________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
जुलाई-२०१६ જીવોમાં રહેલા સત્તાએ પરમાત્મપણાને પૂજવું, માનવું અને તેને આચારમાં મૂકી આદર્શ પુરૂષની પેઠે ખરા પૂજક તથા અભેદોપાસક બનવું જોઈએ.
માતાનો સ્વભાવજ એવો હોય છે કે પુત્રના દોષો તરફ દૃષ્ટિ ન દેતાં તેના મલનું પ્રક્ષાલન કરવું અને તેનામાં આત્મપણું જોવું. આવી વારસામાં મળેલી દૃષ્ટિને આગળ કરીને સર્વ જીવોમાં કર્મથી પ્રગટેલા દોષો તરફ દૃષ્ટિ ન રાખતાં તેઓનામાં સત્તામાં રહેલા પરમાત્માને દેખવા અને પૂજવા. પૂજા, સેવા, ભક્તિ, સત્કાર, શુદ્ધ પ્રેમ, ઐક્ય, સદ્વર્તન અને ખરી પરમાત્માની ઉપાસના ખરેખર સર્વત્ર જીવોમાં સત્તામાં રહેલા પરમાત્માને દેખવા, માનવા એજ છે.
અનન્ત ભવનાં કરેલાં પાપનો ક્ષય કરવાનો મુખ્ય સરસ ઉપાય આવી અભેદોપાસના છે. પરમાત્માની સાથે સર્વત્ર પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માને દેખીને તથા પોતાનામાં સત્તાએ પરમાત્મા દેખીને તેની સાથે ઐક્ય કરવું એજ ખરેખરી અભેદોપાસના હથેળીમાં મોક્ષ દેખાડનાર છે. | સર્વ જીવોમાં સત્તાએ પરમાત્માઓ છે તેથી તેઓ સત્તાની અપેક્ષાએ સિદ્ધના ભાઇઓ છે. આમ અવબોધ થયા પશ્ચાત્ સર્વ જીવોની રક્ષા કરવા પોતાનામાં દયા ઉત્પન્ન થાય છે, અને અનન્ત કાલથી તે જીવોની સાથે બંધાયેલાં વૈર ટળે છે અને સર્વ જીવોમાં આત્મત્વભાવ પ્રગટે છે, તેથી સર્વ જીવોની સાથે નીતિને અનુસરી વર્તન કરી શકાય છે.
વ્યવહાર નત્યની ઉત્તમત્તાનો વિવેક દર્શાવનાર બીજભૂત સંગ્રહનય છે. સર્વ જીવોમાં સર્વ પ્રસંગોમાં સત્તામાં રહેલું પરમાત્મત્વ જાણવાનું અને દેખવાનું બને એવું તીવ્ર સ્મરણ રહે એવો શુદ્ધોપયોગ વધારવાની ખાસ જરૂર છે. સર્વ જીવોમાં સત્તામાં રહેલું પરમાત્મત્વ દેખીને તેનું ધ્યાન ધરનાર મુનિવરને આખી દુનિયા પોતાનામાં અને સર્વ જીવોમાં પોતાને દેખવાનો ભાવ પ્રગટે એ સ્વાભાવિક છે. સર્વ જીવોમાં સત્તાએ સિદ્ધત્વ દેખવાનું ધ્યાન ધરવાથી આખું જગત્ જુદી જ દૃષ્ટિથી દેખાય છે અને તેનો અપૂર્વ અનુભવ આવે છે. આવી સ્થિતિ પરિપક્વ થવાથી સમતભાવ સામાયિક પ્રગટે છે, કહ્યું છે કે
जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य॥ तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१॥
જે ત્રસ અને સ્થાવર સર્વ જીવો પર રાગ અને દ્વેષ પરિણામ રહિત સમભાવી છે તેને કેવલી ભાષિત સામાયિક હોય છે. કર્મયોગે જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. તેઓની ઉત્તમતાનો ખ્યાલ આત્મજ્ઞાનથી થાય છે અને તેથી સર્વજીવો પર
For Private and Personal Use Only