________________
ચુવાન નવસિષ્ઠને સરજનહાર છે.
મુંબઈ જેન ચુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧ લુ.. અક ૧૩ મા.
નોંધ અને ચર્ચા.
સંવત ૧૯૮૬ ના ફાગણ વદી૧૦.
તા૦ ૨૪-૩-૩૦
Ha
ચાલુ માસની બારમી તારીખે મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ યુદ્ધના આરંભ કર્યાં છે અને મીઠાના કાયદા જલાલપુર ખાતે તેાડવાના આશયથી ૭૨ કસામલા સ્વમ’સેવાને સાથે લઈને અમદાવાદથી કુચ કરી છે અને ધારેલું ધ્યેય સિદ્ધ કર્યો સિવાય સત્યાગ્રહ આશ્રમમાં પાછા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આખા દેશમાં આજે નવા ઉત્સાહની ભરતિ શરૂ થઈ છે અને સ્થળે સ્થળે સ્વયં સેવકાનાં નામ નાંધાવા માંડમા છે. મદ્ધાત્મા ગાંધીજીની ટુકડીમાં ત્રણ જૈન બંધુએ છે. ૧ શ્રી વાલજી ગોવિંદજી
એને
અભિ
વિચ
દેશાઇ, ૨ શ્રી રમણીકલાલ મેદી,
૩ શ્રી પન્નાલાલ ઝવેરી. આ ત્રણે અમારા અન્તરનાં નન્દન છે અને નવા
હુમાં તે ખૂબ યશસ્વી પરાક્રમા કરી પેાતાની જાતને, કુટુંબને તેમજ કામને ઉજવળ કરે એવી અમારી શુભેચ્છા છે. આ પ્રસંગે જૈન સમુદાયને બને તેટલા કાળા આપવા મારી નમ્ર પ્રાના છે. સરકારી કાયદાઓને વિનય ભંગ કરવા માટે જૈન સમાજ સખ્યાબંધ સ્વય"સેવા પુરા પાડે તેમજ દ્રવ્યની અને તેટલી મદદ
કરે એમ અમે આગ્રહપૂર્વક ઇચ્છીએ છીએ. આખા દેશ તેમજ ધમ ને ઉદ્ધારનારે આ અપૂર્વ વિગ્રહ મંડાયા છે, તેમાં જેટલુ સમપ ણ કરે તેટલું ઓછું છે. પોતે પ્રથમ હિંદી છે અને પછી જૈન છે એ સૂત્ર દરેક જૈન અંતરમાં બરાબર ઉતારરો અને અન્ય દેશળ એની હરિક્રાઇમાં કાઇ રીતે બનતું બલિદાન આપવામાં પાકે નદ્ધિ પડે એવી આશા છે.
શ્રી મુંબઈ જૈન યુવક સૌંધના આશ્રય નીચે જૈનાની જાહેર સભા.
સ્થળઃ હવે પછી નક્કી થયે જણાવવામાં આયરો.
હાઉસમાં જાહેર જલસા કર્યાં હતા તે પ્રસગે શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહની પુત્રી બહેન લીલાવતીએ પાતાના શરીર ઉપરથી એબી ઓસ્ટીન મોટર ગાડી પસાર કરાવી હતી. આ ગાડીમાં પાંચ પેસેન્જરો બેઠા હતા. બહેન લીલાવતીની ઉમ્મર ચાદ વષઁની છે અને તેણે કસરતની સારી તાલીમ લઈને પોતાના શરીરને સારી રીતે કેળવ્યું છે. ઉપર જણાવેલ અસાધારણ પરાક્રમ માટે બહેન લીલાવતીને ખૂબ ધન્યવાદ ઘટે છે. આ બનાવની ખાસ નોંધ એટલા માટે લેવામાં આવે છે કે આપણા આખા સ્ત્રીસમાજ શરીરે ખૂબ નબળા જોવામાં આવે છે. કન્યા અને કસરત એ તે જાણે કે પરસ્પર વિરોધી ઢાય તેમ કન્યાને તે હુંમેશાં શારીરિક કસરતથી દૂર રાખવામાં આવે છે. ધણું ખરૂ આ પણી કન્યા તેર ચાદ વર્ષે નિશાળે ભગુજ્જુ છાડે છે, અને સાસરે જેમ અને તેમ જલ્દિયી સીધાવવાનાં સ્વપ્નાં સેવે છે. એટલે
કન્યાઓનાં શારીરિક વિકાસની તા કાઈ ચિન્તા ધરતુંજ નથી. આવી પરિ સ્થિતિમાં ઉપરના અનાવ અભિનનીય ગણાવા જો ઇએ, માબાપોનાં ચિત્તમાં કન્યાઓની શરીર ખીલવણીની સાચી ચિન્તા ઉગવી જોઇએ અને ઉગતી ઉમ્મરની અહેતાને બહેન લીલાવતીના દ્રષ્ટાન્તથી પોતપોતાનાં શ રીરા વિકસાવવા માટે ખુબ પ્રાત્સાહન મળવુ જોઈએ,
સમયઃ—ગુરૂવાર . તા. ૨૭-૩-૩૦ રાત્રીના (સ્ટાં. ટા.) ૮ વાગે. વિષયઃ—આપણા સમયધ વકતા ઃ—આચાર્ય કૃપલાની.
સભાનુ' પ્રમુખસ્થાન રોક્ષ જમનાલાલ બજાજે મહેરબાનીની રાહે સ્વીકાયુ છે.
સર્વે ભાઇ બહેનેાને પધારવા વિનતી છે, બહેનેા માટે અલાયદી ગોઠવણુ કરવામાં આવી છે. લી મત્રી.
ગઈ તા. ૯-૩-૩૦ના રોજ પ્રેફેસર રાવે મુંબમાં જે નેશનલ ફીઝીકલ કલ્ચર ઇન્સ્ટીટયુટ કાઢ્યું. તેમાં કેળવાતા વિદ્યાર્થીઓની કસરતાના પ્રયાગના મુંબઇ રામલ પેરા
Reg. No. B. 2616.
છુટક નકલઃ ના આને.
ઉત્સાહી જૈન યુવકનું અવસાન.
ભાવનગર જૈન યુવક મડળના સ્થાપક, જૈન નાઇટ કલાસના કાર્ય વાહક, સરળ, સ્વભાવી ને સાદું જીવન ગાળનાર ભાઈશ્રી નાતમદાસ સાકરચંદ વેરાના અકાળ મૃત્યુ માટે અમને અપાર શેક થાય છે. પરમાત્મા તેમના આત્મા શાન્તિ અપે તેવી પ્રાથના છે.
તેમને માટે ભાવનગર જૈન યુવક મંડળે તા. ૧૬-૩-૩૦ તે રાજ દીલગીરી પ્રદર્શિત કરનારા ઠરાવ પસાર કર્યાં છે.