SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ । ४ સુબઇ જૈન યુવક સંઘ પત્રિકા. ઉપર પ્રમાણે આપેલા મારા જવાબને ઉડાઉ જવાબ ગણી વીરશાસનના લેખક તા॰ ૧૧-૭-૩૦ ના વીરશાસનમાં મુંબઈના વાતાવરણના મથાળાવાળા લેખમાં લખી જણાવે છે કે “ આજે વે. સાધુ સંસ્થામાં ચારસોની સંખ્યા સાધુઓની અને પંદરસા લગભગ સાધ્વીઓની ગણાય છે તેમાંથી પાંચ-પચીસ પતિત થયાના દાખલા લઈ આખી સાધુ સંસ્થ તે ખરાબ ચીતરથી તે ધાર પાપોથનુજ પરિણામ મનાય. પુષ સધુ સંસ્થામાં કુસ ંપે ધર ધાલ્યું છે, કારણુ કે જમાનાવાદી નાટલાના પૂજારી આજે સમય ધમને નામે બનાવી આચાય પોના એઠા નીચે વીતરાગ ભગવાનની આજ્ઞાનું ખંડન કરી રહ્યા છે. આમ વત નારાઓને આસ્તિક સાધુએ ખુલ્લા પાડે એટલે એમના અનુયાયીઓ સારા સાધુએની નીંદા કરે તેમાં કાંઇ આશ્ચય નથી. સુધારાની પુષ્ટિ મળે એટલે એકલ વિહાર અને રેલ વીહાર સૈવાય અને સ્વચ્છંદી સાધુઓની સંખ્યા વધતી જાય. જડવાદમાં ઝુકેલા સુધારા આવા પતિતાને પુન્ય માને છે એટલે એવાએ ધર્મને બદલે અધમ ના ઉપદેશ કરે તેમાં નવાઇ નથી. પણ સાચા જેનેામાંના કેટલાક, તેમને સાધુ તરીકે માનતા નથી” આમ લખી બખાળા બહાર પાડી મેધમ પેાતાના હાથેજ લેખક મહાશય આચર્યું અને સાધુઓની નિંદા કરી રહ્યા છે. શું આ ધાર પાપાધ્યનુ પરિણામ નહીં ? સામવાર તા૦ ૨૧-૭-૩૦ લાલ સેાલીસીટર અને કાર્ન્સ ઉપર અશ્વરીત ટીકા કરવા વીરશાસનના તંત્રી ઉતરી પડયા. પણ જ્યારે તે મંડળને અને રા. મેતીચદને પત્ર તંત્રી ઉપર ગયેા ત્યારે પોકળ પ્રકટ થયું' અને તંત્રીજીને કબુલ કરવુ પદ્યુ કે હિષ્કારની વાત ખોટી છે, અને નોંધ પાછી ખેંચી લેવી પડી. નોંધ પાછી ખેંચી લેવામાં પણ કલમ અવળી ચલાવી તે પક્ષ ઉપર પણ પાછા આક્ષેપોના ટાપલી નાખ્યા છે. જેને તેવુ નહીં, વાંચવું નહીં અને અવળુ લખેજ જવુ તેને શું કહેવું? લેખક મહાશયને મારી વીનંતી છે કે કાષ્ઠની પાસેથી ભે યુવક મડળ તરફથી કાઇ એક્.એન. શાહના લખેકા કાગળ પ્રકટ કરી તે ઉપરથી રા. મેાતી ગીરધર સાંભળ્યા કરતાં જાતે સુજ વર્તમાનની ફ્રાઇલ હાથમાં લઈ દર મંગળવારે પ્રકટ થયેલાં અમૃત સરિતાનાં આજ દીત સુધીનાં ૫૧ પ્રકરણા વાંચા અને પછી ટીકા કરે. હજી તા નવલકથા ચાલુજ છે. જો ફાઇલ ફેંદી ન હેાય તે। અમૃત સરિતાને પહેલો ભાગ છપાઇ અહાર પડી ચુકયે છે તેમાં ૩૫ પ્રકરણાના હેવાલ આવી ગયા છે તે શુદ્ધ હૃદયથી વાંચી જાઓ. મે મારી અમૃત સરિતામાં ઉચ્ચ કાટીના સાધુએની પ્રશંસા કરી છે તેમનુ સમ્મેલન મેળવ્યું છે. અને તેનાં પણ જૈન ધર્મને દીપાવે એવા સુંદર અને મેધદાયક દ્રશ્ય બતાવ્યાં છે, જ્યારે નવલકથા પૂરી થશે ત્યારે ખ્યાલ આવશે કે આ નવલકથા સાધુસ ંસ્થાની ખરી પરિસ્થિતિનું ભાન કરાવનાર, સાધુસસ્થાને અને સધને સત્કારનાર, અને સડે દુર કરવા સુધારાની શી શી યેજાએ કરવી તેના ઉપાય સુચવનાર માદક સાધન છે, લેખક મહાશય! આપ પોતેજ પતિતતાના સડાને પેષી રહી નીભાવી રહ્યા છે! તે તમને નથી સમજાતું ? પોતાના પગ તળેજ રેલે વઘા કરે છે તે જરા જુએ અને પછી બીજાને કહે. આપના ઉપરના કકરા કયા મારી અમ્રુત-રિતા એક તદન કલ્પિત નવલકથા છે, જેમાં ભૂતકાળ, વર્તમાનકાળના અને જો સુધારા નહીં થાય તે ભવિષ્યમાં કુવા બનાવેલું બનશે તેને ખ્યાલ કરાવવા જુદા જુદા પાત્રા દ્વારાએ જુદા જુદા સ્વરૂપમાં ત્રણે કાળનાં દૃશ્ય આપેલાં છે. વીરશાસનના લેખક તે સાધુ સંસ્થામાં ૫-૨૫ સરિતામાં માત્ર એકજ સાધુને પતિત તરીકે કલ્પી સ્હેજ તેના ચરિત્રનુ દિગદર્શન કરાવી તેનું એક બાઇ સાથે પુનઃલગ્ન કરાવેલુ' છે, તે પાત્ર પોતાની આત્મકથા દુનિયા આગળ રા કરી આંખા ઉધાડે છે. આ શીવાય બાકી કાઇ પણ સાધુને કે સ,ધ્વીને પતિત કપી તેનાં દ્રશ્ય બતાવેલાં નયીજ. સાધ્વી પ્રત્યે તેા મે ઘણીજ યા ખાધી છે અને તેમના પ્રત્યે માનની લાગણી બતાવેલી છે એટલુજ નહી પરંતુ નેતતાને જરા અંશ પણું કાઈ દશ્યમાં બતાવ્યા નથી. જે મારી અમૃતસરિતા બરાબર ધ્યાનપૂર્વક વાંચતા હશે તે ખરાખર સમજી શકે તેમ છે, લેખક મહાશયના કહેવા પ્રમાણે જે પાંચ પચીસ પતિત સાધુએ છે તેમના વનની નવલકથા લખવા એસ' તે માટી ગ્રંથાવળી બહાર પડે. તે માટે મેં ફકત એકજ પાત્ર એવું કલ્પી જન જનતામાં પતિતવા કેવી રીતે પગપેસારો કરે છે. તેના તે ખ્યાલ આપ્યા છે. લેખકશ્રી મારી અમૃતસરિતા વાંચતા નથી અને કાષ્ઠ વાંચીને કહે છે તે ઉપરથી મોટા લેખ ચીતરી ખેટા આક્ષેપો કરે છે. લેખક તા જાતે વાંચી ખરાબર સમજી તપાસ કરી ફલમ હાથમાં પકડવી જોઇએ. પણ જ્યાં દ્વેષ્મીજ લખવું ત્યાં પછી કલમ ઉપર અંકુશ શી રીતે રહે? વિચાર કર્યાં વિના ખરૂ ખાટુ લખી નાંખવું. પતિત સાધુઓના દાખલા બતાવે છે. પણ મારી અમૃત-સાધુને અને આચાર્યંને સખેાધીને લખ્યા છે તે જરા સ્પષ્ટ રીતે જણાવે. જમાનાવાદી, રોટલાના પુજારી અને બનાવટી આચાય વીગેરે શબ્દોના ઉપમ કાને માટે કર્યાં છે? આમ મેધમ લખી આપ સાધુ સસ્થાને નથી વગે.વી રહ્યા? પોતાનું આવું વન અને અમૃત સરિતા વાંચ્યા વગર ગમે તેવી અધટીત ટીકા કરવી એ શું પત્રકારની નીતિ ગણાય? દેશકાળને માન આપી જૈત કેન્સ રાષ્ટ્રીય હીલ ચાલમાં જોડાઇ તે આને ન પાલવ્યુ. એટલે તેના નેતા ઉપર ગમે તેમ ગાળાને વરસાદ વરસાવી વીરશાસનમાં કૅલમા ભરી રહ્યા છે. તે શુ' આપને ોભે છે? હું તે તે લખાણેામાં તદ્દન દ્વેષ જોઇ રડ્યા . મહાવીર વિદ્યાલય પ્રત્યેના રાષ શબ્દે શબ્દોમાં દ્રાંગોચર થાય છે. જાણે આખા જૈન સમાજ તે જૈન નથી પણ અધર્મી અને નાસ્તિક છે અને પેાતાનુ મંડળ જૈન, ધર્મી અને આસ્તિક છે. એવી પોતાના હાથે આત્મ શ્લાઘા કરવી એ શું ધર્માં પુરૂષનું લક્ષણ છે ? છેવટે લેખક મહાશયને નમ્ર વીનંતી છે કે અમ્રુત-સરિતાના પહેલા ભાગ બહાર પડી ચુકયા છે. ચારસે। પાનાનું પાકા પુત્તુ પુસ્તક છે, કીંમત દેહ રૂપી છે. તે જાતે વાંચી મારા પ્રત્યેના દ્વેષના ચશ્મા દુર કરી શુદ્ધભાવથી અવલાકન કરો, નવલકથા લખવાના ઉદ્દેશ મેં પ્રસ્તાવનામાંજ જણાવેલે છે. અમૃત-સરિતામાં અયોગ્ય દીક્ષના હીમાયતી સાધુએનાં બતાવેલાં પાત્રા અને દ્રશ્યાના ટાપલે આપ શા માટે માથે વ્હારી લે છે? જે કાઇ એવા હશે-પછી તે આ પક્ષના કે બીજા પક્ષના હોય તેમણે તેમાંથી ખેાધ લેવાને છે. સાધુ સંસ્થાની જૈન સમાજની સુધારણા કરવી એજ મારી નવલકથાનો ઉદ્દેશ છે. વીસનગર, ૧૫-૭-૩૦. આ પત્રિકા અંબાલાલ આર. પટેલે સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રાડ, માંડવી, મુબઇ નાં ૩ મધે છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ નાં ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે,
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy