SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેન્દ્ર શાહ Nirgrantha ત્યારે ભર્તુહરિનું દેહાવસાન થયે ૪૦ વર્ષ વીતી ચૂકયા હતાં. અને તે સમયની દષ્ટિએ તે (મલ્લવાદી) વિક્રમની લગભગ આઠમી-નવમી શતાબ્દીના વિદ્વાનું હોઈ શકે છે, અને તેમનું એકત્વ ન્યાયબિંદુની ધર્મોત્તર ટીકા પર ટિપ્પણ લખવાવાળા મલ્લવાદીની સાથે થઈ શકે. પં. મુખ્તાર પોતાના મતની પુષ્ટિ માટે વિશેષમાં કહે છે કે વિક્રમની ૧૪મી સદીના વિદ્વાન પ્રભાચને પોતાના પ્રભાવકચરિતના વિજયસિંહસૂરિ પ્રબંધમાં બૌદ્ધો અને તેમના વ્યંતરોને વાદમાં જીતવાનો જે સમય મલ્લવાદીના વીરવત્સરથી ૮૪ વર્ષ પછીનો અર્થાત્ વિ. સં. ૪૧૪ આપ્યો છે. તેમાં ચોકકસ કોઈ ભૂલ થઈ છે. ડૉ. પી. એલ. વૈદ્ય ન્યાયાવતારની પ્રસ્તાવનામાં આ ભૂલનું કારણ શ્રી વીર વિક્રમાની જગ્યાએ શ્રી વીરસંવત્સરાતું પાઠાંતરનું થવું જણાવ્યું છે". આ પ્રસ્તાવ અનુસાર પંડિત મુખ્તાર મલ્લવાદીનો સમય વિસં. ૮૮૪ સુધી લઈ જાય છે. ઉપરોકત ચર્ચામાં પં. મુખ્તારે જે નિષ્કર્ષ કાઢ્યો છે તેનો સ્વીકાર કરવાથી અનેક વિસંવાદો ઊભા થાય છે. મલ્લવાદીને નવમી સદીના વિદ્વાનું માનવાથી ટીકાકાર સિંહસૂરિ તથા હરિભદ્રસૂરિ આદિનો સમય નિર્ધારિત કરવામાં અનેકાનેક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે. પી. એલ. વૈદ્ય જે સૂચન કર્યું છે તે પણ સ્વીકારી શકાય તે નથી કારણ કે કોઈપણ પ્રતમાં (હસ્તલિખિત) શ્રી વીરસંવત્સરાતુના સ્થાને શ્રી વીરવિક્રમાતું એવો પાઠ ઉપલબ્ધ નથી થતો અને જે મળી પણ જાય તો પણ અન્ય ઉપલબ્ધ પાઠ અને ગ્રંથમાં ચર્ચાયેલા વાદોના આધારે આપણે એમ કહી શકીએ કે શ્રી વીર વિક્રમાતું વાળો પાઠ સ્વીકાર કરવા યોગ્ય નથી. આ રીતે મલ્લવાદીને નવમી સદી સુધી લઈ જવા કોઈ રીતે યોગ્ય નથી. નયચક્રના વિદ્વાનું સંપાદક મુનિ જંબૂવિજયનો મત છે કે મલ્લવાદીના સમયની બાબતમાં જે ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં વિજયસિંહસૂરિ પ્રબંધમાં પ્રાપ્ત થાય છે કે મલ્લવાદીએ વીર સંવત્ ૮૮૪(અર્થાત્ વિ. સં. ૪૨૪)માં બૌદ્ધોને પરાજિત કર્યા છે તે યોગ્ય છે. તદુપરાંત મુનિજીએ એક મહત્ત્વપૂર્ણ વાત કહી છે તે એ છે કે નયચક્રમાં જ્યાં જ્યાં આગમ પાઠો ઉદ્ધત કર્યા છે, તેમાં આજના પ્રચલિત પાઠોથી કેટલીક ભિન્નતા મળે છે; એટલું જ નહીં પરંતુ કેટલાક પાઠ તો પ્રચલિત આગમ પરંપરામાં છે જ નહીં. તેમના કથન અનુસાર વર્તમાન પ્રચલિત પાઠ પરંપરા ભગવાન દેવર્ધિગણિ ક્ષમાથમણે વલભીમાં સંકલિત કરી હતી. દેવર્ધિગણિ ક્ષમાથમણે વીર નિર્વાણ ૮૦(વિ. સં. ૫૦)માં વલભીમાં સંકલના કરી હતી. જ્યારે મલવાદી વીર નિર્વાણ સં. ૮૮૪(વિ. સં. ૪૧૪)માં હતા. આથી .. પાઠભેદનું કારણ પણ સહજ છે. આ રીતે તેઓ મલવાદીનો સમય વિ. સં. ૪૧૪ સુધી સ્થિર કરે છે". પં માલવણિયા પણ ઉપરોકત સમયને સ્વીકારતા કહે છે કે નયચક્રમાં એક બાજુ દિગ્ગાગના પ્રમાણસમુચ્ચયનો ઉલ્લેખ છે અને બીજી બાજુ કુમારિલ, ધર્મકીર્તિ, આદિના ઉલ્લેખોનો અભાવ છે, જે મૂળ નયચક્રથી તો શું ટીકાથી પણ સિદ્ધ થાય છે. આચાર્ય સિદ્ધસેનનો ઉલ્લેખ મૂળ અને ટીકા બંનેમાં છે. આચાર્ય દિગ્ગાગનો સમય ઈ. સન ૩૪૫-૪૨૫ (વિ. સં. ૮૦૨-૮૨) સુધી મનાય છે. આચાર્ય સિંહગણિએ નયચક્રટીકામાં અપોહવાદ સમર્થક બૌદ્ધ વિદ્વાનો માટે “અદ્યતન બૌદ્ધ' વિશેષણનો પ્રયોગ કર્યો છે. એનાથી એમ સૂચિત થાય છે કે દિગ્નાગ જેવા બૌદ્ધ વિદ્વાન માત્ર મલ્લવાદીના જ નહીં, પરંતુ સિંહગણિના પણ સમકાલીન છે. પ્રભાવકચરિતના એ શ્લોકના આધારે એ સિદ્ધ થાય છે કે મલ્લવાદી વિસં. ૪૧૪માં હયાત હતા. આથી દિગ્ગાગના સમય વિક્રમ સંવત્ ૪૦૨-૪૮રની સાથે જૈન પરંપરા દ્વારા સંમત મલ્લાદીના સમયનો કોઈ વિરોધ નથી, અને આ દૃષ્ટિએ મલવાદી વૃદ્ધ અને દિગ્ગાગ યુવાન એ કલ્પનામાં પણ વિરોધની સંભાવના નથી. આચાર્ય સિદ્ધસેનની ઉત્તરાવધિ વિક્રમની પાંચમી શતાબ્દી માનવામાં આવે છે. વિશેષમાં મલવાદીએ આચાર્ય સિદ્ધસેનનો ઉલ્લેખ કર્યો છે. આથી બંને આચાર્યોને પણ સમકાલીન માનવામાં આવે તો પણ વિસંગતિ નથી. આ પ્રકારે ૫, માણવણિયા, શ્રી મલવાદીનો સમય વિ. સંવત ૪૧૪ જ નિશ્ચિત કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy