SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી સંસ્કૃતિ. પ્રબુદ્ધ જૈન. સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક. તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કાઢારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહુ શ્રી. મુંખઇ જૈન યુવક સંઘનું મુખપત્ર. વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ Reg. No. B. 2917. છુટક નકલ ૧ આને. મહુારાષ્ટ્રના પાટનગર પૂનાને આંગણે મ’ત્રણા કરવા મળેલા રાષ્ટ્રનેતાઓના નિર્ણય તરફ સમેત દેશનું ધ્યાન ખેચાઇ રહ્યું છે; આ યાદગાર ઐતિહાસિક બેઠક તા. ૧૨-૧૩ જુલાઇએ તીલક મંદિરમાં મળી હતી. દેશના જુદા કે જુદા ખુણામાંથી લગભગ દોઢસા અગ્રણીઓએ હાજરી આપી હતી. શ્રી. અણેએ પ્રમુખસ્થાન લીધા બાદ મહાત્માજીએ . કેટલાક ચાગ્ય મુદ્દાઓ રજી કર્યાં હતા. બન્ને દિવસેામાં ડેલીગેટાએ સ્પષ્ટ અભિપ્રાય આપતાં 'મેટા ભાગના સૂર સત્યાગ્રહ 'ખેંચી લઇ દેશ સમક્ષ બીજો રચનાત્મક કાર્યક્રમ ઘડી, અમલમાં મુકવા તરફ હતા. પરિષમાં જાહેર થયેલા હેરફેર વિચારે સંબધી ગાંધીજી શું અનુમાન પર આવશે તે કહેવુ* મુશ્કેલ છે. સહુ કોઇ ગાંધીજીના નિવેદનની રાહુ જોઈ રહ્યા છે, જેઆ ભાવી માગ 13 આજે જાહેર કર વાના છે. વર્ષ ૨ જી, અંક ૩૭ મા શનીવાર, તા૦ ૧૫–૭–૩૩. ત તે એ ભીરૂ વાણી કોણ ઉચ્ચારે છે? અમે તટસ્થ છીએ, અમે નિષ્પક્ષ છીએ, અમે પ્રેક્ષક છીએ, અમે એકકે છાવણીમાં નથી—એ કાયરનાં વચના કોણ આલે છે? સ્થ 3 * તટસ્થ ’ એ ફીક્કો શબ્દ દુર્બળની જીન્હા ઉપર વસે છે, અને એ સ્થાને એ શાલે છે, પરંતુ જે પુરૂષા તેમની બુદ્ધિના નિરધારા મુજબ નિજના શાણિતના ધોધ વહાવી શકે છે, જે નરસિંહના વિચારે, અને ઉમિઓના એક પ્રવાહ બંધાય છે, જે માનવવીરાનાં બુદ્ધિ અને હૃદય વચ્ચે એકાત્મ ભાવ વર્તે છે, તેઓ કદ્દે ‘તટસ્થ હોઇ શકેજ નહિ. કર્દિ નહિ, કર્દિ નહિ, મદ કદિ તટસ્થ ' હાઈ શકેજ નહિ ! ‘તટસ્થ’ એ શબ્દ અર્થહીન છે, વાણીની દુનિચામાં એ નપુ’સફ છે, જ્યારે આ સ્તબ્ધ જગત સન્મુખ મહા કોયડા ઉભા છે. ત્યારે કોઈ વી વાન નર ‘નિષ્પક્ષ ’ રહી શકેજ નહિ. એવા પુરૂષને એના સિદ્ધાન્તા હોય છે; · અણુનમ એ સિદ્ધાન્તાની રક્ષા કરતા ઉભેા હેાય છે; એ ગજે છે, એ એની વિચારણાનાં આન્દોલના ઉભાં કરે છે; એ નિભીકપણે જગતની સમસ્યાઓના ઉકેલમાં પેાતાના ફાળા આપે છે; ‘રાહ ભૂલા છે. ’ એવી દુન્યવી ડહાપણની વાણી એને ચળાવતી નથી. વિવેકબુદ્ધિના શાસન અનુસાર તમે નિરૂપયોગી વાણી ભલે ન વદો; વાણીદ્વાર ઉપર મૌનનું તાળુ તમે ભલે મારા, પરંતુ આજે ‘તટસ્થ’ કેમ રહી શકાય ? આજે, જ્યારે જખ્મી જગત આશાયેશ માંગે છે, જ્યારે પીડિત માનવજાત પીડનમુક્તિના માર્ગો શાથે છે, ત્યારે કોણ પેાતાના સ્થાપિત જીવનસૂત્રેા વિનાના રહી શકે ? ‘ તટસ્થ ’ રહેવુ', અભિપ્રાય વિહીન ઉવુ, સિદ્ધાન્તવિહાણા જીવવુ, એ કાયરનું કામ છે. ( કુલ છામ )
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy