SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ' મુબઇ જૈન યુવક સંઘ પત્રિકા, એક વ્યકિત ઉપર ગુજરતા ત્રાસ અને જામને નિભાવી લેવા તૈયાર હોય તે એ સમાજને એવી કાઇ પણ વ્યકિત પાસે પોતાના કાયદા કાનુનેા ફરજીત પળાવવાના શા હુક્ક છે? અન્યાય અને જુલ્મને ભેગ બનનારને માટે ભેજ મા ખુલ્લા રહે છે, કાંતા તેણે રીખાઇ રીબાઇને મરવું. યાા જે સમાજ તેને ન્યાય આપવાના, તેમજ થતા અન્યાયમાંથી બચાવવાના અખાડા કરે છે તેની સ્હામે ખંડ કરી તેના કાયદાના છડે ચોક ભોંગ કરવા! સમાજ અને તેના સુત્રધારે તે સાચો ન્યાય કરવે નથી અને પોતે માનેલા કાયદાના અમલ ન થાય એટલે એ વ્યકિત ઉપર શાસ્રના નામે, સમાજના કાયદાઓને આધારે અને નિતી અનિતીના સવાલેની એથે રહી એમના હાથમાં હવે બાકી રહેલું છેલ્લું નથીઆર ‘ બહિષ્કાર ’ અજમાવવા તેઓ તૈયાર થાય છે. પણ એ ય ખેડેલ આગેવાનને અને કહેવાતા શાણાઓને ક્યાં ખબર છે કે તમારૂ એ અમેદ્ર શસ્ત્ર હવે ખુંટુંબની ગયું છે. તેની કશીજ કીંમત નથી. કયાંતે સમાજના રક્ષણ નીચે રહેનારને ન્યાય આપવા તત્પર રહે. યા તેા તમારા એ કહેવાતા કાચદામાના ભંગ થતો નિહાળ્યા કરે અને પોકાર પાડયા કરો ! !'' તા॰ ૩૧-૧૨-૩૦ ના મુંબાઇ સમાચારમાં એક ભાઇ લખે છે કેઃ હાલમાં ભરાતા પ્રદર્શીનને પ્રસંગે ચતુધિ સ ંધને એકત્ર કરવાને સારા પ્રસંગ છે. અને તેમ થાય તે હમણાં. પ્રદર્શનના આમ ત્રણને માન આપી અત્રે પધારતા આચાયમાં લગભગ બધાજ શાસનપ્રેમી પક્ષનાજ હોવાથી કૈં આડું વેતરાઇ ન જાય. તેને માટે સાવચેતીના સૂર કાઢી ત્યાં બિરાજતા વિજયનેમીસુરિજી અને વિજયનિતીસૂરીજીને આગેવાની લઇ વાતે પક્ષભેદ વગર આમત્રણ આપવાની નમ્રપણે ચના કરે છે. —આપણે એ પુજ્ય વર્ગ સાચી વિત્તરાગતા' સિદ્ધ કરી બતાવશેજ એટલી આશા રાખી હાલ તે માન સેવીએ ! 嵌 શ્રી જૈન શ્વેતાંબર કન્ફરન્સનું મુખપત્ર જૈન યુગ’ માસિક મટી પાક્ષિક બને છે. તેના પહેલા અંક તા ૧ જાનેવારીએ બહાર પડી ચુકયા છે. કોઇપણ જાતના અભીપ્રાય હાલ ક્રમ આપી શકાય ? આકી એટલું ખરૂ' કે તેની નિતી રીતી' સાઁબધી આપણે ટીકા ન કરીએ. પણ જો સાચેજ જૈન યુગ સમાજની સેવા કરવા માગતુ. હરશે તે। તેણે જીવનના પ્રત્યેક પ્રશ્નનેાની ચર્ચા કર્યાં વિના નહીંજ ચાલે. ભાષાની ગંભીરતા કે વિચારાની પાઢતા તરફ આપણને ઝાઝો વાંધો ન હાય. પણ સત્યને જાહેર કરવાની નિડરતા તા અવશ્ય હાવી રે !'’ એટલે ચેતવણીને મુર કઢયા પછી આપણે તેધીએ કે જૈન યુગ” ભલે ઉગે !-માત્ર પુરાતત્વનાં સુથાં સુંથવા માટે નહી પણ સમાજના સળગતા પ્રશ્નેને ઉકેલ કરવા માટે. અતુ 3/1/31 FEDIST. જાહેર ખખ્ખર પત્રિકામાં જાહેર ખબર લેવાનું નકકી કયુ છે. ભાવ વગેરેની માહિંતી પત્રવ્યવહારથી મળી શકશે. સેામવાર તા૦ ૫-૧-૩૧ ચર્ચાપત્ર. જૈન યુવક સંઘ પત્રિકાના તંત્રી જોગ, નીચેનુ ચર્ચાપત્ર આપ પ્રસિદ્ધ કરશે, વીરશાસને તા. ૨૬-૧૨-૩૦ નાં અ’કમાં પત્રિકાના તંત્રીની ભાવનગરના વેપારને અંગે ટીકા લખી છે. વીરશાસનના તંત્રીને બીજી બાજુ જોવાની છેજ નહિ; પણ ભાવનગરના રેશમી કાપડના વેપારીઓ તરફથી નહેર નિવેદન' એ નામે એ પત્રિકાઓ બહાર પાડી છે, તે આખી વાંચવાથી ભાવનગર પીકેટીંગ મંડળની રેશમી કાપડના વેપારીએ સાથેની વર્તાકના સમાજને સાચો ખ્યાલ આવશે. તેમાંથી નિચેના ઉતારે ખાસ જરૂરના હોવાથી પ્રકટ કરવા મેકલી આપું છું. “અમદાવાદમાં બનારસી માલ તથા કીનખાબ, માળી, પાલવોટા વિગેરે 'િદુસ્તાનની કારીગરીવાળા માલ ઉપર પીકેટીંગ નથી એ અમે ભારપૂર્વક ફરીથી સમગ્ર જનતા સમક્ષ જાહેર કરીએ છીએ.” પ્રથમ દૃષ્ટિએ રા. ઝુલચ દભાઇ તથા સ`ગ્રામ સમિતિએ રેશમી કાપડમાં સ્વદેશી શુ શુ વસ્તુએ ગણાય છે તે સમજી લઈ તેના નિય કર્યાં પછીજ વિદેશી વસ્તુ ઉપર વ્યાજી રીતે પીકેટીંગ શરૂ કરવું જોઇતુ હતું !' “અમારી સદરહુ પત્રિકાને કશે પણ ખુલાસો તેઓશ્રી અથવા તેમની સંગ્રામ સમિતિ આપી શકયા નથી તેમજ અમારા કાઇપણ મુદ્દાએતે અસત્ય' જાહેર કરી શકયા નથી ' અમે જાહેર જનતાને નમ્રતાપૂર્વક જણાવીએ છીએ કે આ પીકેટીંગ સ્વદેશી કાપડ ઉપરનુ છે કે વિદેશી ઉપરનું ?'’ અમારા સ્વદેશી સાડી, સાફા વગેરે બનારસી માલ, અમદાવાદી કીનખાપ, ખંડ વિગેરે અમદાવાદી માલ, સુરતી માળીઆં, કનેરી વિગેરે સુરતી માલ, જામનગરી અતલસ, પોરબંદરી સાફા વિગેરે વિગેરે જે જે સ્વદેશી માલ છે અને જેમાં એછામાં ઓછા પચાસ ટકા અને વધારેમાં વધારે તેવું ટકા સુધી હિંદુસ્તાનની કારીગરીના સમાવેશ થાય છે. એટલે કે હિંંદુસ્તાનના સંખ્યાબંધ કારીગરાતે નીભાવ થાય છે—તેવા માલને માટે સખ્ત પીકેટીંગ હાવાથી અમે લગભગ પૈણા એ માસ થયાં પુષ્કળ નુકશાન સહન કરી રહ્યા છીએ.” લી જન પહેાંચ અને સ્વીકાર. શ્રી જૈન વે, કાન્ફરન્સનું મુખપત્ર જૈનયુગ ” જે પહેલાં માસિક હતુ તે નવા વર્ષથી (તા॰ ૧-૧-૩૧) પાક્ષીક તરીકે બહાર આવ્યું છે તેને પ્રથમ અંક અમને મળ્યા છે, જે આભાર સાથે સ્વીકારીએ છીએ. “ જૈતયુગ ’ જૈન સમાજને ખાસ વાંચવા અને સમજવા લાયક છે. શ્રો મહાવીર જૈન વિદ્યાલયના પંદરમે વાર્ષિક રિપોર્ટ જેમાં સને ૧૯૨૯-૩૦ ના દ્વિસાય વગેરે બાબતા જણાવવામાં આવી છે, તે વાંચી કેને સ ંતોષ ન થાય? જૈન સમાજની દરેક ધાર્મિ ક સંસ્થા આવુ. સુંદર કાર્ય કરે એમ અમે ઇચ્છીએ છીએ. આ પત્રિકા અંબાલાલ આર. પટેલે ‘સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુબઇ ૩ માં છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ ન, ૧૮૮; ચટાઈવાળા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઈ ૩ મધેથી પ્રસિદ્ધ કરી છે.
SR No.525916
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1931 Year 02 Ank 01 to 32 - Ank 09 21 and 29 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy