SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ મધુસૂદન ઢાંકી Nirgrantha ભદ્રમાને લગભગ ૭૪ ફીટ અને ઊર્ધ્વમાને તેનું લગભગ ૧૩૦ ફૂટ જેટલું વિશાળ અને ઉન્નત–પ્રભાસમાં કુમારપાળે ઈ. સ. ૧૧૬૯માં બંધાવેલા સોમનાથના કૈલાસમેરુ પ્રાસાદનું સમકક્ષ-કદ જોતાં, તેમ જ પ્રાસાદના તેમ જ ગૂઢમંડપના મંડોવરના યથાસ્થિત ઘાટડાંઓ, શોભનમંડિત બે ભિટ્ટો, રૂપમંડિત કુમ્ભાદિ એવં તલજંઘા અને ઊર્ધ્વજંઘા જેવાં પ્રતિમાયુક્ત સ્તરો (ચિત્ર ૧), તથા રથિકાયુક્ત શિખર પરની સૂક્ષ્મ કોણી દર્શાવતી જાલક્રિયા (ચિત્ર-૨૩) જોતાં, તેમ જ ગૂઢમંડપની ભીંતો પરની કોરણી તેમ જ માતબર સંવરણા (ચિત્ર ૪)ને ધ્યાનમાં રાખતાં કારાપકને દ્રવ્યની ખોટ હોવાનું તો જરાયે જણાતું નથી. ગુજરાતના અસ્તિત્વમાન સોલંકીયુગીન મંદિરોમાં આજે તો આ સૌથી મોટું મંદિર છે. (લેખકો એમની યુક્તિની સામે જતા આ અનેક સ્પષ્ટરૂપે દૃશ્યમાન મુદ્દાઓનો ઉલ્લેખ કરતા નથી !). અહીં પ્રાપ્ત થતી પરિસ્થિતિની તુલનારૂપે એક સમકાલીન દાખલો યાદ આવે છે. કુમારપાળના મસ્ત્રી વાભેટે શત્રુંજય પરના આદિનાથના જૂના મંદિરને કાઢી નાખી તેને સ્થાને પ્રાય: (બાવન) ફૂટ પહોળો સાંધાર જાતિનો પ્રાસાદ ઈ. સ. ૧૧૫૫/૧૧૫૭માં કરાવેલો. તે પ્રાસાદનાં (અને તેના ગૂઢમંડપનાં) હાલ તો દબાયેલી) પીઠ તથા મંડોવરનો રૂપખચિત મોટો ભાગ હજી સાબૂત છે, અને ત્યાં પણ ગજાશ્વનરપીઠો છોડી દીધી છે. આ કારણસર મહત્તમ લાભટ્ટ પાસે પૂરતું દ્રવ્ય નહોતું તેમ તો કહી શકાય તેમ નથી : શત્રુંજયની તળેટીમાં તેમણે કુમારપાળના નામ પરથી “કુમારપુર' નામક પ્રાકારયુક્ત વસાહત અને તેમાં રાજાના પિતાના નામ પરથી ‘ત્રિભુવનપાલ વિહાર' બંધાવેલો; તે પછી ધોળકામાં પિતા ઉદયન મત્રીના નામ પરથી ચતુર્વિશતિ દેવકુલિકાયુક્ત વિશાળ “ઉદયનવિહાર' બંધાવેલો. આ બધું કરાવનાર મસ્ત્રી પાસે પૂરતા પૈસા ન હોવાથી શત્રુંજય પરના સ્વકારિત મોટા મંદિરની પીઠ યથાર્થ ઘાટ-સ્તરોવાળી કરાવી શકેલ નહીં તેમ કહી શકાય ખરું ? ત્યાં, અને તારંગામાં–બન્ને પર્વતીય સ્થળો પર–પીઠની ઊંચાઈ અને સ્તરો ઘટાડવા પાછળ કોઈ અન્ય જ કારણ જણાય છે, જે અલબત્ત અન્વેષણીય છે. અને સ્થાપના-લેખની આજે અનુપસ્થિતિથી કુમારપાળે તારંગાનો મહાપ્રાસાદ બંધાવ્યો ન હોય તેવો સંશય ઊભો થતો જ નથી. બીજી બાજુ જોઈએ તો, શું દંડનાયક (કે મંત્રી) પ્રાસાદ બંધાવે તો ત્યાં એનો પ્રશસ્તિલેખ ન હોઈ શકે તેવો કોઈ નિયમ છે ? લેખ મોજૂદ નથી તો સાહિત્યિક પ્રમાણો તો છે જ ! ૩. વિદ્વાનો હવે તેમના કથનના હાર્દની સમીપ આવતાં લખે છે : “પ્રભાવકચરિતમાં નોંધાયેલી પરંપરા કુમારપાળના મરણ પછી આશરે એક સદી પછી પ્રચલિત થઈ હતી. એ વર્ષમાં [sic] પરંપરામાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે એ વિચારને કુમારપાળ પ્રતિબોધના લેખક સોમપ્રભનું સમર્થન મળે છે. સોમપ્રભે કુમારપાળ પ્રતિબોધ વિ. સં. ૧૨૪૧ = ઈ. સ. ૧૧૮૫માં તૈયાર કરેલો હોઈ અજિતનાથનું દેરાસર જો કુમારપાળે બાંધ્યું હોય તો તેના અવસાન પછી અગિયાર વર્ષે તે રચાયો તેમાં સોમપ્રભે બીજી પરંપરા દર્શાવી છે.” ત્યાં “......દંડનાયક અભયદેવે અજિતનાથના દેરાસરને બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ દંડનાયક અભયદેવની જસદેવના પુત્ર તરીકે નોંધ મળે છે. આમ કુમારપાલના જીવનની નજીકમાં લખાયેલા તેના પ્રતિબોધના જ આલેખનમાં આપેલી બીજી પરંપરામાં અજિતનાથના ચૈત્યની રચનાનું શ્રેય દંડનાયક અભયદેવને આપેલું.....”૧૪ છે. અવલોકન :- આમાં બે મુદ્દાઓ રહેલા છે અને બન્ને અંગે સ્પષ્ટતા થઈ જવી જરૂરી છે : એક તો એ કે સમ્બદ્ધકર્તા દંડનાયકનું અભિધાન લેખકો કહે છે તેમ “અભયદેવ” નહીં પણ “અભયદ” હતું. સોમપ્રભાચાર્યે તો “અભય” નામ એટલા માટે બતાવ્યું છે કે “અભયદ” (વા પ્રાકૃત રૂપે “અભયડ”) લખવા જાય તો છત્ત્વનો માત્રામેળ તૂટે તેમ હતું. પરંતુ મૂળ નામ ““અભયદ” હતું તેમ માનવાને બે પરોક્ષ અને એક સીધું પ્રમાણ ઉપલબ્ધ છે. સં૧૩૦૫ ઈ. સ. ૧૨૪૯માં રચાયેલ બ્રહખરતરગચ્છગુર્નાવલીના Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy