________________
બુદ્ધિને ઉપયોગ કરો.
Reg. No. B. 3220
titulius’ :
નો છે
વાર્ષિક લવાજમ ૧-૮-૦ શ્રી જેન યુથ સડીકેટ (તરૂણ જૈન સમિતિનું મુખપત્ર" વર્ષ ૧લુ અંક ૨૩ મે. છુટક નકલ ૧ આને. | તંત્રીઃ મણ લાલ એમ. શાહ,
L શનીવાર તા. ૧-૧૨-૩૪
ગાડરોત્પાદક કારખાનાં,
ગાડરીયા વૃત્તિ એ કુદરતી નથી અને એથી કંઈપણ કરતાં પહેલાં બાળકે કારણ જાણવા માંગે છે, જીજ્ઞાસા વૃત્તિ બાળકોમાં સભર ભરી હોય છે.
સંસાનું નિયમન છે, પ્રતિરેજ પ્રત્યેક બાળકે મૂર્તિ પૂજવી સ્વભાવિક જીજ્ઞાસાથી બાળક મૂર્તિ પૂજવાના લાભ જાણવા ચાહે છે. મને મારીને ગાંભિયથી આપણે કહીએ ‘એથી કલ્યાણ થાય.' જીજ્ઞાસા આગળ વધે, “પૂજા ન કરીએ તો અકલ્યાણ થાય ” અને ઘણાં બાળકો પૂજા કરવા માટે અખાડા કરે છે. '
તે પ્રમાણિકતા પોકારે છે સ્પષ્ટ કહી દેવા આપુ ! આ પૂજા તો હમારે કેવળ સંસ્થા નિભાવનારાઓને રાજી રાખવાજ કરવાની છે. બાકી પ્રભુ તે એટલે દયાળુ છે કે પૂજા કરનાર અને નહિ કરનાર બને૫ર અમાપ અમીધાર રેડતાજ રહે છે. એ તમામનું કલ્યાણજ કરે છે.'
જરાક ઉમ્મરે પહોંચેલા વિદ્યાર્થીઓ ફરજીઆત સામાયીક અને ફરજીત પ્રતિક્રમણના કાનપર બુદ્ધિના હડા ઠોકે છે–એટલા જોષપૂર્વક કે કાનુનની કડીઓ તુટી જાય છે.
એ કહે છે “આ રજેરજની ક્ષમાપના શી? રૂઢીએ રહી પ્રતિદિન પશ્ચાતાપનાં સુત્રો શા સારૂ, જે બીજા દિવસે એજ આચરણ આચર્યેજ જવાના છીએ તે ? પાપ કરવાના છીએ, કાલે અને જીવનાનંત કાલ સુધી, તે મનને છેતરવાના ; આ પ્રયત્નો શા કામના? અને અંગુલી નિર્દોષી ધમ મનાતા માનની દંભની જવનિકા ચીરી એ યુવાનને સહજ એવી નિડર સ્પષ્ટતાથી સાચું જીવન બતાવે છે.
પશ્ચાતાપમાં એને શ્રધ્ધા નથી એમ નથી પરંતુ એ માને છે કે પશ્ચાતાપ થયા વિના–પાપ આચરવાની પુરી તૈયારી સાથે–પુણ્યાત્મા બની બેસવું એમાં અધમતાની અવધી છે. અને એની વાત બરાબર લાગે છે. :
રેઢીમાં પાડી દઈને, વિચારદ્વાર બંધ કરી દઈને, “હમજે ન હમો પરંતુ હમારે પ્રતિમા પૂજવીજ જોઇશે, હમારે સામયીક પ્રતિષ્ક્રમણાદિ કરવાંજ રહેશે.’ એ પ્રકારની જડ શંખલા હવે તુટવીજ જોઇશે.
હું તે જોઈ રહ્યા છું જતું રહે સંસ્થામાં ધર્મને નામે બાળકૅપર આ પ્રકારને અત્યાચાર ગુજરે છે. એ સંસ્થા બાળકની સ્વાભાવીક વૃત્તિઓ કચડીને એમને ગાડરીયા, દંભી ને પાખંડી બનાવી રહી છે.
પણ ધર્મને નામે પૈસા દેનારાઓની મનોવૃત્તિ આ વિના બીજી નથી બીજે ગમે હેમ હો ધર્મના નિયમ અમુક પળાવા જ જોઈએ.”
' અને એ મનેદશામાં ઉત્પન્ન થએલી ગુલામી એનું કર્તવ્ય અદા કરે છે. આ રીતે કેસરખરડી આંગળી કૃતિને લગાવી દેવી; સામયીક, પ્રતિક્રમણમાં ગપ્પાં મારવાં ને તોફાન આદરવાં અને દુધ, ધીને દંડ થતા બચાવે. '
- આવી મનેદશામાંથી ઘડાતા આપણાં જૈન છાત્રાલયનાં બાળકે જુએ. સ્વતંત્રતા વિનાના એ સા આપણને માનવદેહધારી ગાડરે જણાશે. અને આપણા બાળક એમાં હશે તે પહેલી તકે આપણે એને ઘેર લઈ જઈશું, અને ઈચ્છીશું કે ગાડત્પાદક કારખાનાં જલ્દી બંધ થાઓ. એમાંજ સમાજનું કલ્યાણ છે એમ આપણને લાગ્યા વિના રહેશે નહિ. ,