________________
યુવક સંગઠ્ઠન.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ .
'
મુ બ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કઠારી. સતત ત્રીઃ કેશવલાલ મગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જું, અંક ૨૮. મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧૩-૫-૩૩.
મહાવીર અને બુદ્ધને પરેગામી યુગયુગના અંતર કાપી સમસ્ત વિશ્વના અનિષ્ટ તત્વો સામે જેહાદ જગાડી રહ્યો છે.
કે મન જવાળામુખી ફાટી નીકળે અને ઉલ્કાપાત મચે તેમ આજે સમસ્ત વિશ્વમાં ઉલ્કાપાત મચી રહ્યો છે. જગતના તમામ ભડવીરે એ ઉલ્કાપાતને ખાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનું પરિણામ નિષ્ફળતામાં સાંપડયું છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે “જ્યારે ત્યારે ધર્મની પડતી થાય છે ત્યારે જવાના અનિષ્ટ તત્વોને નાશ કરવા માટે મારે જન્મ થાય છે.” એ સનાતન વાણી આજેના વાતાવરણમાં ઉંડા ઉતરતાં સત્ય નિવડતી હોય તેમ જણાય છે. હરિજનો દ્વારની પવિત્ર પ્રવૃત્તિમાં અનિષ્ટ તત્વોએ સામ્રાજ્ય જમાવ્યું ત્યારે જગની મહાન વિભૂતિ, સાબરમંતિના સંત અને યડાના ગીશ્વરે તેની સામે આધ્યાત્મિક શસ્ત્રોને સજજ કરી ર૧ દિવસના ઉપવાસની ઉદષણ એક ખુશનુમા સવારે, જાહેર કર્યું જેહાદે જગાડી છે. ન કપિ શકાયદા વિચારી શકાય એવી એ વ્યુહ રચના સાંભળી ઘડીભર જગત્ આશ્રર્ય અને ઉદ્વેગના મહાસાગરમાં ડૂબી જાય છે. અનેક માંધાતા સમા મહાપુરૂષે એ જગત્ વઘને તેના ચિયથી લાવવા રેડા તરફ દેટ મૂકે છે. છતાં એ પુરૂષોત્તમ અણનમ રહે છે, અને વદે છે કે જ્યાં સુધી એ કરે: માનવીના મનુધ્યત્વની પીછાણ કરવામાં ન આવે ત્યાં સુધી. આર્યાવર્તની ઉન્નતિ નથી, હિંદુ ધર્મને જય નથી. હિન્દુ ધર્મમાં મારે રહેવું જ હોય છે તેમાં બાઝી ગયેલા અનિષ્ટ તાના થરેને દર જ છટકે છે. તે માટે રાજકીય સત્તા કે કરડે રૂપી આના અસ્પૃદ્ધાર માટેના કંડે જોઇતું કામ નહિ આપે પરંતુ હૃદયપલટાની જરૂર છે, અને એ પટે આધ્યાત્મિક શસ્ત્રથીજ શકય છે જયાં સુધી હૃદયમાં મલીનતાભરી હોય ત્યાં સુધી કઈ પણ પ્રવૃત્તિને સાચો વેગ મળી શકે નહિ. એ મલિનતાને દૂર કરવામાં ઉપવાસ રામબાણ ઈલાજ છે. હિન્દુ ધર્મમાં ઉપવાસનું મહાસ્ય ડગલે ને પગલે નજરે પડે છે. મારા ઉપવાસથી કઈ એમ ન સમજે કે કઈ વ્યકિતને ઉદેશી હું આ પ્રાયશ્ચિત કરી રહ્યો છું, કે કેઈને દબાવવાનો આમાં લેશ માત્ર પણ આશય છે. પણ હિન્દુ ધર્મમાં ઘૂસી ગયેલા અનિષ્ટ તત્વોને દૂર કરવા માટે આ ઉપવાસની પાછળ આશય રહેલો છે. મારી સાથે કઈ પણ વ્યકિત ઉપવાસ ન કરે, કારણકે ઉપવાસ કરવામાં મન, વચન અને કાયા ઉપર કાબુ રાખવાને ખૂબ અભ્યાસ કેળવે જોઈએ છે. જેણે એ અભ્યાસ કેળવ્યું હોય તે ભલે ઉપવાસ કરે. પરંતુ અભ્યાસ વગરના મનુષ્યો એ રસ્તે જાય તેમાં હું સલામતી માનતા નથી.”
બુદ્ધ અને મહાવીરના જીવનની સ્પર્ધા કરનાર એ પુરૂષોત્તમના ઉપવાસને આજે છà દિવસ છે. તેમની અખંડ જયેતના કિરણે સમસ્ત આર્યાવતના ખૂણે ખૂણામાં પ્રસરી ગયાં છે. અસ્પૃશ્યતાના મહાન દૈત્યને એ કિરણેથી નાશ થઈ રહ્યો છે.
વાંચક! હારા શરીરના કેઈ પણ અણુમાં આ દૈત્ય ન ઘૂસી જાય તે માટે તકેદારી રાખજે. હૃદયમાં એ દૈત્ય હોય તે તેને સત્વર હડસેલી દેજે. તેમાં જ તારી અને જગતની સલામતી છે “અસ્પૃશ્યતાના દૈત્યને નાશ થાવ ! મહાત્માજી ઘણું છો!”''