાકું કરીએ અને નવું કાંઈ પણ પુરે વિચાર કરીને મકકમપણે શરૂ કરીએ. દીર્ધદૃષ્ટિ અને દ્રઢતા પાછળ સફળતા વણશોધી ચાલી આવે છે. આપણા સંધને ઉત્તરોત્તર થઈ રહેલા વિકાસ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ સભ્યોના દિલમાં ગૌરવ અને અભિમાન પ્રેરે તેવો છે. આ સંઘ કેવળ ખંડનાત્મક પ્રવૃત્તિ ચલાવનાર સંસ્થા નથી, પણ રચનાત્મક સેવા આપનાર અને જન સમાજ સાથે ગાઢ સંબંધ ધરાવતા હોવા છતાં કોમી ભાવનાથી બીલકુલ અલિપ્ત અને રાષ્ટ્રીય ભાવનાને બધી રીતે પરિપષક સંસ્થા છે અને એવી જ રીતે આપણું “ પ્રબુદ્ધ જન” કેવળ જૈન સમાજના પ્રશ્નોની ચર્ચા નથી, કરતું પણ પ્રબુદ્ધ ભારતના મનોરથ, આદર્શો અને
ભાવનાઓને સમ્યફ ભાષામાં વ્યકત કરી રહ્યું છે એ બાબત હવે કહેવાની જરૂર છે ખરી? આજના વાણીસ્વાતંત્ર્યને લગતા સત્યાગ્રહના કારણે ગીરફતાર થયેલા શ્રી શાંતિલાલ હરજીવન શાહ અને શ્રી મણિલાલ જેમલ શેઠ જેવા ઉમદા પ્રજાસેવક સંઘના સભ્યો છે એ સંધની પ્રતિભા પુરવાર કરવા માટે નાનીસુની બીના નથી. સંઘ આજે જે પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે તે પણ કેવળ સાર્વજનિક છે એ પણ ઓછો આનંદ કે સંતોષને વિષય નથી. સંઘની જડ સમાજશરીરમાં ઉડી જામતી જાય છે અને સંઘની શક્તિને વિસ્તાર વધતો જાય છે. આજે સંધ રાષ્ટપ્રેમી, સેવાભાવી. સુશિક્ષિત જન યુવકેને સહકાર માગે છે અને એ સહકારના બળે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવાને મનેરથ સેવે છે. આ નિમંત્રણને સૌ કોઈ માન આપે અને સંધને નિડર અને ક્રાન્તિવાંછુ યુવકોનું એક મહત્વનું કેન્દ્ર બનાવે એજ અમારી પ્રાર્થના ! ! !
મુંબઈ જૈન યુવક સંઘની ચુંટણી - શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૧૯-૧-૪૧ ને રોજ મળેલી વાર્ષિક સભાએ નીચે મુજબ અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિની ચુંટણી કરી છે.
શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ પ્રમુખ , શાંતિલાલ હરજીવન શાહ ઉપ-પ્રમુખ , મણિલાલ મોકમચંદ શાહ મંત્રીઓ , વ્રજલાલ ધરમચંદ મેઘાણી , , અમીચંદ ખેમચંદ શાહ. કપાધ્યક્ષ
કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી. વલભદાસ પુલચંદ મહેતા , ચંદુલાલ વર્ધમાન શાહ
ચીમનલાલ ચકુભાઈ શાહ સૌ. જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ ; વેણીબહેન વિનયચંદ કાપડીઆ શ્રી. રતિલાલ ચીમનલાલ હારી , તારાચંદ લક્ષ્મીચંદ કોઠારી , રમણલાલ ચંદુલાલ શાહ , મનસુખલાલ હીરાલાલ લાલન - લીલાવતીબહેન દેવીદાસ સૌ. વિજયાબહેન પરમાનંદ કાપડીઆ શ્રી. નાનચંદ શામજી , પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ ,, હર્ષચંદ્ર કપુરચંદ દોશી - , દીપચંદ ત્રીભોવનદાસ શાહ કાર્યવાહક સમિતિએ નીચના ત્રણ સભ્યોને
ચુંટીને ઉમેર્યા છે. શ્રી. જેઠાલાલ રામજી સૌ. વિજ્યાબહેન દુર્લભજી પરીખ શ્રી. અંબાલાલ એલ. પરીખ
પ્રતિસંમેલન તા. ૮-૨-૪૧ રવિવાર સાંજના પાંચ વાગે શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆના નિવાસસ્થાન (મહેતા બ્લેકસ, દાદીઠ બીજી ગલી, બાબુલનાથ રોડ) ઉપર શ્રી. મણિલાલ મોકમચંદ શાહ તરફથી એક પ્રીતિસંમેલન યોજવામાં આવ્યું છે, જે પ્રસંગે વખતસર હાજર રહેવા સંઘના સર્વે સભ્યને વિનંતિ કરવામાં આવે છે.
મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,