________________
સા વ ધા ન.
Reg. No. B. 2917., છુટક નકલ ૧ આ.
પ્રબુદ્ધ જૈન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ, અંક ૩૬ મિ.
વાર્ષિક લવાજમ રૂ. ૨-૮-૦ ) શનીવાર, તા૮-૭-૩૩.
જે ન
સા ધુ
અ ને
સ્વ દે શી.
હાથવણાટની, શુદ્ધ સ્વદેશી સુતર અને સાધનોથી ઉત્પન્ન થયેલી ખાદી બીજા બધી જાતનાં વસ્ત્રો કરતાં ઘણુંજ બલકે સદ તર શુદ્ધ અને પવિત્ર છે....શુદ્ધ ખાદી અહિંસાની દ્રષ્ટિએ બીજા કપડાં કરતાં વધારે આદરપાત્ર છે....ખાદીને પ્રચાર અને તેનું ઉત્તેજન જૈન ધર્મની અહિંસાની ભાવનાને જીવનમાં ઉતારવાને એક રાજમાર્ગ છે, એમાં જરા પણ સંશય નથી. ,
આજે ૧૮ ઉપરાંત વર્ષ થયાં શુદ્ધ ખાદીજ માત્ર બહેરું છું, અને પહેરું છુ. ઘર સળગતું હોય, માતાની બેઈજજત થતી નજરે દેખાતી હોય, ગરીબે ટળવળતા હોય, ખેડુતે કરેથી દબાઈ હતાશ જીવન ગાળતા હોય, વગેરે દેખી સહૃદય આત્માથીએ વખતે તટસ્થ નજ રહી શકાય. એ જ પ્રમાણે હજારેને ખાદી પહેરવા ઉપદેશ આપી ખાદી પહેરતા કર્યા છે. અધર્મ, અત્યાચાર, પાપ અને અપ્રીતિ વગેરેની પ્રજામાં સેવના થતી જઈ ધર્મપ્રેમી આત્માઓને ધરતીકંપના સખત આંચકા કરતાં વધારે આઘાત લાગે છે, એટલે એવા આત્માએ એ દેશોના પરિવાર માટે તત્પર, ઉસુક અને આગ્રહી. બને છે. આ કાર્ય બદ્ધ અને જૈન ભિક્ષુઓએ પૂર્વકાળે સુન્દર રીતે કર્યું હતું, અને આજે પણ જૈન મુનિઓએ એ કાર્યને અપનાવી લેવું જોઈએ. તેત્રીસ કટિ માનવાની સેવા બજાવવા માટે આ સમય અમૂલ્યમાં અમૂલ્ય છે...રાષ્ટ્ર સેવા અને ધર્મ સેવા એ બે વસ્તુ અલગ નથી. રાષ્ટ્ર ન હોય તે ધર્મને સ્થાન જ કયાંથી હોઈ શકે? રાષ્ટ્રનું ગેરવે એ ધર્મનું ગૌરવ છે.”
આ બધા ઉપરથી મ્હારૂં વક્તવ્ય એ છે કે વર્તમાન સમયે રાષ્ટ્રની સેવામાં ધર્મસેવાની સુંદર તક છે. દારૂથી હિંસાથી અને અજ્ઞાનથી જે પ્રજાના જાન માલને નાશ થતે હોય તેકેઈપણ ભેગે એ અપવિત્રતાને નાશ ધર્મે કર જ જોઈએ. અપવિત્ર વસ્તુના પ્રચારને રોકવા માટે ધર્મની સંસ્થા છે. આ લખનાર એમ માને છે કે રાષ્ટ્રની, સમાજની, વ્યકિતની ગુલામી દૂર કરવા કે ઓછી કરવામાં આ યુગમાં વિશ્વનું કલ્યાણ અને વિશ્વબંધુત્વ સંધાય છે. પરતંત્રતાથી જો યુગયુગ પિપાયેલી સંસ્કૃતિને નાશ થને હેય, તે પરતંત્રતાને નાશ કર્યો જ છુટકે.”
મુનિ, રિલેકચંદ્રજી..