________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક મહત્ત્વનાં ફરમાનપત્રો
સંગ્રાહક-મુનિશ્રી ન્યાયવિજયજી (ગતાંક થી આગળ) (ડ) પાંચમું ફરમાન | ગુજરાત સુબાના હાકેમને માલુમ થાય કે સંતિદાસ ઝવેરી અરજ કરે છે કે આલી દરજ્જાના બાદશાહના હુકમ મુજબ મજકૂર શહેરમાં તેની માલકીની હવેલીઓ, દુકાનો, બીજી મીલ્કત તથા બાગબગીચા છે. આ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે જહાંપનાહ બાદશાહની કચેરીનો એ ઝવેરી તથા ખેરખાહ વેપારી છે. તેથી કોઈ પણ માણસ એ હવેલીમાં જઈ ઉતારો કરે નહિ એવો મનાઇ હુકમ કાઢવો અને એ દુકાનોનું એ ભાડું ઉઘરાવે હેમાં એને કોઇએ અડચણ કરવી નહિ, અને બાદશાહી ફરમાન મુજબ જે બાગ બગીચા એને મળેલા છે તે બાબતમાં કોઈએ કાંઈ દખલ કરવી નહિ.
વળી વિશેષ હુકમ કરવામાં આવે છે કે એ સૂબાના અમલદારોમાંથી કોઈ પણ માણસે કોઈ પણ રીતના કાયદાનું બહાનું કાઢી એની માન મિલકત લઇ લેવાનો પ્રયત્ન એના પ્રત્યે યા એના ફરજનો પ્રત્યે કરવો નહિ, કે જેથી એ તથા એનાં ફરજંદો નિશ્ચિતપણે પોતાના વતનમાં આબાદ થઈ હમારી પાદશાહત હંમેશ ચાલુ રહે એવી દુઆ ખુદા પાસે કરતા રહે.
હમારા આ હુકમથી વિરુદ્ધ યા ઊલટું કોઈએ વર્તવું નહિ. લખું તા. ૨જી નૂર માહ ઈલાહી સને ૮માં લેખની ઉપરના ભાગમાં મહોર સિક્કો શાહજહાન બાદશાહનો છે, અને બીજો સિક્કો દારા શકુહનો છે (હી.સ. ૧૦૪૫) (ઈ) છઠું ફરમાન
આ નીચેનું ફરમાન જહાંગીર બાદશાહ તરફથી નીકળેલું છે. એની નકલમાં કંઈક અક્ષરો પડેલા છે. અને લખ્યા સાલ વગેરે કેટલીક બાબત તેમાં ઉતરી નથી, છતાં પણ પોતાની રૈયતમાં શ્રાવક કોમ પ્રત્યે બાદશાહની કેટલી લાગણી હતી, તે એમાંથી ખુલ્લી રીતે દેખાઈ આવે છે.
આ ફરમાન પોતાના કૂલ રાજની અંદર નીમાએલા હાકેમો, અમલદારો, જાગીરદારો, કચેરીઓ, મુત્સદ્દીઓ, અને આખી ગુજરાતના સુબા પર કાઢવામાં આવ્યું છે. એમાં તેમને જણાવ્યું છે કે પરમેશ્વરની પ્રીતિ ત્યારે જ મેળવી શકાય
For Private and Personal Use Only