________________
'૬૦
સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મળો જે ઉપાદાન એ શુચિ ન થાશે, દોષ કો વસ્તુનો અથવા ઉદ્યમ તણું
સ્વામી સેવા સહી નિકટ લાશે. ઉત્તમની ખામી જોઈ; પણ હજ આપણે ડગ પણ માંડયું નથી એટલે વિશેષ આત્માવલોકન કરવું જ જોઈએ ને? આત્મલક્ષી–આત્મનિંદાના કાવ્ય અનુકૂળ બને. જુઓ :
રાગ હે ભ, મોહ ઘરી નો લોકની રીતમાં ધણું એ રાતો, કોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રઓ ભમો ભવમાંડી હું વિષયમાતો,
તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણ. આત્મનિંદા માટે તો જનોમાં પ્રચલિત “રત્નાકર પચ્ચીશી' જેવી જોઈએ. આખી રચના આપણા હીણપતભર્યા કર્તવ્યની નિંદા કરતી છે. એકાદ કડી તપાસીએ: રચના હરિગીત છંદમાં છે.
હું ક્રોધ અગ્નિથી બન્યો વળી લોભ સર્ષ થયો મને ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને? મન મારું માયાજાળમાં મોહન! મહા મૂંઝાય છે,
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ધણું ચગદાય છે. ક્રોધ, લોભ અને માનને માટે યોજેલાં અનુક્રમે અગ્નિ, સર્પ અને અજગરનાં રૂપકો તેમ જ વર્ણનપ્રાસ અલંકારથી રચના વધુ આકર્ષક બની છે.
કદાચ સવાલ થશે કે ઈશ્વર તો સર્વા છે. એટલે આપણાં દરેક કર્તવ્યોનો હિસાબ તો એની પાસે જય જ; તો પછી આપણે બયાન કરવાની શી જરૂર? બયાન કરવાની જરૂર છે કારણ આપણું આવાં Gોટાં કર્તવ્યોથી આપણું મન ભરાઈ ગયું હોય છે. આપણું દિલ હળવું બને એટલા માટે અગર તો આપણું મન ભરાઈ આવે ત્યારે આપણા દિલની વાત આપણુ નિકટના સનેહીને કહીએ ત્યારે જ નિરાંત થાય એવા માનવસહજ સ્વભાવને “રત્નાકર પચીશી ની શરૂઆતમાં જ કવિએ આલેખ્યો છે?
“જાણે છતાં પણ કહી અને હું હૃદય આ ખાલી કરું' તદુપરાંત વિરને પ્રીતમ તરીકે સ્વીકાર્યો છે. એટલે પ્રેમ તો પોતાના પ્રિયતમને અથથી ઈતિ સુધીનું બધું વર્ણન કરે જ ને? મોહનવિજયજી પણ કહે છે:
અંતર્ગતની પ્રભુ આગળ કહું ગુંજ જે,
પ્રીતલડી બંધાણી રે અજિત જિણું છું. ઉપરની આત્મનિંદામાં તો ભૂલનો એકરાર છે. પણ કુમારપાળવિરચિત (અનુઅમૃતસરીવરજી મહારાજ) આત્મનિંદામાં દુર્લભ માનવદેહ મળ્યા પછી સચેતન ન થયા, હાથ ધોઈ નાખ્યા, તેનું આલેખન છે:
બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ હું સંચય, થઈ પુરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો. પણ પાપકર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org