SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. I-1995 વાદીન્દ્ર મલ્લવાદી ક્ષમાક્ષમાગનો સમય મુનિશ્રી જંબૂવિજયજી ભતૃહરિ અને દિગ્ગાગના પૂર્વાપર્ય અંગે સૂક્ષ્મ અધ્યયન કરી જણાવ્યું છે કે, પ્રમાણસમુચ્ચયના પાંચમા પરિચ્છેદમાં દિગ્ગાગે ભર્તુહરિના વાદ્યપદીય ગ્રંથની બે કારિકાઓનો ઉલ્લેખ કર્યો છે. ટૂંકાવ્ય પરીક્ષા નામના ગ્રંથની રચના પણ દિગ્ગાગે ભર્તૃહરિના વાક્યપદીયના પ્રકીર્ણ કાંડને સામે રાખીને કરી છે. આ રીતે ભર્તુહરિ દિગ્ગાગના પૂર્વવર્તી છે, તથા ઈન્સિંગનું કથન, કે જેના આધારે પં. મુખ્તારે સમય નિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે, તે પણ યોગ્ય નથી; કારણ કે ઈસિંગે કહ્યું છે કે ભર્તૃહરિ નામના એક શૂન્યતાવાદી મહાનું બૌદ્ધ પંડિત હતા એ વાત માનવા યોગ્ય નથી. કારણ કે વાકયપદીય ગ્રંથમાં વૈદિક અને અદ્વૈતવાદની જ પ્રસ્થાપના કરવામાં આવી છે, અને ભર્તૃહરિના ધર્મ પરિવર્તનના વિષયમાં કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. આથી ઈન્સિંગના કથન અનુસાર ભતૃહરિનો સમય નિર્ધારણ યોગ્ય બંધબેસતું નથી. ઈન્સિંગ દ્વારા ઉલ્લિખિત ભર્તુહરિ કોઈ અન્ય ભર્તુહરિ હોવાની શકયતા છે. આ રીતે ઉપરોકત ચર્ચાના આધારે નયચક્રકાર મલવાદીનો સમય વીર નિર્વાણ સંવત્ ૮૮૪ અર્થાત્ વિ. સં. ૪૧૪ જ રહ્યો હશે એમ જખ્ખવિજયજી ઠરાવે છે. ઉપરોકત ચર્ચાને આધારે મલવાદીના સમયની ઉત્તરસીમા વિક્રમની નવમી સદીના અંતિમ ચરણ (વિ. સં. ૮૮૪) અને પૂર્વ સીમા વિક્રમની પાંચમી સદીના પ્રથમ ચરણ(વિ. સં. ૪૧૪)ની માનવામાં આવે છે. પરન્તુ સમયગાળા અંગે પ્રાપ્ત થતી કેટલીક અન્ય પણ મહત્ત્વપૂર્ણ માહિતીઓને આધારે પુન: ચર્ચા આવશ્યક છે, અને તેના આધારે સમય-નિર્ધારણ કરવું જરૂરી બની રહે છે. વસ્તુતયા ઉપર જણાવેલ બન્ને સમયસીમા વિશ્વસનીય નથી. આ અંગે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા યોગ્ય છે : (૧) આ હરિભદ્રસૂરિ અનેકાનજયપતાકામાં તથા તેની સ્વોપલ્લવૃત્તિમાં વાદીમુખ્ય મલ્લવાદીનો બે સ્થળે ઉલ્લેખ કરે છે. આ હરિભદ્રનો સમય આઠમી સદીના ઉત્તરાર્ધ (પ્રાય: ઈ. સ. ૭૫ વા ૭૮૫) નિર્ધારિત થયેલો છે", માટે ઉત્તરસીમાં આઠમી સદી માનવામાં આવે તો કોઈ વાંધો આવે તેમ નથી. (૨) વાદીન્દ્ર મલવાદી રચિત દ્વાદશાર-નયચક ઉપર આ સિંહભૂરે ટીકા રચી છે, અને સિંહજૂરની ટીકા સમય અંગે ઈતિહાસવિદ્દ પ્રા. ઢાંકીએ અન્યત્ર ચર્ચા કરી છે અને તેમનો સમય ઈસ્વીસનૂની સાતમી સદીના અંતિમ ચરણ (પ્રાય: ઈ. સ. ૬૭૫-૬૦) નિર્ધાર્યો છે. આથી નિશ્ચિતરૂપે પુરવાર થઈ જાય છે કે મલ્લવાદી ઈ. સ. ૬૭૫ પહેલાં થયેલા છે. (૩) વાદીચૂડામણિ મલ્લવાદીનો સંબંધ ઇતિહાસ પ્રસિદ્ધ વલભી નગરી સાથે છે. અને તેઓ વલભીમાં રહેતા હતા. વલભીનો ભંગ (ઈ. સ. ૭૮૮)ના અરસામાં થયેલો. આ હકીકતોને આધારે સ્પષ્ટરૂપે કહી શકાય કે ૫૦ મુખ્તારનો મત સર્વથા અસત્ય કરે છે. (એમ લાગે છે કે તેમણે સાંપ્રદાયિક અભિનિવેશને કારણે મલવાદીને અર્વાચીન ઠરાવવાનો પ્રયાસ કર્યો છે.) પંડિતવર્ષે ઉપરોકત બાબતો અંગે વિશેષ વિચાર કર્યો હોત તો એમણે પોતાનો મત બદલ્યો હોત. આમ ઉત્તરાધિ ઈ. સ. ૬૭૫ પૂર્વેની નિર્ધારિત કરી શકાય. પૂર્વ સીમા :(૧) મલવાદી ક્ષમાશ્રમણે દ્વાદશા-નયચક્રમાં શ્રી ઉમાસ્વાતિના તત્વાર્થાધિગમસૂત્રનો તથા તેમના સ્વપજ્ઞ ભાગનો ઉપયોગ કર્યો છે. એટલે તેઓ ઉમાસ્વાતિ (પ્રાય: ઈ. સ. ૩૫૦) પછી થઈ ગયા છે : (૨) મલવાદી સિદ્ધસેન દિવાકરના સમકાલીન ન હોઈ શકે, કેમકે દ્વાદશાર-નયચક્રની શૈલી સિદ્ધસેનની શૈલી કરતાં વધુ પરિષ્કૃત અને વિકસિત છે. દ્વાદશાર-નયચક્રમાં આદ્યસ્તુતિકાર સિદ્ધસેન દિવાકરની કારિકા ઉદ્ધત કરી છે. વળી હરિભદ્રસૂરિએ ઉદ્ધત કરેલ અંશો આધારે તેમણે સિદ્ધસેન દિવાકરના સન્મતિતર્ક ઉપર ટીકા રચેલી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy