________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક મહત્ત્વનાં ફરમાનપત્રો
સંગ્રાહક-મુનિશ્રી ન્યાયવિજ્યજી મોગલકુલતિલક સમ્રા અકબરે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વજી અને તેમના શિષ્ય પરિવારને આપેલાં ફરમાનો કૃપારસકોષ’ અને ‘સૂરીશ્વર અને સમ્રા વગેરે ગ્રંથોમાં પ્રકાશિત થયેલાં છે. તેમજ જહાંગીર, શાહજહાં અને ઔરંઝેબ વગેરેનાં ફરમાનો “સૂરીશ્વરને સમ્રા “શત્રુંજય પ્રકાશ' શત્રુજ્ય મેમોરેન્ડમ, રખોપાના જરૂરી પત્રો વગેરેમાં પ્રકાશિત થયાં છે. હું અહીં કેટલાંક મહત્ત્વનાં ફરમાનોનો પરિચય અને અનુવાદ આપવા ધારું છું.
આ ફરમાન ભાવનગરમાં ભરાયેલી ગુજરાત સાહિત્ય પરિષદના ઈ.સ. ૧૯૨૪ના અધિવેશનના રીપોર્ટમાં પ્રકાશિત થયાં છે. ફારસી ભાષાના સમર્થ અભ્યાસી અને ગુજરાતના સાક્ષરરત્ન શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ એ ફરમાન સંપાદિત કર્યા છે. શ્રી ફોર્બ્સ ગુજરાતી સભાના સંગ્રહમાં કેલીક જૂની સનદો અને જૂનાં બાદશાહી ફરમાનો છે. તે તેમણે ગુજરાતના ઇતિહાસને ઉપયોગી ધારી તેમાં સંપાદિત કર્યા છે.
આ ફરમાનો ગુજરાતના ઇતિહાસમાં જેમ ઉપયોગી છે, તેમજ જૈનધર્મના પ્રભાવ ઉપર પણ સુંદર પ્રકાશ પાડનારાં છે. મુસ્લીમ સમયમાં અને તેમાંયે મુગલાઈ જમાનામાં જૈનધર્મમાં પ્રાભાવિક આચાર્યો અને પ્રાભાવિક શ્રાવકો કેવા હતા તેનો ખ્યાલ આ ફરમાનો આપે છે. હું પહેલા સંક્ષેપમાં તે ફરમાનોનો પરિચય આપીશ અને પછી મૂળ ફરમાનોનો અનુવાદ આપીશ, જેથી વાચકો તેને બરાબર સમજી શકે.
પહેલું ફરમાન જનરલ ગોડાર્ડનું છે. એક વિજયી સેનાપતિ પોતાના વિજયપ્રવેશ વખતે પ્રજાને જે આશ્વાસન અને શાંતિ આપે છે તે આ ફરમાનમાં છે. દરેકે વિજયી સેનાપતિ આવાં જ જાહેરનામાં બહાર પાડે છે. અંગ્રેજોએ અમદાવાદમાં પ્રવેશ કરતાં આ ફરમાન બહાર પાડ્યું હતું. અમદાવાદની જનતાને આ ફરમાન જાણાવે છે કે “અમદાવાની રૈયતે શાંતિથી રહેવું અને પોતાનું નિયમિત કામકાજ કરવું. તેમને તેમના કામમાં કોઈ ખલેલ નહિ પહોંચાડે”. હીજરી સં. ૧૧૯૪માં આ ફરમાન બહાર પડ્યું છે, તા. ૫ મહિનો સફર. આ ફરમાનમાં સંવત મુસલમાની આપ્યો છે. અને મહોરમાં શાહઆલમનું નામ છે, જે વાચકો ફરમાનથી જોઈ શકશે.
For Private and Personal Use Only