SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રનો ઉપગ. Regd No. 3220. તરણ જૈન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. - વાર્ષિક લવાજમ ૧-૮-૦ છુટક નકલ ૦–૧–૦ || : તંત્રી : ચંદ્રકાન્ત સુતરીયા : વર્ષ ૩ જુ. અંક આઠમ રવીવાર તા. ૧૫-૧૧-૩૬. ક્રાન્તિ અને ધર્મ ધુરંધરો! નવયુવાન. કાન્તિ એટલે કરોડે પીસાતા રીબાતા હૈયાનો આંતરનાદકારમી કંગાલીઅત અને દરિદ્રતાનો ભોગ બનેલાના ઉન્હાનિશ્વાસ. અમાનુષી અત્યાચાર જુલ્મ અને જેહાદની સામે એક પ્રકારનું આંદોલન. એનાથી ધનિકે ડરે. ધર્માધિકારીઓ ભડકે. રૂઢીચુસ્ત બળે. જમાના જુના ઈતિહાસના જર્જરીત પાનાંઓનું નૂતન સર્જન કરવું એ પ્રત્યેક યુવકની ફરજ છે. મુઠ્ઠીભર જનતાના હાથમાં રમતાં કાળપુરાણ અધિકારોનો સામનો કરવો એજ પ્રગતિનું સાચું શિક્ષણ છે. આજ કાળપ્રવાહ આ પ્રકાર છે. જનતાના હૃદયમાં એક તીવ્ર આંદોલન ચાલી રહ્યું છે. સ્વાતંત્ર્યતાની ગુંજાશમાં ખેલતા નવયુવકે એ નૂતન આશા, નૂતન આદર્શ અને નૂતન સર્જન તરફ મીટ માંડી છે. ગઈ કાલની વ્યવહારને નામે ઓળખાતી વેવલી પ્રથાઓ અને બંધને સામે તેમણે જેહાદ જગાવી છે. વડીલશાહીને નામે ચાલતા એ મોટેરાના માન અને મોભા પાછળનું રહસ્ય ઉકેલવા આજે તેઓ અધિરા બન્યા છે. સમયને નહિ ઓળખતા આજના ધર્મગુરૂઓને આ કાન્તિને નાદ કઈ ઘેર ગર્જન સમ ભાસે છે. એના ચમત્કાર કેઈ વિદ્યુત સમા પ્રકાશની માફક પળમાં પ્રકટીને અંધારાની ઉંડી ખીણમાં ગરકાવ કરી દેતા જણાય છે. હવે ધર્મ રસાતળ જવા બેઠો હોય તેમ આજે તેમના ભેળા ભકતને તેઓ ઉપદેશે છે:-“હવે સાવધ થાઓ. જમાનાને ઝેરી પવન વાવા લાગે છે.” હદય સમજે છે કે હવે આપણું કટુ વધુ લાંબા સમય નભે તેમ નથી. પણ શું કરે? એમના સેવાધર્મના સુત્રો જનતા આજે સારી રીતે પિછાણે છે. શાસ્ત્રના પાના આડે ધરીને ભેળી જનતાને ભમાવવાને આ વખત નથી. આજે તે ઉપદેશે બધા પુસ્તક ને પાનામાં ભરેલા છે. ફુરસદ મળે અને જાણવાની જિજ્ઞાસા થાય તે પુસ્તકાલય કયાં દૂર છે ? જ્યારે દીક્ષા જેવી પવિત્ર અને આત્મોન્નતિનું પગથીયું ગણાતી પૂજય વસ્તુ આજે બજારૂ ચીજ બની ગઈ છે. પંચ પરમેષ્ઠિમાં આચાર્યભગવાનનો હોદો ધરાવતી “સૂરિ' પદવી ગુરૂઓના મુઠ્ઠીભર વાસક્ષેપમાં સમાઈ ગઈ છે. તે પછી મુક્તિ તે એથી કેટલે દૂર (1) આત્મોન્નતિના માર્ગે અખંડ તપ કરી કાયાને નિચોવી ત્યાગ માર્ગને અજવાળતા અમારા ગઈ કાલના પૂજ્ય મુનિ- વરોના સ્થાને આજે વેશધારી સંસારના તાપે બળી રહેલા આત્માઓની જમાત જમી છે. હશે મહીં રડયા પડયા એ : . પરમ પૂજ્ય અને પવિત્ર મુનિવરને પગલે ચાલનારા. બાકી મોટે ભાગે તે જુદા જ પ્રકારનો છે. સંયમના આરાધકો ભલે એ હેાય પણ સંયમ એમને વર્યો નથી.' ભકત જનતાના એ આરાધ્ય દેવો સમયને પિછાને તો?
SR No.525921
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1936 Year 02 Ank 16 to 24 and Year 03 Ank 01 to 10
Original Sutra AuthorN/A
AuthorTarachand Kothari
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1936
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy