SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પારુલ માંકડ Nirgrantha નરેન્દ્રપ્રભસૂરિ અહીં સાધારણ ધર્મને ક્રિયારૂપ માને છે. વિશેષમાં તેઓ નોંધે છે કે, અહીં જે ધર્મ (= સાધારણ ધર્મનો સંબન્ધ છે તે દિવસ માટે શાબ્દ છે અને જનાનન્દ માટે આર્થ છે. ભોજ અને કર્ણવિવિક્ત ક્રિયાસમાવેશનું ઉદાહરણ માને છે. તેઓ અહીં વસંતના દિવસોને જ કર્તા માને છે, જે લોકોના આનંદ સાથે વધતી ક્રિયામાં સમાવિષ્ટ થઈ જાય છે. આમ કર્તા કેવળ એક છે. આ વૈસાદેશ્યવતી સહોક્તિ છે. સ્પષ્ટ રીતે જ નરેન્દ્રપ્રભસૂરિએ માત્ર ઉદાહરણ જ , ઇં. માંથી લીધું છે, અન્યથા ભોજથી તેઓ જુદા પડે છે. તેમણે દિવસ અને લોકોનો આનંદ એમ બન્નેને કર્તૃભૂત માન્યા છે. ક્રિયારૂપ ધર્મ એક જ છે. આમ ક્રિયારૂપ સાધારણધર્મવાળી સહોક્તિ વર્ણવી છે. નરેન્દ્રપ્રભ અહીં દંડી પ્રત્યે ઢળતા જણાય છે. પરંતુ દિંડીએ ક્રિયાની દષ્ટિએ અને નરેન્દ્રપ્રભે ધર્મની દૃષ્ટિએ ભેદ બતાવ્યો છે. આમ દંડી-ભોજમાંથી પદ્ય સ્વીકાર્યું હોવા છતાં નરેન્દ્રપ્રભનો અભિગમ તે બન્નેથી જુદો છે. ક્રિયારૂપ ધર્મવાળી સહોક્તિનું એક બીજું ઉદાહરણ પણ નરેન્દ્ર પ્રત્યે સ વ માંથી ઉદ્ધર્યું છે. એ પદ્ય ગાથાસપ્તશતીનું છે. બન્નેમાં બીજી પંક્તિમાં પાઠભેદ હોઈ આપણે અત્રે બન્ને ઉદ્ધરીશું ?' उज्झसि पियाइ समयं तह वि अरे । भणसि कीस किसिंअति । उ अरिभरेण अयाणुअ । मुयइ बइल्लो वि अंगाई ॥ - (નં. મો. 9. ર૩૨) છાયા આ પ્રમાણે છે. उह्यसे प्रियया समदं तथापि अरे । भणसि कथं कृशितेति । पश्यारिभरेणाज्ञ । मुञ्चति बलीवर्दोऽप्यङ्गानि ॥ નરેન્દ્રપ્રભ આ ઉદાહરણને ક્રિયારૂપ ધર્મેક્યનું માને છે. અહીં કર્મરૂપે પ્રયોજાયેલાં યુખદર્થ અને પ્રિયા - બન્ને “કહ્યસે'એ ક્રિયારૂપ એક સાધારણધર્મથી જોડાયેલાં છે. ભોજમાં આ ઉદાહરણમાં દ્વિતીય પંક્તિનો પાઠ જુદો છે - उवरिभरेण अ अण्णुअ मुअइ बइल्लो वि अङ्गाई ॥ છાયા उपरिभरेण च हे अज्ञ मुञ्चति वृषभोऽप्यङ्गानि ॥ ભોજ અહીં સંબોધ્યમાન એવો યુષ્મદર્થ (= ) કર્મત્વને પ્રાપ્ત થયો છે - કાણે – એ રીતે તે ક્રિયામાં “કેવળ' રૂપે છે - એમ સમજાવે છે. તે ક્રિયાપદાર્થ સાથે સમાવિષ્ટ થયો છે. આથી આ “વિવિક્ત ક્રયાસમાવેશા' - જેમાં ક્રિયામાં કેવળ = એકલા કર્મનો સમાવેશ થયો છે, તેવી સહોક્તિ છે. આ પણ ભોજના મતે વૈસાદેશ્યા સહોક્તિ છે. આમ નરેન્દ્ર પ્રત્યે ભોજમાંથી ઉદ્ધરણ લીધું છે. એટલું જ, બાકી અભિગમ અલગ છે. બન્નેએ ગાથાસપ્તશતીમાંથી આ પદ્ય સ્વતંત્ર રીતે લીધું હોય તેમ પણ બની શકે. એ પછી ધીરેન સ. વગેરે ઉદાહરણ નરેન્દ્રપ્રત્યે સ. 4માંથી ગ્રહણ કર્યું છે, અને રુઢકાદિના પ્રભાવ નીચે માલારૂપી દીપકોપસ્કૃતા સહોક્તિ તરીકે ઘટાવ્યું છે. ઉદાહરણ આ મુજબ છે : धीरेण समं जामा हिअएण समं अणिटिआ उवएसा । उत्सा(च्छा)हेण सह भुआ बाहेण समं गलंति से उल्लावा ॥ Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org Forp
SR No.522702
Book TitleNirgrantha-2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1996
Total Pages326
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy