SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. II-1996 તારંગાના અહંતુ અજિતનાથના... ૮૯ પ્રસ્તુત સ્તુતિમાં મંત્રી તેજપાલ કારિત અબુંદપર્વતસ્થ નેમિનાથ (ના ભવનનો) તેમ જ આરાસણના સંભવનાથ જિન(ના આલયનો) ઉલ્લેખ હોઈ તેની રચના ઈ. સ. ૧૨૩૨ બાદની જ હોવી ઘટે : તો પછી પ્રસ્તુત જિનચન્દ્ર તે ખરતરગચ્છીય જિનચન્દ્રસૂરિ તૃતીય (આચાર્યપદ ઈ. સ. ૧૨૮૫, મૃત્યુ ઈ. સ. ૧૩૨૦) હોવાનો પૂરો સંભવ છે. એમની ઉપરકથિત પ્રાકૃત રચના ઈ. સ. ૧૩૦૪ના મુસ્લિમ આક્રમણ પૂર્વની હોવી ઘટે. આમ જિનચન્દ્ર રાજગરીય પ્રભાચન્દ્રાચાર્યના લઘુવયસ્ક સમકાલિક આચાર્ય જણાય છે. પ્રસ્તુત જિનચન્દ્રસૂરિનું કાર્યક્ષેત્ર પ્રધાનતઃ રાજસ્થાન હતું, અને તેમણે જે લખ્યું છે તે પ્રભાચન્દ્રાચાર્યના કથનના આધારે લખ્યું હશે તેના કરતાં તે કાળે જ્ઞાત–સર્વસુવિદિત પારંપારિક તથ્ય–ના આશ્રયે, એવું સ્વગચ્છની પરંપરા અનુસાર, કહ્યું હશે તેમ કલ્પવું વધારે ઠીક જણાય છે. વિશેષમાં જિનચન્દ્રસૂરિના સમકાલિક નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચા પણ પ્રબન્ધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ ઈ. સ. ૧૩૦૫)માં (અન્ય અને વિશિષ્ટ સન્દર્ભમાં) તે જિનાલયને કુમારપાળ કારિત જ માન્યું છે : અને ત્યાં પ્રભાવકચરિતના કથનથી વેગળો જ વિષય હોઈ તેનો આધાર પણ કર્તાને જ્ઞાત આનુશ્રુતિક પરમ્પરા જ જણાય છે. બીજી વાત એ છે કે પ્રભાચન્દ્ર પણ જ્યારે (ઈ. સ. ૧૨૭૭માં) મંદિરના નિર્માતારૂપે કુમારપાળનું નામ આપે છે ત્યારે તેઓ તવિષય સમ્બદ્ધ પોતાના સમયમાં જે લેખિત તથા મૌખિક અનુશ્રુતિ જાણમાં હશે તેને આધારે લખતા હોવાનો સંભવ મોટો છે. આથી આવી માન્યતાની શરૂઆત તેમણે લખ્યું તે વર્ષમાં જ થઈ હોવાની કે બહુ તો તેમનાથી થોડાંક જ વર્ષો પૂર્વે થઈ હોય) તેમ દૃઢપણે માનવાને કારણ નથી. વધુમાં વધુ તો એ જુદી જુદી શક્યતાઓમાંની એક હોઈ શકે; બીજી બાજુ પ્રબન્ધાદિ કર્તાઓનું સન્દર્ભગત કથન નક્કર હકીકતની ભૂમિકા પર મંડાયેલું હોવાનો સંભવ પણ એટલો જ બલવત્તર છે. મંદિરની પ્રશસ્તિનો લેખ, જે મૂળે હશે જ, તે આજે ઉપલબ્ધ નથી, પરંતુ તેમણે લખ્યું છે તે અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણ અને વિધ્વસ પૂર્વેની સ્થિતિ રજૂ કરતું હોઈ, તેમના સમયમાં તો તે મોજૂદ હોવાનો પૂરો સંભવ છે, અને તે અભિલેખની સામે જઈ, મંદિર જો કુમારપાળનું બંધાવેલું ન હોય તો પણ ધરાર તેને નામે ચડાવી દેવાની ચેષ્ટા કે સાહસ તેઓ કરે નહીં. અહીં આગળ થનાર ચર્ચામાં આ વાત વિશેષ સ્પષ્ટ બની રહેશે. ૨. વિદ્વાન લેખકો આગળ ચાલતાં કહે છે : “પરંતુ અજિતનાથના દેરાસરની પ્રમાણમાં સાદી જગતી તથા તેની કામદ પીઠની રચનામાં કંઈક આર્થિક સંકડામણના અંશો હોવાનું શિલ્પગ્રંથોને આધારે સમજાવતાં [sic] તેમ જ દેરાસરમાં સમકાલીન લેખનો અભાવ જોતાં સંશય પેદા થાય છે કે ઉપર્યુક્ત પરંપરા બરાબર છે કે કેમ ?” અવલોકન :- અજિતનાથના મંદિરને જગતી તો સાવ સાદી, ઘાટડાં વગરની, અને નામ માત્રની કહેવાય ૧૦ મંદિરની માંડણી વિશાળ ઉત્તાનપટ્ટ (ફરસબંધી) યુક્ત પ્રાંગણમાં થયેલી છે. તેની પીઠ, પ્રાસાદનાં જાતિ એવું માનાનુસાર, અષ્ટાંગ હોવી જોઈતી હતી પણ તેમ નથી તે હકીકત છે. વાસ્તુ ગ્રન્થ અપરાજિતપૃચ્છા (પ્રાયઃ ઈસ્વી ૧૧૭૮-૧૨૨૦)માં એવું વિધાન અવશ્ય અપાયેલું છે કે ઓછું ધન હોય તો પીઠમાં ગજ, અશ્વ, અને નરપીઠ સંભવી શકતાં નથી : યથા" : गजाश्वरनरपीठाद्यमल्पद्रव्ये न संभवेत् । -अपराजितपृच्छा १२५.२२ તારંગાના આ મહામંદિરમાં સૌથી નીચે કરેલા “ભિટ્ટત્રય” ઉપર જાત્રકુમ્ભ, કર્ણાલિ, અંતરપટ્ટ, છાઘકી, અને ગ્રાસપટ્ટી કરેલાં છે, પણ પછી તેની ઉપર થવો ઘટે તે ગજપીઠ, અશ્વપીઠ, અને નરપીઠના ઘાટ કર્યા નથી. જો આ એક જ પાસા પર જોર દઈએ તો કહી શકાય કે કારાપકના ગજવામાં “ઝાઝા કાવડિયાં નહોતાં.' પરન્તુ બીજુ બાજુ જોઈએ તો પ્રાસાદ તો જબરજસ્ત છે, સાંધાર અને મેર જાતિનો છે : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy