SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંમેલનના મૂળમાં (૨) તરણ Pot સમાજ, છુટક નકલ ૧ આના વાર્ષિક રૂા. ૧-૮-૦ Reg. No. B. 3220 ધર્મ અને સાહિત્યની સેવા અજાવતું નૃતન યુગનુ જૈન પાક્ષિક પત્ર. શ્રી જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્ર, વર્ષ ૧૭ એક ૩ જે તંત્રી:—ચંદ્રકાન્ત વી. સુતરીયા. ગુરૂવાર તા ૧-૨-૩૪ ભૂત-કા-ળ-ન...... ભૂ-તા-વ-ળ. હજુ ગઈ કાલ સુધીની એ વાત હતી, માનવ માત્રને ભૂતકાળનાં સંસ્મરણા યાદ કરવાં બહુ ગમતાં હતાં, ગઇ કાક્ષને વિકસિત પુરૂષાર્થ હેમને આહલાદકારી લાગતા હતા. જીવનના ભૂતકાળના અને પૂર્વજોની જાહેાજલાલીના યજ્ઞેગાન ગાઇ ગૌરવ લેવામાં આવતુ હતુ, સમયના મ્હોટા ભાગ આમજ વ્યતીત થતા હતા, જેમાં કયાંયે ન્હાતા કર્તવ્યને સાદ, કે માનવતાને સ્થાન. કેવળ આત્મશ્લાઘા અને પ્રકૃતિ પણ શિવાય હે! કશા અ ન્હા. એ રીતે વિરાટ જગતને પામર માનવી પેાતાની આદ` વિહેાણી જીવન લીલાને સમાપ્ત કરતા હતા, ક્રાન્તિના વિશિષ્ટ આંદોલને હેતે અસર કરતાં ન્હાતાં અને જીન વાણીમાં માનવ સમાજનુ નાવ એમને એમ ચાલ્યા કરતુ હતું, ખરેંજ આ વસ્તુ સ્થિતિ નુકસાનકારક હતી. વમાનકાળ ‘એ’ યુવાનીનેા વસંતકાળ છે, હેમાં યુવાની ખાલી રહી છે ક`વ્ય પરાયણતાના પરાગની સૌરભ ચેતરફ ફેલાઇ રહી છે, એ સૌરભથી આશા, પ્રેરણા અને આદના કીલ્લાએ ચણાઇ રહ્યા છે, કૈા આશાભર્યાં યુવાન એ સૌરભથી દિગન્તને ગજવે છે. મહાત્માજી કુ ટાગાર જેવા મહા પુરૂષ જીવન સંધ્યાને આરે હેાવા છતાં પણ પૂર્ણપણે યુવાનીના સાજ સજે છે. વૃદ્ધાવસ્થાને કયાંયે સ્થાન નથી, અરેબીયન નાઇટસની જેમ જાણે કે મહાન જાદુગરે જાદુ કર્યું. હાય ુમ સત્ર યુવાનીજ દેખાય છે અને હેના તાપમાં ભૂતકાળની પ્રબળ ભૂતાવળા બળીને ખાખ થઇ રહી છે. માનવ માત્રને આ પ્રસંગ આહલાદજનક–કલ્યાણકારી છે. કારણ કે પ્રણાલિકાવાદની વજ્રમથી જંઝીરો તેાડી પામર માનવ વિરાટ બનતો જાય છે. આ સંકળનામાં કૂદરત જબ્બર સાથ આપી રહી છે. પ્રણાલિકાવાદના પ્રબળપૂજારી સમા આપણા સમાજમાં પણ એ ચીનગારીએ ઉંડી છે, વાતાવરણને અક્ષુબ્ધ બનાવી મૂક્યું છે, જુનવાણી સ્વરૂપના કિલ્લા નીચે લ્હેણે સુરંગની ગરજ સારી છે, અને જુનવાણી સ્વરૂપોમાં પોતાની સલામતી વાંચતા સમાજના આપમેળે બની બેઠેલા માન્યાતાઓના સિહાસના ડેલાવી નાખ્યાં છે. વષઁ થયાં અડ્ડો જમાવીને પડેલા પુરાણવાદના જુડચા ઉડાવી દીધા છે અને હેને આધારે જીવતા ધર્માધિકારીએ।ની પામરતાને ખુલ્લી કરી નાખી છે. આ પરિવર્તન નરી આંખે જોવા છતાં પણ ભૂતકાળની ભૂતાવળની ભન્ય માયા જાળમાં સપડાયેલ એ પામર જંતુ પોતાની નબળાઈઓ ઉપર ઢાંકપછાડા કરી સમયના પરિવર્તનની હામે લુલે! બચાવ કરી રહેલ છે, મરતાં મરતાં પણ ભૂતકાળની ભવ્ય સ્મૃતિ (!) બચાવવાની કાશશશ કર્યાં કરે છે, પણ કરાલ કાળ એ કશાની પરવા કર્યા વિના નિરંતર પોતાનું કામ કર્યું` જાય છે. ધર્માધિકારી આ વસ્તુ સ્થિતિથી બરાબર વાકેફ હોવા છતાં પણ માનવ પ્રકૃતિ મુલભ નબળાઇને વા થઇ.એ નિર ંતર જુનાવણી સ્વરૂપોને પાષવામાંજ પેાતાની શક્તિએ ખર્ચે છે, આમ આધાત પ્રત્યાધાતમાં સામાજિક શક્તિને હાસ થઇ રહ્યો છે. સમાજે હવે આમ ભૂતકાળની ભૂતાવળની પાછળ પેાતાની શક્તિને નિરર્થક હાસ વધુ વખત નહિ ચલાવી લેવા જોઇએ. યુવાની એ કાર્યાં કરશે, જેમ જેમ યુવાનીને દિનકર સમાજગગનાંગણમાં ખીલતા જશે તેમ તેમ જુનવાણીના અધકાર નષ્ટ થતા જશે, અને એક દિવસ એવો આવશે ક્રુ તમામ ભૂતકાળની ભૂતાવળનો સંપૂર્ણ નાશ થયો હશે. એ દિવસ બહુ દૂર નથી.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy