SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કારત્વના ચોકઠામાં મૂકી મતિયતા અર્પે છે. આ જ્ઞાન તે એસ્પિરિકલ નોલેજ. ઇન્દ્રિયો દ્વારા જેમની સામગ્રી મળતી નથી એવા વિષયો જે હોય તો તે મતિ જ્ઞાનની બહાર છે. આ વિચારસરણી આગળ વધતાં અયવાદ(એગ્નોસ્ટિસિઝમ) અને જ્ઞાનોપવિવાદ(પિસિઝમ)ને પ્રકટ કરે છે. એમાંથી બચવાની ઇચ્છા, વિજ્ઞાનનું સંભાવ્યતાનું (પ્રોબેબિલિટિનું) ધોરણ ઊભું કરે છે. પણ વિજ્ઞાન(સાયન્સ) અતીનિયજ્ઞાનને અવગણે છે, તો બીજી દિશામાં અતીન્દ્રિય વિષયો પર આસ્થા અને ઇન્દ્રિય વિષયો પર અતિસંગત તર્કવાદ-રેશનાલિઝમનો માર્ગ સ્વીકારીને સાંસારિક અને પારલૌકિક વ્યવહાર સુગમ બનાવાય છે; અર્થાત સાંસારિક વ્યવહાર ઈન્દ્રિયો દ્વારા મળતી સામગ્રીને મતિ જે જ્ઞાનરૂપ આપે તેને આધારે ચાલે છે, ધાર્મિક કે પારલૌકિક વ્યવહાર પરંપરાગત કે પોતે વિચારપૂર્વક સ્વીકારેલી આસ્થાઈથ) ઉપર નિર્ભર છે. આ વિચારસરણીઓમાં એક બાબત સંમત છે? આત્મા, ઈશ્વર આદિ વિષયો મતિગમ નથી – ભલે એમને આસ્થાનો વિષય બનાવો. એ આસ્થાનો આધાર શાસ્ત્રગ્રંથો છે, શાસ્ત્રગ્રંથોની પ્રામાણિકતાનો આધાર તે ઈશ્વરપ્રકાશિત છે અથવા સર્વાભાષિત છે એવી કોઈ માન્યતા ઉપર છે. પરંતુ આવી માન્યતા પણુ આસ્થાને જ અવલંબે છે. આવી સમગ્ર વિચારસરણી માટે પણ મતમતાંતર અપરિહાર્ય છે, કારણ કે માણસ પોતાની ઇન્દ્રિયશક્તિના અને બુદ્ધિશક્તિના માપમાં મળતા જ્ઞાનને પોતાનું જ્ઞાન સમજી પ્રત્યક્ષત વ્યવહાર કરે; પરંતુ આસ્થા એ પરોક્ષ છે. એને પરંપરાના બળે માનવ વળગી રહે–અર્થાત કે રાગદેષને આધાર–પોતાની પરંપરાગત આસ્થા સાચી, બીજાની જડી, એ રીતે. કજિયાનું મોં કાળું' એવું વ્યવહારશીપણું અથવા “આ કહે છે એ સાચું અને તે કહે છે એ સાચું' એવા પ્રકારનું મતિમાન્ડ એક પ્રકારનું માધ્યર્થ કે સમત્વ પ્રકટાવી શકે છે અને એને વળગી રહી શકે છે, અને વ્યવહારમાં ઝગડા ટાળી શકે છે. બીજું એક માનસિક સમતવ પણ સંભવે છે: એક્ટ વિચારસરણી સળંગ સાચી નથી, દરેકમાં અંશતઃ સત્ય અથત વ્યવહારક્ષમતા હોય છે અને વ્યવહારક્ષમ તે સત્ય એટલે કોઈ એક વિચારસરણીએ બીજી કોઈ વિચારસરણી ઉપર આક્રમણ કરવું નિરર્થક છે– એવા ખ્યાલ પણ સમત્વ રખાવી શકે છે. આ બધું સમત્વ આભાસ છે, સમત્વ નથી. સાચું સમજવ તો વસ્તૃસત્યમાં એવું દર્શન થાય કે વ્યવહારમાં વિવિધ અને વિરુદ્ધ દેખાતું અવિરહ છે, એક છે. એમ એ દેખાય તો જ સમત્વ સહજ રીતે આવે. પરંતુ આ જાતના દર્શનને પાશ્ચાત્ય જ્ઞાનતત્વની ફિલસૂફીમાં (એપિએમૉલૉજીમાં સ્થાન નથી. એને મિસ્ટિસિઝમ નામે કાં તો આવકાર્યું છે કે બહુધા અવગયું છે. આ હકીકતમાં ઇન્દ્રિયગમ્ય વિષયસામગ્રી ઉપરથી મતિએ ઊપજાવેલા જ્ઞાનની (એપૂિરિલ નોલેજની) આ મર્યાદા છે; અને જેઓ એમાંથી બહાર જઈ શકતા નથી અથવા એમાં જ સંતુષ્ટ છે તે બધાની આ મર્યાદા છે; “આસ્થાને એમાં સ્થાન આપી અમુક આશ્વાસન મેળવી આતમા, ઈશ્વર, સત્ય, ધર્મ આદિ પદાર્થોનો વ્યવહાર જેકે કરી લેવાય છે. પરંતુ એમાં કોઈ સત્યપ્રતિષ્ઠાનું દર્શન છે એમ કહેવાય નહિ. શા તત્વના પૃષકરણ ઉપર ઉભા થયેલ એક ઉપારસરણી મેટાબ્રકસ માત્રને non-sense અછત * અનર્ધક કે વર્ષ ગણે છે. સહજ અવતત્વની એક્ઝટન્સની વર્તમાન રાજકીય વિચારસરાણીનો એ પાર ક તર છે; બીજે પાર એ દે-જે અમારી સામ્યવાદી કે મૂડીવાદી લોકશાહી જ સાચી છે, છતાં રસાત્મક ઝગડામાં અત્યારની હતિમાં સર્વનાશ હોવા પરસ્પરને પૂરવી ઉપર સાપે છવવા જેવાં અને વિચારસરણીઓને પોતાનું બાળક માટ કરવા રવું, વિષારની ભૂમિકા પર ક, ભૌતિક બળની નહિ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525040
Book TitleSramana 2000 01
Original Sutra AuthorN/A
AuthorShivprasad
PublisherParshvanath Vidhyashram Varanasi
Publication Year2000
Total Pages232
LanguageHindi
ClassificationMagazine, India_Sramana, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy