________________
આપણુ પરિષદ.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આ.
પ્રબ દ્ધ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રી રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ (
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ઈ. વર્ષ ૨ જું, અંક ૨૭ મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૬-૫-૩૩.
સુધારો અને ક્રાન્તિ
. સુધારકે ઘણુય થઈ ગયા. પરંતુ “સુધારા” ના નામને દીપાવનાર તે કેઈક વીરલજ થયા છે, અને ગણ્યા ગાંઠયા સુધારકે જમાનાના જમાના વીત્યા તેય “અંધકારને નાશ કરી શક્યા નથી. હવે તે ક્રાન્તિની સાલ સળગાવવાનીજ જરૂર છે. સુધારક થવાનું હું પસંદ કરતા નથી. સુધારે એ મોટામાં મોટું “હંબગ” છે. મહાવીર સુધારક થઈ ગયા, લ્યુથર સુધારક થઈ ગયો. પરંતુ આજે એના અનુયાયીઓમાં દંભ પ્રવર્તે છે. આ બધું દીવા જેવું બતાવે છે કે આજને સુધારે એ “હંબગ છે. નર્યો દંભ છે. ગમે તેટલા સુધારા કરે તેય એ દંભ, એ માનસ કાયમ રહેવાનું જ. તેથીજ સમાજની પુનઃ રચના કરવાની આવશ્યકતા છે. સાંપ્રત સમાજ બંધારણને નાશ કર ને નતનું બંધારણ ઘડવું એજ કાતિકારેના મુદ્દા છે. કાતિને અર્થ “સુધારે મુદ્દલ થશે નહિં કૈક સુધારકે કાતિના નામે સુધારાને અપનાવવાનું સુધારક પત્રોની કટારમાં લખે છે. તેમના વિચાર ને રહેણીકરણ જોશે તેજ એમને પૂરેપૂરા પીછાણુ શકશે. એ આદર્શ અમલમાં મૂકવાને પ્રસંગ પ્રાપ્ત થતાં જાણે ઉભી પુછડીએ ભાગતા ન હોય! એ આદર્શ સુધારાપંથીઓ-એવા સુધારકે ક્રાન્તિના નામે જનતાને ઠગે એ બધું હવે વધુવાર ચલાવી નહિં લેવું જોઇએ.
સુધારે તે ચાલું વ્યવસ્થામાં છુટછાટ મુકવાની વાત કરે છે, ક્રાન્તિ એ ઉદ્દામ કાર્યક્રમ છે, જ્યારે સુધારે એ માયાવી છે; ક્રાન્તિના અણુએ અણુએ સમાજહિત સમાયું છે, જ્યારે સુધારાની રગે રગે વ્યક્તિગત સ્વાર્થ ભર્યો છે. જે એ એને મેળ કદિયે નહિંજ મળવાને. ક્રાન્તિના આન્દોલન પચતાં સુધારારૂપી પ્રતારણ નાબુદ થશે.
સમાજ અંધકારમાંથી બહાર આવે અને તેમાં “પ્રકાશ” પડે એવું દરેક હૃદય ઇછે. સુધારકે અને સ્થિતિચુસ્ત Die-heards નું જુનવાણું માનસ તે હવે જવું જ જોઈએ.
અંધારામાં હતો ત્યાં લગી હું પણ માનતે કે “ક્રાન્તિ એટલે સુધારે.' સુધારાના આન્દોલનને વિપ્લવનું નામ આપનારાઓમાં હું એક હતું. પરંતુ આજે મારી એ ભ્રમણ દૂર થઈ છે.