________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સેવા
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી
ગામેગામે નગરનગરે સર્વ જીવો પ્રબોધું, દેશોદેશે સકલ જનના દુઃખના માર્ગ રોધું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, સેવું ફર્ડે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. ૧
દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુઃખથી આંસુડાંને, હૂંવાં એવું જગ શુભ કરૂં કો ન ૨હે દુ:ખડાં એ; આત્મોલ્લાસે સતત બલથી સર્વને શાંતિ દેવા, ધારૂં ધારૂં હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વસેવા. ૨
સર્વે જીવો પ્રભુ સમ ગણી સર્વ સેવા કર્યામાં, સર્વે જીવો જિન સમ ગણી પ્રેમ સૌમાં ધર્મમાં; સેવા સાચી નિશદિન બનો સર્વમાં ઇશ પેખી, સૌમાં ઐક્યે મનવચથકી શ્રેષ્ટસેવા જ પેખી. ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારૂં સૌનું નિજ મન ગણી સર્વનું તેહ મ્હારૂં, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારૂં; સેવાયોગી પ્રથમ બનશું સેવના મિષ્ટ વ્હાલી, એમાં શ્રેયઃ પ્રગતિબળ છે આત્મભોગે સુપ્યારી. ૪
સેવામંત્રો નિશદિન ગણી દુઃખીનાં દુઃખ ટાળું, સેવાતંત્રો નિશદિન રચી દુઃખ સૌનાં વિદારૂં; સેવાયંત્રો પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાખ્યું, મ્હારૂં હારૂં સહુ પરિહરી સેવનામાં જ મારું. ૫
સેવા પ્રકટ કરવી આત્મશક્તિ પ્રયોગે, સેવા સાચી નિશદિન કરૂં રાખીને આત્મભોગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળો યોગમાર્ગે વિહારી. ૬
સ્વાર્થોના સૌ પટલ ટળતાં સર્વ સેવા કરતાં, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખો હરતાં; સેવાના સૌ અનુભવ મળો બંધનો દૂર જાઓ; આત્મોલ્લાસે પ્રગતિપથમાં સેવનાઓ કરાઓ. ૭
For Private and Personal Use Only