SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ xxxlX{T D...Pa_4′′ તરૂણ જૈન » DID સાંવત્સરિક પ્રતિક્રમણ, પ્રાસંગિક નોંધ. જૈન સમાજ અને ધમમાં સાંવત્સરિક પ્રતિક્રમણને અપૂર્વ સ્થાન અપાયું છે, વેપારીઓ જ્યમ નકાતેટાનો હિસાબ-સરવૈયું દિવાળીને દિવસે કાઢે છે અને એસતા વરસથી નવેસરથી ચોપડા લખે છે ત્યમ આખા વરસમાં ક્રાઇ વ્યક્તિ પરત્વે તડજોડ થઈ હાય, કાઇને દુઃખ લગાડયું હોય, પરિતાપ ઉપજાવ્યા હાય, વૈર વિરાધ ખતાવ્યા હાય અથવા તાકાઈપણ જાતનું હિ સાજન્ય કાર્ય કર્યું" હાય તો હૅના પશ્ચાતાપ માટે ઉપરે!ક્ત પ્રસંગની નિયુક્તિ કરવામાં આવી છે, સમાજના આબાલવૃદ્ધ સૈા કાઇ વ્યકિત એ પ્રસંગ સહ ઉજવે છે, અને આપસના વૈર વિરાધની આપસમાં ક્ષમા યાચના કરે છે, વૈર વિરાધ ભુલી જાય છે, અને પુન: સબંધ શરૂ થાય છે, આ દૃષ્ટિથી ઉપરાંકત પ્રસ ંગનું મહત્ત્વ કઇ જેવું તેવું નથી. એ પ્રસંગ સનાતન છે, એ દિવસે કાઇ ક્રોધ ન કરે, તકરાર ન કરે, રાગ દ્વેષ ઓછા કરે અને જ્યમ અને ત્યમ શાંતિમય દિવસ પસાર કરે, પણ આજે?— સાનાને કારે ઉપરે!કત સનાતન નિયમને ભૂલી જઈ આજે એ પ્રસ ગને ક્રાઇ વિકૃત સ્વરૂપ અપાઈ રહ્યું છે, હેને તાન્તેજ દાખલા હમણાં સાંપડયા છે, ગાડીના ઉપાશ્રયમાં ઉપરાંત પ્રસંગ ઉજવવા એટલે કે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવા સમાજની અનેક વ્યકિતએ એકત્ર થઇ હતી, સવારથી કટાસણા અને પાંચીયા પાથરી જગ્યા રિઝવા થઈ ગઈ હતી, સાકાઈ પોતપાતાની જગ્યાએ ગાવાઇ ગયા હતા, પરંતુ નવા આવનારાઓનુ શુ? કાઇએ બેઠેલી પંકિતમાં ઘુસવાને! પ્રયત્ન કર્યાં અને એક સેનાના કારાવાળા ભાઇ પોતાના મીજાજ ગુમાવી બેઠા. સોનાના કંદારા કાઢી હેના શસ્ત્ર તરીકે ઉપચાગ કર્યાં પરિણામે ચાર પાંચ ભાઇઓને સારી પેઠે માર પાયા. આ પરિસ્થીતિ પરિવર્તન માંગે છે, સાનાના દેરા એ શ્રીમંતા'નું ચિન્હ છે, હેના ઉપયોગ આવા પર્વાધિરાજને દિવસે થાય તે "ક્રાણુ રીતે ખવાયોગ્ય નથી. કારાને આવા નજીવા કારણસર ઉપયોગ કરવે એ સારા માણુસનું કા નથી, અને આપણામાં વ્યવસ્થાની ખામી છે, નવા આવનારા માટે જે જગ્યા ન હેાય, તે! ખીજા અનેક સ્થળે પ્રતિક્રમણની ક્રિયા થઇ હતી, ત્યાં કાઈપણ સ્થળે ચાલી જવું જોઈતું હતું, ગોડીજીના ઉપાશ્રયમાંજ ગમે તે ભેગે પ્રતિક્રમણ કરવુ એ એક પ્રકારની ઘેલછા છે. આ ઘેલછાને દુર કરવાની અનિવા` જરૂર છે, જે આપણે વ્યવસ્થામાં માનતા થઈએ તે આવા પ્રસંગ આપણે સહેલાઈથી દુર કરી શકીએ. પ્રતિક્રમણમાં પત્થરાએ. તે સિવાય પ્રતિક્રમણની ક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે કેટલાક ટિખળખાર તરફથી નાની નાની કાંકરીએ ફૂંકવામાં આવે છે આ બાબત અત્યંત ધૃણાજનક છે, હું ગમ્મતના વિરાધી નથી, પણ ગમ્મતથી કાઇનેયે દુ:ખ ઉત્પન્ન થાય એ જાતની ગમ્મત કરવાના કાઇનેાયે અધિકાર નથી, કાઇને દુ:ખ અથવા પરિતાપ ઉપજાવી આપણે ખુશ થવુ એ નરી હેવાનીયત છે, અને તેમાંયે આવા ધાર્મિક વિધાનામાં । ખૂબ ગંભીર થવું ઘટે, ત્યાં ડ્ડા મશ્કરી કે તોફાન ઉચિત તા. ૧૬-૯-૩૪ નથી, ત્યાં તે। જ્યમ અને ત્યમ શાંતિથી ક્રિયા કરવી જોઇએ, જો આપણે એ ક્રિયામાં ન માનતા હાઇએ તે। મહેત્તર છે કે ત્યાં ન જવું પણ જઇને કાપણ જાતનું તોફાન કરવુ એ ખીલ્કુલ ઉચિત નથી, લગભગ આદિશ્વર”ની ધમ શાળાને છોડીને ધણે સ્થળે આ જાતનું તેાાન થયું હતું. આ ખોના શરમાવનારી છે, કાઈપણ રીતે એ ટિખળી વૃત્તિ ઉપર અંકુશ પડવાની જરૂર છે. એમાં ધમ છે? મુંબઇના લાલબાગના ઉપ:શ્રયમાંથી હમણાં એક ચોંકાવનારી બીના બહાર આવી છે, વાત એમ બની છે કે એક મારવાડી કે જે લગભગ પચાશ વરસની ઉમ્મરના હતા, અને પાંત્રીસ આયંબિલ પુરાં કર્યાં હતાં, તે લાલબાગમાં શ્રી ક્ષમાવિજયજી પાસે પહોંચ્યા અને યાવિહારા પંદર ઉપવાસનું પચ્ચખાણુ માગ્યું, મહારાજે એ પચ્ચખાણ આપી દીધું, પેલા ભાઈએ તે દિવસથી પાષધ વ્રત ગ્રહણ કર્યાં અને ઉપાશ્રયમાંજ એટલે લાલબાગમાંજ પોતાના દિવસેા વ્યતિત કરવા લાગ્યા, આમ ચાદમા ઉપવાસે એ ભાઇએ આલાકના ત્યાગ કરી પરલોકના પથ સ્વીકાર્યાં એટલે કે ભાદરવા સુદ્દિ ત્રીજના દિવસે સ્હવારના એ ભાઇએ સમાધિ લીધી. હવે એ ભાઇનું મુડદું જ્યાં સુધી ઉપાશ્રયમાં હોય ત્યાં સુધી વ્યાખ્યાનાદિ ધાર્મિક ક્રિયા થાય નહિ. એટલે એ મુડદાને બીજે ખસેડયું કે જ્યાં જમણવાર કરવામાં આવે છે, આમ એક બાજુ વ્યાખ્યાન વંચાતું હતું, બીછ ખાજુ મુડદું પડયું હતું અને હેની પાછળજ જમણવાર માટે કડછા ચાલતા હતા, આ રીતે દિવસના ત્રણ વાગે એ મુડદાને કાઢયું અને સીફતથી ઠેકાણે પાડયું, આ બીનાની પાછળ નીચેના મુદ્દા ઉપસ્થિત થાય છે. ૧ માનવી અનાજ વગર દિવસેાના દિવસો પસાર કરે છે, પરંતુ પાણી વગર ચલાવી શકાતું નથી. સાધારણ રીતે ત્રણ દિવસજ પાણી વગર ચલાવી શકાય, અને કઈ વ્યકિત વિશેષ માટે આઠ દિવસ તે ૫ ણી વગર મહા મુશીબતે પસાર થાય, આ બાબત સા કાઈ જાણે છે, છતાં ચાવિહારા પદર ઉપવાસનું પચ્ચખ્ખાણુ શા માટે આપ્યું? ૨ બીજી બાબત એ છે કે એણે પાંત્રીશ આય બિન્ન કર્યાં હતાં તેની જક્ અવસ્થા હતી, એ ખ્યાલમાં હોવા છતાં પણ જેને પંદર ઉપવાસ કરવા શા માટે પ્રેરણા કરવામાં આવી? ૩ આજના યુગમાં અણુસણુ કરવા માટે માનવી અનધિકારી છે એમ શાસ્ત્રકારાને સ્પષ્ટ અભિપ્રાય હોવા છતાં શા માટે લાંબા દિવસના અણુસણ જેવુ હેને કરાવ્યું? ૪ એક બાજુ મુડદુ પડયુ હાય અને બીજી આજી વ્યાખ્યાનની ક્રિયા ચાલુજ હાય, અને સામેજ જમણ થતું હેાય. આ બાબત પણ શાસનથી ઉલ્ટી છે, સમાજને એખ લગાડનારી છે, આવી બાબતે પાછળ જે જાતની ઘેલછા છે એ ઘેલછા જો દૂર થાય તેજ આવા કિસ્સા બનતા અટકે, આ પરિસ્થીતિને અંગે લાગતાવળગતાંએ એક સ્પષ્ટ નિવેદન કરવાની જરૂર છે કે જેથી જનતા સત્ય વસ્તુશ્રીતિ મજી શકે. લાલબાગના અભિનેતા એટલુ કરશે કે?
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy