SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ' t 1: રાષ્ટ્રસંત પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વલસાગરસૂરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી) ધર્મ ભયથી મુક્ત બનવા માટેના બે મુખ્ય માર્ગો છે: (૧) લૌકિક ઘર્મ, (૨) લોકોત્તર ધર્મ. જે ધર્મકાર્ય માં ફળની ઇચ્છા રહેલી છે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે, પરંતુ તે ધર્મ નથી, ભવોભવની પરંપરા છે. જ્યાં કોઈ આશા રહેતી નથી, માત્ર નિર્વેદ છે, તે ધર્મ છે. જ મા જ્યારે બાળકને સ્તનપાન કરાવે છે, ત્યારે કપડું ઢાંકી રાખે છે; કેમકે બાળકને નજર ન લાગે તેવી રીતે ધર્મક્રિયાનો દેખાવ ન કરવો, તેમાં ગુપ્તતા જાળવવી, નહીંતર કર્મની નજર લાગી જાય. જીવનમાં ધર્મ ન હોય તો શરીર પડદા સમાન છે. એકલું શરીર પરોપકાર કે કલ્યાણ કરી શકતું નથી. છે જ્યાં મૈત્રીનો અભાવ હોય ત્યાં ધર્મ રક્ષા નથી આપતો. ભવવિરહની સંપૂર્ણતા જીવનમાં ત્યારે લાગે છે કે જ્યારે સંયમ સિવાય ભવની સંપૂર્ણતા થતી નથી. આથી સાચું જ કહેવાયું છે કે ગૃહસ્થજીવનમાં ધર્મ કર્યા વિના ભવની પૂર્ણતા મળતી નથી. પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે. હૃદય અનુકંપાથી ભરાઈ જાય, સમ્યગદર્શન દઢ થાય ત્યારે ધર્મ લોકોત્તર સુખ દેવાવાળો બને છે. ધર્મનું મુખ વિનય છે. તેમાં આગળ વધો, જીવનને સક્રિય બનાવો, ને લક્ષ્ય સુધી પહોંચો. મૈત્રીભાવ, કારુણ્યભાવ, પ્રમોદભાવ, માધ્યસ્થભાવ-એ ચાર ભાવ ધર્મના ચાર આધારસ્તંભ છે. આ ચાર ભાવથી ધર્મનો સંપૂર્ણ પરિચય થાય છે. છે. જો તમારે ધર્મમય લગ્ન બનાવવું હોય તો લગ્ન વખતે ઉદાસીન ભાવ રાખવો, વિકાર જરાપણ થવા દેવો નહીં, ધામધુમ ન કરવી, પરણવા જતી વખતે પરમાત્માનું ચિંતન મનમાં કરવું ને “સર્વ સંસારનો ત્યાગ કરવો છે પણ ન છૂટકે પરણવું પડે છે એવી ભાવના રાખવી. For Private and Personal Use Only
SR No.525283
Book TitleShrutsagar Ank 2013 10 033
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy