SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચકાને. તરણ O ન વાર્ષિક લવાજમ ૧-૮-૦”શ્રી જૈન યુથ સીડીકેટ ( તરૂણ જૈન સમિતિ)નું છુટક નકલ ૧ આને ૧-૮-શ્ર તંત્રી: મણીલાલ એમ. શાહ ગુંગળાતો ધર્મ. Reg No. B. 3220 મુખપત્ર" વર્ષે ૧ લુ અંક ૨૪ મેા - ગુરૂવાર તા. ૨૦-૧૨-૩૪ મુખપત્ ગરીબ લોક! ઘરમાંથી નકામુ રાચરચીલું ફેંકી દેવાની જેમ હિંમત નથી કરતા અને એને લીધે અનેક જાતની અગવડો વેઠે છે, તેમ ધર્મોમાં રૂઢિએ અને વહેમાનુ છે. બીકણ અને લાલચુ લેાકેા દાંડ કે જબરજસ્ત માણસ આગળ જેમ વર્તે છે. તેમજ પ્રાકૃત માણુસ દેવ દેવીએ અને ધાર્મિક રિવાજો વિષે વર્તે છે. કશું તેડવાની કે કહાડી નાખવાની હિંમત થાયજ નહિ. કાંઈ કરતાં કાંઈક થઇ જાય, એ આંધળી ખીક દરેકના મનમાં, એટલે જૂનું તે બધુ રહેવાનુજ, અને એમાં તે કાઇને બીક અને લાલચ ઉપરજ રચાયેલું કાઈ નવું તુત ઉમેરવાનું સુઝે તા એની સામે થવાની પણ સમાજની હિં‘મત નહિ. સર્યાં સાપ કામના' એમ કહીને, દરેક વસ્તુને આવકાર આપ્યુંજ છુટકા. મારૂ નાનપણ ઘરના બધા રિવાજો, વ્રત અને ઉત્સર્વે, વહેમ, માન્યતાઓ અને લાગામે શ્રદ્ધાપૂર્વક પાળવામાં ગયેલુ'. આવી રૂઢિ નિશ્ચમાંથી ભાળી ભક્તિ કેળવાઇ. ભક્તિસામે તાર્કિકતા જાગૃત થતાં શકાશીલતા વધી, શ`કાશીલતાએ અને ઉન્મત્ત જીવાનીએ થૈડા દિવસ માટે નાસ્તિકતાનું રૂપ પડયું. આ નાસ્તિકતામાંથી શુષ્ક જીજ્ઞાસા પ્રગટ થઇ અને હું ધ્રુવળ મુધ્ધિવાદી બન્યો. બુધ્ધિવાદનાં છેડાનુ દૃન થયા પછી વૃત્તિ પાછી વળી અને શ્રધ્ધા ક્ષેત્રની ઝાંખી થઈ. પરિણામે ધર્મના શુધ્ધ, ઉજ્જવળ, સનાતન સ્વરૂપને કાંઈક સાક્ષાત્કાર થયા. આમ બધી વૃત્તિએ તે તે કાળે અને ક્રમે કેળવેલી હેાવાથી ધજીવનની બધી બાજુએ તપાસવાની મને તક મળી છે. જૂનામાં રહેલાં સંસ્કારસમૃદ્ધિ, કલારસિકતા અને સાર્વત્રિક સમાધાન, ત્રણે વસ્તુ મેં અનુભવી છે. છતાં મને લાગે છે કે, જેમ દેવતા ઉપરની રાખ ખંખેરવાની હાય છે અથવા ઘરમાંથી નકામું રાચરચીલું અને ‘લખર’ કાઢી નાખવાની જરૂર હોય છે. તેમજ ધમ વૃક્ષને પણ વખતેવખત ખંખેરવાની જરૂર હાય છે. લોકવાર્તાના વાણિયાએ સાપ સ ધર્યાં હતા ખરા, પણ તે મરી ગયેલા અને છાપરાપર ચડી સુકાતા હતા. એ જીવતા કે કહાવાઇને ઝેર ફેલાવતા નહતા. આપણે પરપરાગત સનાતન ધમને નામે રને પણ સધરીએ છીએ. અને કાંકરા પણ સધરીએ છીએ, હળાહળ પણ સધરીએ છીએ, અને અમૃત પણ સધરીએ છીએ, આપણા સધરેલા સાપેામાંથી કેટલાક જીવતા અને ઝેરીલા છે અને કેટલાક કહા વાઇને મરકી ફેલાવે છે, અને તેથી આપણા શુદ્ઘ, ઉદાત્ત, સનાતન આય ધમ ગૂંગળાઈ ગયેલા છે. નીંદામણુ વગર ધ ક્ષેત્રમાંથી સારા ફાલ મળે નહિ, કાકા કાલેલકર.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy