________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवम्बर-२०१५
૧૨ા
I૧૩
૧૪
૧પા
TI૧૬ll
श्रुतसागर
નથી આચારમાં ઉત્તમ, જરા ના ધર્મની પરવા; કરો છો ચિત્તમાં આવ્યું, વિચારી લો સ્વયં કેવા. બની ઉદ્ધત કરો ભૂંડું, અવિચારી અનાચારી; ગુરૂઓની કરી નિન્દા, વિચારી લો સ્વયં કેવા. ગુણો લેવા નથી ઇચ્છા, નથી વાચન સુશાસ્ત્રોનું; સુણે નહિ સત્તની વાણી, વિચારી લો સ્વયં કેવા. સમય ગાળો નિરર્થક બહુ, સ્વપરની ઉન્નતિ ના કંઈ; નથી પરમાર્થની વૃત્તિ, વિચારી લો સ્વયં કેવા. નથી શ્રદ્ધા ગુરૂની ચિત્ત, કર્યો ઉપકાર વાણીમાં, કરો ઉપકારપર અપકાર, વિચારી લો સ્વયં કેવા. બનીને સ્વાર્થનાં ગીધો, અવરનાં ચિત્ત ચૂસો છો; અવરને આળ ઘો કૂડાં, વિચારી લે સ્વયં કેવા. ધરી કેદારનું કંકણ, બિલાડીસમ કરો ભક્તિ; હૃદયમાં દોષની પોઠી, વિચારી લો સ્વયં કેવા. ઉપરથી ધર્મીનો ડોળજ, ગયા ના દોષ અત્તરના, ગમે તેવું ધરાવો નામ, વિચારી લો સ્વયં કેવા. ફસાશે ફન્દમાં અજ્ઞો, જણાશે અન્તમાં સાચું; કરો છો પુણ્ય કે પાપજ, વિચારી લો સ્વયં કેવા. કરો તે ચિત્તથી ના ગુપ્ત, વિચારો તે સ્વયં જાણો, બુદધ્યબ્ધિ” સત્ય દૃષ્ટિથી, વિચારી લો સ્વયં કેવા.
|| ૐશાન્તિઃ ૩
11શા
TI૧૮
|૧૯ો
૨૦ાા
૨૧
For Private and Personal Use Only