________________
૪૮
. પ્રબુદ્ધ જૈન
તા. ૧-૭-૪૧
જેને જે નિયમ પાળવા હોય તે પાળે; પણ તેનું ધમંડ તે સાધુતા નથી જ. શ્રી. ક.મા. મુનશીનું કોંગ્રેસમાંથી રાજીનામું - શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મહાત્મા ગાંધીજી સાથે ગુડા સામેના રક્ષણકાર્યમાં કમમાં કમ બળને પણ ઉપયોગ કરી શકાય કે નહિ એ પ્રશ્ન ઉપર મતભેદ ઉપસ્થિત થતાં કોંગ્રેસના શિસ્તને માન્ય રાખીને કોંગ્રેસના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. આ બનાવે તરફ ઠીક ઠીક ચર્ચા ઉભી કરી છે. શ્રી. મુનશીએ પોતાના અભિપ્રાયને વળગી રહીને ચાલવાને આગ્રહ દાખવ્યો અને તે ખાતર જે સંસ્થામાં તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા તે સંસ્થામાં રહીને બળ નહિ કરતાં ગાંધીજીના આદેશને પુરા નમ્રભાવે અધીન બનીને તથા સંસ્થાના શિસ્તને પુરૂં માન આપીને તેઓ કેગ્રેસમાંથી સભ્ય તરીકે છુટા થયા તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે, તેમના જવાથી રાષ્ટ્રીય મહાસભાએ એક શક્તિશાળી પુરૂષને સાથ ગુમાવ્યો છે. કેગ્રેસ છોડવાથી શ્રી. મુનશીએ પિતાની ભાવના અને પ્રકૃતિને અનુકુળ કાર્યક્ષેત્ર ગુમાવ્યું છે. કોઈપણ સંસ્થાના તેમજ વ્યકિતના જીવનમાં આવી લાભહાનિ ચાલ્યા જ કરે છે. પ્રમાણીક મતભેદ પડે ત્યાં બીજો . વિકલ્પ પણ નથી રહેતું. જે પ્રશ્ન શ્રી. મુનશી સામે આવીને ઉભે રહ્યો તે આજ આપણામાંના ઘણા ખરાની સામે ઉભેલો છે અને તેથી વધારે વિગતવાર છણાવટ માંગે છે કે હવે આગળ ઉપર. કમારી હૈયબાળાને અભિનન્દન - બહેન ધર્યબાળા પારેખ આ વખતની મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સાતમાં નંબરે પસાર થયાં અને બે સ્કેલરશીપ તથા એક ઇનામ મેળવ્યું તે માટે તેમને જૈન સમાજના ખરેખર ધન્યવાદ ઘટે છે. ગયે વર્ષે શ્રી વાલજી ગોવિંદજી દેસાઈના પુત્ર શ્રી મહેન્દ્રકુમાર મેટ્રીકમાં પહેલા નંબરે પાસ થયા હતા. આટલી મેટી સંખ્યામાં પરીક્ષા આપતા વિધાર્થીઓમાં સાતમા નંબરે આવવું એ સાધારણ વાત નથી. તેમાં પણ આપણી એક બહેન આટલું ઉજવલ પરિણામ લાવે ત્યારે આપણને ખરેખર એક આનંદ તેમજ ગૌરવનું નિમિત્ત બને છે. કુ. ધંબાળા ભાવનગર રાજ્યના એજીનીયર શ્રી પારેખનાં પુત્રી થાય. તે બહેનની ભાવી કારકીર્દી ઉત્તરોત્તર વધારે ઉર્જવલ અને તેમના માતપિતાને તેમજ આપણ સર્વને ગૌરવવાહિની બને એમ આપણે ઈચ્છીએ. માનવી સાથે કુદરતની હરીફાઈ
આજે દુનિયાભરમાં અને ખાસ કરીને યુરોપખંડની ભૂમિ ઉપર અલૌકિક હત્યાકાંડ શરૂ થયો છે અને એ હત્યાકાંડે કુદરતની સંહાર શક્તિને પાછળ પાડી દીધી છે. કુદરત પણ “હું કેમ પાછળ રહી જાઉં' એમ ચિન્તવતી માનવી સાથે હરીફાઈમાં ઉતરી લાગે છે અને જ્યાં ત્યાં નાના મોટા હત્યાકાંડે નીપજાવી રહી છે. બંગાળામાં અતિ વૃષ્ટિ અને પાણીનાં પુર, મલબારમાં ઝંઝાવાત અને જાનમાલની પારાવાર ખુમારી, નિઝામ રાજ્યમાં એક તીર્થસ્થળે કેટલાક લોકો એકઠા થાય અને કુવાનાં પાણી ઝેરી બને અને સંખ્યાબંધ લેકને યમસદન પહોંચાડી દે–આવી કુદરતી હોનારત તો આજે જ્યાં ત્યાં નીપજતી સંભળાય છે. આમ ઉત્તરોત્તર બનતા બના હૃદયને કંપાવે છે અને અનેક અમંગળ શકાઓ પેદા કરે છે. આપણે અહિં સુખમાં બેઠા છીએ અને તે તે સ્થળેએ દુઃખ અને યાતનાનાં દારૂણ આંસુ વહી રહ્યાં છે એ કેવળ અકસ્માત છે. આફતમાં ડુબેલાં ભાઇ બહેને આપણી સામે મદદ માટે હાથ લંબાવે છે. આપણાથી જે કાંઈ થઈ શકે તે કરવું તે આપણું અચુક ફરજ છે.
વિજયરામચંદ્રસુરીનું મુંબઈમાં આગમન
શ્રી. વિજય રામચંદ્ર સુરી અથવા તો મુનિ રામવિજ્યજી આજે ઘણા લાંબા વખતે મુંબઈ ખાતે ચાતુર્માસ કરવા પધાર્યા છે. શ્રી રામવિજયજી મુંબઈને કે જૈન સમાજને અજાણ્યા નથી. બાળદીક્ષાના પ્રશ્ન ઉપર વર્ષો પહેલાં તેમણે જૈન આલમને ભારે સુબ્ધ બનાવી દીધી હતી. તેમના આગમન પ્રસંગે ભૂતકાળમાં સમાયેલી દીક્ષાના પ્રશ્નને લગતી ધાંધલ ધમાલ અને મારામારીઓ - સ્મરણપટ ઉપર તાજી થાય છે. એ અરસામાં જ શ્રી મુંબઈ જેન યુવક સંઘને ઉદ્ભવ થયેલ અને મુનિ રામવિજયજીની અયોગ્ય દીક્ષાનું સમર્થન કરતી ઉગ્ર હીલચાલને સથે પ્રબળ સામને કરેલે એ પણ બધું યાદ આવે છે. તેમના આગમન સાથે આ ચાતુર્માસ દરમિયાન કંઈ કંઈ ખટપટ અને ધમાલો ઉભી થશે અને નિરાંતે સુતેલો જૈન સમાજ કઈ પ્રકારના વિખવાદના વમળમાં પાછો સપડાશે એવી કલ્પનાઓ લોકોમાં ચાલી રહી છે. એ પણ કાળનું જ વૈચિગ્ય છે કે જે જૈન સાધુનું આગમન આકાઢી વર્ષના આગમન માફક સુખ, શાન્તિ અને ઉત્કર્ષને લાવનારૂં લેખાવું જોઈએ તે જૈન સાધુના આગમનનું આજની જૈન જનતા અનેક અમંગળ આશંકાઓ વડે સ્વાગત કરી રહી છે. આ આશંકાઓ બેટી પડે અને મુનિ રામવિજયજીને મુંબઈ ખાતેને નિવાસ મલયાચળની પવનલહરિ માફક સુવાસ અને શીતળતાનો આવાહક બને એમ આપણે ઇચ્છીએ. જમનીનું રશી ઉપર આક્રમણ
છેલ્લા પખવાડીઆમાં જર્મનીએ રશીઓ ઉપર એકાએક અને અણધાર્યું આક્રમણ કરીને આખી દુનિયાને ચકિત કરી નાંખી છે અને આજ ચાલી રહેલા યુરોપીય વિગ્રહને નવો જ પલટો આપે છે. પ્રથમ દૃષ્ટિએ જોતાં પંદરસે માઈલની સરહદ સંભાળવી પડે એવું આ ભીષણ પગલું અંધારામાં ઠેકડે મારવા જેવું લાગે છે. બીજી બાજુએ આજ સુધીની હીટલરની કારકીર્દી ધ્યાનમાં લેતાં તે કોઈ પણ પગલું પુરી ગણતરી કર્યા સિવાય ભારતે નથી એવો વિશ્વાસ તેણે લોકમાં પેદા કર્યો છે. હીટલરના આ પગલામાં નર્યો વિશ્વાસઘાત ભર્યો છે એ વિષે બેમત હોઈ શકે જ નહિ. નિરાંતે સૂતેલું રશીઓ ગમે તેટલું સૈન્યસમૃધ્ધ હોય તે પણે જર્મનીના જંગી અને ભીષણ આક્રમણ સામે શરૂઆતમાં તે તેને પાછા હઠવું જ પડે એ સ્વાભાવિક છે. જર્મનીના આ સાહસથી અંગ્રેજોને ખરેખર એક મેટી રાહત મળી છે. નેપોલીયને યુરોપના મોટો ભાગ સર કરીને રશીઓ ઉપર ચઢાઈ કરી અને ત્યારથી તેના પતનની શરૂઆત થઈ, તેવી રીતે અહિં પણ છતિહાસનું પુનરાવર્તન થવું જોઈએ એવો આપણને સાહજિક તર્ક થઈ આવે છે. પણ એ વખતની અને આજની શસ્ત્ર સામગ્રી અને લડવાની રીતમાં એટલો બધો ફરક છે અને સાચી વસ્તુસ્થિતિથી આપણે એટલા બધા અજ્ઞાત છીએ કે આજે કશા પણ નિર્ણયાત્મક અભિપ્રાય ઉપર આવવાની સ્થિતિમાં આપણે નથી. આજે જે થાય તે જોયા કરીએ અને રશીઆ હારે કે તે તેનાં શાં શાં પરિણામો આવે તેની કલ્પનાઓમાં બે ઘડિ ઉડયા કરીએ! ગ્લાનિ જનક એટલું જ છે કે જર્મનીએ આ પગલાથી માનવસંહારનું ક્ષેત્ર ખૂબ વિસ્તારી દીધું છે અને કઈ પણ પરિણામ પાર વિનાની માનવહત્યા સિવાય હવે શક્ય નથી એવી સ્થિતિ ઉભી કરી છે. જે સંસ્કૃતિ સંકાઓની તપસ્યા અને સાધનાવડે માનવીએ ઉભી કરી તે સંસ્કૃતિને આજે એ માનવીના હાથે જ સંહાર થઈ રહ્યો છે, કલ્પનાતીત વસ્તુઓ આજે આપણે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, માનવીએ માનવતાનું ખરેખર દેવાળું કાઢ્યું છે ! .
પરમાનંદ,
------------- ' --