SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૧૦-૪૧ सच्चस्स आणाए उबहिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतां वदेद्वाचम् એકબર ૧૫ ૧૯૪૧ રાધનપુરનું કલંક છેલ્લાં ત્રણ માસથી રાધનપુર ખાતે બીરાજતા જૈન મુનિરાજો અને સાધ્વીઓની ની સતામ0, લીમ ભાઈઓ તર!” પ --* *,ગલાંની : - ઉત્પન્ન પામે અને ૪ - •૩s • • • જીવાભાઈ પ્રતાપસી અને શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખીઆ ડેપ્યુટેશનના રૂપમાં રાધનપુરના નવાબ સાહેબને મળવા માટે અને જેના કેસ રજુ કરવા સારૂ રાધનપુર ગયા હતા. તેઓએ ના. નવાબ સાહેબ અને તેમના દિવાનની મુલાકાત લઈને ત્યાં : હેરાનગતીને શરૂઆતથી આખર ?' છતહાસ સમ . ના, નવાબની જાણ માં આ ત આવતાં તેઓ બોલ્યા કે મારી આગળ, કે ' જ આવી નથી અને કરી આમ ન થાય તે માટે ૪ નપુર ગવરમેન્ટ ગેઝેટમાં જાહેર કરીશ કે રે રાજ્યમાં આવું વર્તન કદીપણુ તરફથી કરવામાં આવશે તે તેની સખ્ત ખબર લેવામાં આવશે. આવી રીતે ના. નવાબ સાહેબ તરફથી વજીર સાહેબની હાજરીમાં કહેવામાં આવવાથી બન્ને ગૃહસ્થ સતવ પામી મુંબઈ આવ્યા. ના. નવાબ સાહેબના કહેવા મુજબ દરબારી ગેઝેટમાં જાહેરાત થઈ કે નથી ઈ એ જાણવામાં આવ્યું નથી, પણ ડેપ્યુટેશનના ગૃહસ્થ ઈ પાછા પધાર્યા કે ત્રાગુ ચાર દિવસ બાદ ત્યાં બિરાજતા મુનિ હારાજના ઉપર પોસ્ટ પારસલથી હાડકા અને એવી મલીન વસ્તુ માનું એક પેકેટ આવ્યું. એ ખેલતાં મુનિરાજને સખ્ત આઘાત થયો અને તેઓશ્રીએ ઉપવાસ શરૂ કર્યા. ગામમાં આ વાત ફેલાતાં જેમાં હાહાકાર ભચી રહ્યો અને આખી જૈન કોમમાં સખ્ત દુ:ખની લાગણી પેદા થઈ. ત્યાંના નગરશેઠ પાસે રાડ પાડતા કેટલાક જૈન ભાઈઓ ગયા પણ નગરશેઠ બીચારો ના. નવાબ સાહેબનું અને વઝીર સાહેબનું એક રમકડું હોવાથી તેઓ કાંઈ પણ કરવા અશકત હતા. આ દરમિયાન રાધનપુર રાજ્યની જાહેરાત ખાતા તરફથી એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તે મુંબઈ સમાચાર આદિ દૈનિક પત્રોમાં પ્રગટ કરવામાં આવ્યું છે. એ નિવેદન નીચે મુજબ છે. “મુંબઈ સમાચારના તા. ૧૬-૯ - ૧૮૪૧ ના અંકમાં રાધનપુરના બે સળગતા સવાલે તેને શુભ નીકાલ” એ હેડીંગ નીચે. મુંબઈના રાધનપુરી જૈને તરફથી એક ડેપ્યુટેશન નામદાર નવાબ સાહેબ તથા મે. દીવાન સાહેબને મળવા રાધનપુર આવેલ. તે સંબંધી રીપોર્ટ પ્રસીધ્ધ થયો હતો. તે પછી અત્રે એક અત્યંત કમનસીબ બનાવ બની ગયા છે. તે એ કે, અમુક તોફાની ન ઇસમોએ બકરાના દાંત સહીતના જુના જડબાના હાડકાનું એક પારસલ ધણી જ સીતથી તૈયાર કરી પરકમના કોઈ નીર્દોષ શખ્સોએ મળેલ હોવાનું ઠસાવવાના તેમજ રાજ્યને બદનામ કરવાના ૬૪ હેતુથી રાધનપુરમાં બીરાજમાન આચાર્ય મહારાજ ઉપર પોસ્ટ મારફતે મોકલેલું હાડકું “દીન” પેપરની જુની પસ્તીના કાગળમાં લપેટી. તેની ઉપર એક સફેદ કાગળ લપેટવામાં આવ્યું, જેની અંદરના ભાગમાં ચંદ્ર અને તારાની બારીક કાગળમાંથી કરેલી આકૃતી તેમજ એક નાની મસઇદ જેવા ચીત્રનીપણું ખરેખર મંદીરની-છાપેલ કાપલી ચટાડવામાં આવી, આચાર્ય મહારાજનાજ નામના સરનામાને કાગળ તફડાવી તેની બંને બાજુન ઇલકાબ વગેરેનો ભાગ કાપી લઈ ફકત તેમના નામની જ સ્લીપ સદઉં પારસલના રેપર ઉપર ચટાડી છે 5ી લગાડી રાધનપુરની જ પિસ્ટ ઓફીસે - પાર્ટ કરવા સવારના સાડાઆઠ વાગ્યાના સુમારમાં લઈ ગયા. પારસલ પિસ્ટની પેટીમાં નહીં પેસતાં તેને ઓફીસની બારીની અંદરના ભાગમાં મુકીને થોડીક વાર તેને લ" :.. છે કે કેમ તેની ખાત્રી કરવા આંટા મારી ચાલી ગએલ. સદરહુ પારસલ આચાર્ય મહારાજને મળતાં સ્વભાવિક રીતે તેમને તેમજ જૈન કોમમાં ઘણાજ કચવાટ ઉભે થવા પામેલે. સ્થાનીક મહારાજની અરજ ઉપરથી નામદાર નવાબ સાહેબની ખાસ આજ્ઞા અનુસાર સદરહુ કેસ ઇ. પી. કોડ કલમ ૨૮૮ વગેરે મુજબ રજીસ્ટર કરી પિલીસે રીતસર તપાસ શરૂ કરી તે પારસલ તઈયાર કરી મોકલવામાં જન કેમને જ અમુક ઇસમેને હાથ હોવાની ભરૂસેદાર સંધ મારફત ખાત્રી થતાં, બે ઇસમેને અટકમાં લેવામાં આવેલા તેમજ બીજી જુબાનીઓ લેવામાં આવેલી તે દરમ્યાન આચાર્ય મહારાજ પિતાની ઉપર આવેલ પારસલ બાબત ગુનેહગાર સામે પગલાં ભરવા પોતાના સિધ્ધાંતની રૂએ નાખુશી બતાવતાં અત્રેના મહાજનનું એક ડેપ્યુટેશન મે. દીવાન સાહેબ રૂબરૂ ગએલ, અને તે પછી નામદાર નવાબ સાહેબ હનુર ગએલ, જ્યાં હાડકાવાળું પારસલ આચાર્ય મહારાજને અમુક જઈને ઈસમેએ મોકલેલ હોવા બદલ મહાજનના ડેપ્યુટેશને પોતાની ખાત્રી કરી અને તેહમતદારો પૈકી સંદરહુ ગુન્હાહીત કૃત્યની સઘળી હકીકત તેમની રૂબરૂ કહી સંભળાવી, અને તે ઉપરથી આચાર્ય મહારાજના માન અને જૈન કોમની શરમ ખાતર તેમજ તેહમતદારો પૈકી એક તે અત્રેના એક પ્રતિષ્ઠિત શ્રીમંત કુટુંબનો હાઈ પકડેલા ઈસમને રેહમીયત બતાવી છોડી મુકવા ડેપ્યુટેશને નામદાર નવાબ સાહેબ હજુર ઘણીજ આગ્રહભરી આજીજી કરી અને પરવશીરાહે આ પ્રકરણ બંધ કરી માફી આપવાની લેખીત અરજી કરતા અને તેહમતદારે પણ માફી માંગતાં અટકમાં લીધેલ ઈસમેની ઉપર ખાસ રેહમીયત બતાવી નામદાર નવાબ સાહેબે તેમને છોડી મુકવા હુકમ કરેલ છે. તાજેતરમાં અપાશરા વગેરેમાં પથર ફેંકી પરમ તેમજ રાજ્યને બદનામ કરવામાં આવે છે જે પૈકી અમુક નામચીન ઈસમ અત્રેથી મારવાડા તરફ નાસી ગએલ છે. પરમ અને સ્ટેટને વગેવવા ખાતર પોતાનાજ આચાર્ય મહારાજ પ્રત્યે આવું નીચ અને ગંદુ વર્તન ચલાવનારને પરમેશ્વર સદબુધ્ધી આપ !” આ નિવેદન જે કલ્પનામાં પણ ન આવે એવી હકીકત રજુ કરતું હોઈને સૌ કોઈને આશ્ચર્યમાં નાંખી દે તેવું છે અને તેમાં નામઠામ આપ્યા સિવાય જે બેગમ રીતે વિગતે આપવામાં આવી છે તે ધ્યાનમાં લેતાં એ હકીકતની વાસ્તવિકતા વિષે કોઇને પણ શંકા ઉભી થયા સિવાય રહે તેમ નથી. જે શ્રીમંત પ્રતિષ્ઠિત કુટુંબની વ્યકિતને એક તહોમતદાર તરીકે વર્ણવવામાં આવે છે તેનું પણ કાંઈ નામનિશાન આપવામાં આવ્યું નથી પણ રાધનપુરમાં આ બાબતમાં સંડોવવામાં આવેલ જે શ્રીમંત
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy