________________
४
: : તરુણ જૈન :
આજની પૂજા–એક દિશા ભૂલ ! =
જેનાથી પવિત્ર થવાય તેને પૂજા કહે છે.
પૂગ્ન—એ આત્માની ભાવના છે. અભ્યંતર અવલોકન પૂર્ણાંક બાહ્ય સાધનાથી પૂજા કરતાં આંતરિક નિર્મળતા, જાગૃતિ તથા સ્થિરતા પ્રાપ્ત થાય તેને પૂજા કહી શકાય.
પૂજાએ પુરસદમાં વારે। કાઢવાનું સાધન નથી. પણ આત્મ જયાત પ્રગટ કરવાનું એ સાધન છે. પ્રભુમય બનવાના એ રાહુ છે. -પૂજા-મન:સ્થિર કરી પ્રભુના આત્મિક ગુણાને અંતરમાં પ્રગટ કરવાથી હૃદય પવિત્ર બને છે. એ પૂજાના સ્થળે સ્થિરતા પૂર્ણાંક પ્રભુના ગુણાનું ધ્યાન ધરવાની શાંતિ હોય તે જ ધ્યાન ધરી શકાય છે. સ્થિરતા સિવાય–મનની એકાગ્રતા સિવાય, પ્રભુનું સાચું સ્વરૂપ જ અંતરમાં ઉતરતું નથી. એટલે સ્થિરતા ને મનની એકાગ્રતા સિવાયનું પુજન આત્મસિદ્ધિની સાધનામાં ભાગ્યે જ સહાયક બને છે.
પૂજા ને સ્તુતિ ! પ્રાચીન જ છે. તેમાં અવાર નવાર ફેરફારા થતા આવ્યા છે; તે ચશે. છતાં પુજા-ભકિતતા રહેવાની જ, કારણ કે આત્મ કલ્યાણતું એ મુખ્ય સાધન છે. એટલે પૂજા-ભકિતમાં થતા ફેરફારા આત્મસાધનાને જ ટેકા રૂપ થઈ પડે તેવા હેાવા જોઇએ. નહિ કે આત્મસાધનાને અંતરાય પાડે તેવા હેાવા જોઇએ.
આપણામાં મૂર્તિપૂજા હતી કે નહિ. અને કયારથી શરૂ થઈ એ ઇતિહાસમાં ઉતરવાની અગત્ય નથી. કારણ એમાં ખીજાઓને વિતડાવાદ ઉત્પન્ન કરવાની તક મળે છે. જ્યાં પુજાની મૂળ વસ્તુતે સૌને સ્વિકાર્યાં છે તે સૌ માને છે કે:-પૂજા એ આત્મકલ્યાણનું સાધન્ છે. ત્યાં એ કયારથી શરૂ થઇ તે ન થઈ એ ચર્ચામાં ઉતરી કાઠી ધેાઇ કાદવ કાઢવાની જરૂર નથી.
જે પૂજા-ભકિત માનસિક સ્થિરતા અને આત્મ ઉન્નતિ માટે યેાજાયેલી એટલે તે મૂર્ત્તિયાને શૃંગારવૃદ્ધિથી દૂર રાખવા; આર ંભ– સમારંભથી રક્ષવા; સાથે તે વિતરાગનીમૂર્ત્તિયે ને મદિરા કલેશના નિમિત્ત ન બને તે ખાતર અગાઉ આપણુ મદિરા જંગલમાં માલમિલ્કત વગરના હતાં, એ ભૂતકાળના ઇતિહાસ સાક્ષી પૂરે છે. ત્યારે વર્તમાનકાળમાં ભરચક વસ્તીમાં ઊભાં કરેલાં આપણા મંદિરે આત્માન્નતિ કરનાર છે કે ધીકતી દુકાનદારી છે, તે તપાસીએ.
શહેશને ગામાની થીચ વસ્તીમાં આપણાં જૈન મદિરા; જેમાં આત્મકલ્યાણની સાધના માટે સંપૂર્ણ ત્યાગી અરિહંત દેવની મૂર્ત્તિઓ સ્થાપન કરી છે. તે પરમ ત્યાગી દેવેના મંદિરે આત્મસાધનાને બદલે ધન સાધનાનાં મદિરા નથી લાગતાં ? વનસાધના' શબ્દ આકરા લાગશે પરંતુ આવેશને કૅ પર પરારૂપી પીળા ચશ્માને દૂર કરી શાંત ચિત્તે વિચાર કરશે તે જરૂર સમજાશે કે જ્યારથી ભ્રષ્ટાચારીએ (ચૈત્યવાસીઓ)ના સ્વાર્થ તે પોષવા આપણા ત્યાગી અરિહંત દેવાના મદિરામાં ઉછાણી, ખેાલી, સોના ચાંદીના આભૂષણ ટુંકમાં મિદરાને માલદાર બનાવવાના જુદા જુદા રાહે જૈન સમાજને વાળવામાં આવી ત્યારથી એ દિશ ધન એકત્ર કરવાની પેઢીઓ ખનતાં ગયાં. અને ત્યાગના મહિમાને બદલે લક્ષ્મીના મહિમા વધ્યા.
પરિણામ એ આવ્યું કે જેણે મેક્ષની સાધના માટે રાજ્ય પાટને ઠંકર મારી, કંચન કામિની તે સગાં વહાલાં પરની મમતા છેાડી તે જ મહાપુરુષના નામે તેના જ ધામમાં લાખ્ખાની મિલ્કત એકત્ર કરી. એટલે જ મકાનો ખરીવાં પડે છે. આર'ભ–સમાર'ભને વિચાર ન કરતાં મકાનો બંધાવવા પડે છે. જે મિલેામાં હિંસાનો પાર નથી તેમાં નાણાં જમે મૂકી આડકતરી રીતે ઉત્તેજન આપવાં પડે છે.
જ્યારથી ધનસંચર્યના અવળા રાહને સ્વિકારી તેને ઉત્તેજન આપ્યું ત્યારથી એક જ પિતાના પુત્રામાં ઝગડાએ ઉત્પન્ન થયા. એ ઝગડા મદિર, મૂર્ત્તિક પહાડ માટે નહિ, ધન માટે જ. નિમિત્ત અરિહંતની મૂર્ત્તિ. એટલે તેના નામે લાખા રૂપીઆ કા, દરબાર ને ધારાશાત્રીઓ પાછળ ખર્ચવા પડે છે-ભરખાદ કરવા પડે છે. છતાં આપણુને લગારે આંચકા લાગતા નથી. પાપ લાગતું નથી. પણ તે નાણું સમાજની ઉન્નતિ અંગે વિદ્યા, વેપાર, હુન્નર ને શારીરિક ખીલવણી માટે ખર્ચવાની માગણી થતાં રૂઢિચુસ્તાના કાન ઊંંચા યઈ જાય છે તેમ અનેક કહેવાતા સાધુએ પાપ પાપ કરી કાકારેાળ કરી મૂકે છે. એમને અમે પૂછીએ છીએ કેઃ મહાનુભાવે !
જે મદિરા ત્યાગનાં ધામ હતાં તેને દુકાનદારીમાં ફેરવી માલદારી પેઢીએ કરવા તમે અનેક તરકીબેા રચે મદિરાનાં નાણાં હિંસક કાર્યોને ઉત્તેજન આપવામાં શકાય, આર ંભ સમારંભને પાષવામાં જ ખર્ચાય. કાચી માટી તે અળગણુ પાણીના પુષ્કળ વર્ષરાસથી મકાન ઉભાં થાય. તેમાં ભઠ્યાલક્ષ્યને આહાર કરનારના વસવાટ થાય. અને તમે મુંબઈ જેવા શહેરમાં પધારી એજ દિ રની અડાડ એજ મદિરની જગ્યામાં જાજરૂ-પેશાબે જા». તેમાં લગારે પાપ નહિ. અને જેને માટે ખર્ચાય તે પાપ ?
જે મૂર્તિ આત્મકલ્યાણનું સાધન છે તેને રાળ અને લાખ જેવા પદાર્થોથી સેાના ચાંદીનાં ચકતાં ચેડયાં, અરે ! મુખ ઉપર ઝવેરાતની આરે લગાડી, જર ઝવેરાતને સેાના ચાંદીથી શણગારીએ. જે રેશમ હુન્નરા વેાની હિંસાથી ઉત્પન્ન થાય છે તેના પાશાક પહેરાવીએ. ઘડીયાળેાને કકણા પહેરાવી રાચીએ, અખંડ કુલા ચડાવવાને બદલે ફુલાને વીધી કાતરીને ચડાવીએ, ભાડુતાને રૉકી નાચ ગાણાના જલસા કરવામાં મહત્તા સમજીએ. આમાં આત્મસાધના
છે
કે શૃંગારને ધમાધમ છે?
જ્ઞાનીએએ આત્મસાધન માટે; પૂજા ને ભકિત માટે જે રાહ નકકી કરેલા તેની વિરૂદ્ધ જઈ આપણે એજ મંદિરમાં ગરીબ ને તવ’ગરના ભેદ પાડયા. એટલે પૂજા—ભકિતમાં લિલામખારી દાખલ કરી; વધુ ધન આપે તે જ પહેલી પૂજા કરે. તે જ પહેલું પુષ્પ ચડાવે. તે જ મુગટ ચડાવે. તે જ આરતી ઉતારે. આવી રીતે ધન એકત્ર કરવાની લાલચે આપણે પૂજા-ભકિતને લીલામ કરી અવળે રસ્તે ચઢયા છીએ. એ અવળેા માર્ગ છેડી દઇ સાચા માર્ગે પૂજ ભકિત તરફ વળશું તેા જ આત્માનુ તે સમાજનું કલ્યાણ થશે.