________________
યુવાન નવસૃષ્ટિનો સરજનહાર છે
_Reg. No. 8 2616,
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વષ ૨ છું.' અંક ૨૪ મો.
*
સંવત ૧૯૮૭ ના જેઠ વદ ૦))
તા૦ ૧૫-૬-૩૧
છુટક નકલ : : છે આનો.
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. 1 . ? સવત ૧૯૦૭ ના ૧૧ )) સત ઠગોના કાવત્રાનું બહાર આવેલુ
પોગળ. જૈન સમાજ સમજે અને વિચારે.
દિક્ષાના હીમાયતીઓ જુઠી સહીથી લેખ લખી જેન કામને
કેવીરીતે ફસાવે છે તેને સચોટ દાખલ.
- મુંબઈ જૈન યુવક સંધ પત્રીકામાં મે દિક્ષા કેમ છોડી તેને એકરાર લખી મોકલે હતે-તે આવ્યા પછી દીક્ષાના હિમાયતીઓએ ઘણી દંડાદેડી કરી અને મને પણ ઘણું
સમજાવવા પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. પછી મારા નામની સહી મુંબઈ સમાચાર , તા. ૧૧-૬-૩૧ માં લખે છે કે “હું દીક્ષા વિરોધીઓની જાળમાં કેમ ફસાય” તે લેખ
મેં લખ્યો નથી છતાં પણ મારા નામથી બેટી સહી કરી જે લેખ લખ્યો છે તેના માટે તે પત્રકાર અને લખનાર બન્ને જવાબદાર છે. લેખ લખનાર પિતે કે તેની ટોળી સમજી શકે છે કે રતીલાલ ખેડાવાળા મુંબઈ સમાચારને પુછનાર નથી અને પુછે તે મુંબઈ સમાચાર જવાબ આપે તેમ નથી તેમજ રતીલાલ પાસે પૈસા નથી તે બેટી સહીથી લેખો લખીએ તે કોણ પુછનાર છે. તેથી દીક્ષાના હિમાયતીઓ જૈન કમને ખોટી રીતે અને ઉધે રસ્તે દેરવવા જે પ્રયત્ન કરી રહયા છે. તેથી જેન કોમની જાણ માટે આ ખુલાસે લખુ છું. વળી જૈન યુથ લીગ કે જૈન યુવક સંધ વાળાઓએ મને કાંઈ પણ ફસાવવા પ્રયત્ન : કર્યો નથી પરંતું જે જાતી અનુભવ થયે તેજ એકરાર મેં બહાર પાડ્યા છે.
લી. રતલાલ અમૃતલાલ ખેડાવાળા.
સહી દ. પોતે તા. ૧૧-૬-૩૧
ગ્રાહકોને સુચના સવીય લખવાનું કે શ્રી જૈન યુવક સંધ પત્રિકાના અંક ૨૪ માથી વી. પી. શરૂ કર્યા છે, માટે દરેક ગ્રાહક મહેરબાની કરી સ્વીકારી લેશે, બીજું હમારા આઇપણ ગ્રાહકને પત્રિકાના અંગે જે કંઇ પણ ખાસ ફરીયાદ કરવી હોય તે વ્યવસ્થાપકને ઓફીસમાં મળવું અથવા લેખીત ખબર આપવી જેથી ઘટતું કરવામાં આવશે. એફીસ ટાઈમ સ્ટા. ૧-થી-૫. '
વ્યવસ્થાપક-એછવલાલ ચંદુલાલ,