________________
૨૫૯
તો એથી ઊલટું, મુક્તિની–એના એકાદ અંશની પણ પરવા કર્યા વિના ભક્તિ-રંગમાં જ રચ્યાપચ્યા રહેવાનું મહોપાધ્યાયજીને સૂઝે છે, જેથી ચમક પાષાણની માફક મુક્તિ આપોઆપ ખેચાઈને મળે. જુઓ :
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહશું સબલ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જિમ લોહને ખીચશે મુક્તિને સહજ મુજ ભક્તિ રાગો.
ઋષભ જિનરાજ મુજ આ તો વાત થઈ જેને અપૂર્ણતા સાથે પ્રતીતિ પ્રગટી નથી, પણ જેને અપૂર્ણતા સાથે સંપૂર્ણ શ્રદ્ધા હોય તેની શી દશા છે તેની. પણ જેણે ઈશ્વરને નાય કર્યો છે, જે સનાથ છે, એમનું હૃદય કેવું પુલકિત છે એ આપણે મોહનવિજયજીની પંક્તિમાં જોઈએ:
તારતા તુજ માહે રે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીનદયાળ જે, તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે શું ઘણું કહીએ જાણુ આગળ કપાળ જે
પ્રીતલડી બંધાણી રે અજિત જિર્ણદ8 આવી જ ભાવનાને ઉપાલંભ સ્વરૂપે ચિદાનંદજીએ નીચેના શબ્દોમાં આલેખી છે?
જગતારક પદવી લહી તાર્યા સહી હો અપરાધી અપાર, તાત કહો મોહે તારતા કિમ કીની હો ઈણ અવસર વાર?
પરમાતમ પૂરણ કળા. ૫૦ વીરવિજયજી પણ આમ જ કહે છે. કદાચ ઈશ્વર પાસે માગણું તો કરીએ અને ન આપે તો? - તો લાજ-મર્યાદા ગુમાવવી પડે એટલે ઉપાલંભ સ્વરૂપે કહે છે:
દાયક નામ ધરાવો તો સુખ આપો રે
શિવતરુની આગે ૨ થી બહુ માગણી ? જ્યારે મહોપાધ્યાય યશોવિજયજી તે ઘડીક પણ સંગ ન તજવાનું કહે છે. ગુણીજનને ગુણ ધરાવતી વ્યક્તિ સાથે જ હાર હોય ને! સંગનો રંગ કેવો લાગ્યો છે તે જુઓ :
કોકિલ કલ કૂજિત કરે પામી મંજરી હો પંજરી સહકાર, ઓછાં તરૂર નવિ ગમે ગિર શું હો હો ગુણનો પાર,
અજિત જિર્ણોદશું પ્રીતડી. વનપ્રાસ અને ઉપમા અલંકાર કાવ્યની ગુંજાશમાં ઑર વધારો કરે છે.
આવા મીઠા ઉપાલંભ તો જેણે સિદ્ધિ સાધી હોય એવા મહાપુરુષો આપી શકે. પરંતુ આપણી જેવા સામાન્ય માણસો ગમે તેવા ભક્તિમાં લીન હોઈએ છતાં નિખળ જઈએ તો? તે આત્મનિરીક્ષણ જ સંભવે ને? દેવચંદ્રજી કહે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org