SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેન્દ્ર શાહ Nirgrantha હોવાથી તેઓ સિદ્ધસેન દિવાકરના ઉત્તરવર્તી છે : (૩) દ્વાદશાર-નયચક્રમાં દિગ્ગાગના મતનું ખંડન કરવામાં આવ્યું છે. છેલ્લી શોધોને આધારે પાશ્ચાત્ય વિદ્વાનોએ દિગ્ગાગનો સમય ઈ. સ૪૮૦-૫૪૦ના અરસાનો સુનિશ્ચિત કર્યો છે. જાપાની વિદ્વાનો પણ અન્ય રસ્તે અને વિશેષ પ્રમાણો અન્વયે એ જ નિર્ણય પર પહોંચ્યા છે. આથી કહી શકાય કે મલવાદીએ દ્વાદશાર-નયચક ઈ. સ. ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધ પૂર્વે રચ્યું ન હોઈ શકે : (૪) મલ્લવાદી દ્વાદશાર-નયચક્રના દશમા નિયમવિધ્યરમાં આવશ્યક-નિર્યુક્તિની ગાથા ટાંકે છે : યથા : वत्थूणं संकमणं होति अवत्थूणये समभिरूढ । (મgo ૦િ ૭૧૭) આવશ્યક-નિયંતિની રચના પ્રાય: ઈ. સ. પર૫ ના અરસામાં થઈ હોવાનું હવે મનાય છે. એટલે દ્વાદશાર-નયચક્રની રચના ત્યાર પછી થયેલ હોવી જોઈએ. (૫) દ્વાદશાર-નયચક્ર મૂળ પાઠ અંતર્ગત બૃહત્કલ્પનિયુકિત વા બૃહત્કલ્પભાષ્યની બૃહત્કલ્પની એક ગાથા ઉદ્ભત કરવામાં આવી છે: णिच्छयतो सव्वलहुँ सव्वगुरुं वा ण विज्जएदव्वं । ववहारतो तु जुज्जति बायरखंधेसु ण इतरेसु ॥ (વૃદF૦ ૬૯)'' વર્તમાને ઉપલબ્ધ ભાષ્યમાં નિર્યુક્તિ મળી ગઈ છે. આ ગાથા નિયંતિની છે કે ભાષ્યની તેનો નિર્ણય થવો ઘટે. મુનિશ્રી જંબૂવિજયજી આ ગાથાને નિયંતિકાર ભદ્રબાહુની માને છે, જ્યારે મુદ્રિત બૃહત્કલ્પમાં આ ગાથાને ભાષ્યભાથા તરીકે મૂકી છે. વિજયલબ્ધિસૂરિ પણ પ્રસ્તુત ગાથાને ભાષ્ય ગાથા માને છે. ભાષ્યના કર્તા સંઘદાસગણિ છે, જેમનો સમય છઠ્ઠી સદીના મધ્યનો માનવામાં આવે છે. આમ મલવાદીનું દ્વાદશાર-નચક્ર ઈ. સ. ૫૫૦ પછીનું હોઈ શકે. (૬) એક અન્ય મહત્ત્વની વાત એ છે કે મલ્લવાદી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના પ્રસિદ્ધ વિશેષાવશ્યકભાગમાંથી કોઈ ઉદ્ધરણ લેતા નથી કે જિનભદ્રમણિક્ષમાશ્રમણની અન્ય કોઈ કૃતિમાંથી પણ ઉદ્ધરણ ટાંક્તા નથી. આથી પહેલી દષ્ટિએ એમ લાગે કે તેઓ જિનભદ્રગણિ ક્ષમાથમણ(પ્રાય: ઈ. સ. ૫૫૦ થી ૫૯૪)ની પહેલાં થઈ ગયા હોય; પણ બીજી બાજુ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પણ મલ્લાદીનું નામ કે તેમની કૃતિઓ દ્વાદશાર-નયચક્રનો યા સન્મતિવૃત્તિનો – પોતાની જ કોઈ જ કૃતિમાં ઉલ્લેખ કરતા નથી. તેમની વિ. આ ભાવ પરની અપૂર્ણ સંસ્કૃત સ્વોપજ્ઞ ટીકામાં પણ નહીં : આથી સંભવ તો એવો જણાય છે કે આ બન્ને મહાપુરુષો – મલવાદી ક્ષમાશ્રમણ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ – સમકાલીન છે, અને બન્નેએ એક-બીજાની કૃતિ જોઈ નથી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું કાર્યક્ષેત્ર લાટ પંથક હતું અને મલ્લવાદીનું કાર્યક્ષેત્ર વલભી પ્રદેશ રહ્યો હતો. આમ સમગ્ર દષ્ટિએ જોતાં મલ્લવાદી ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં, એટલે કે ઉમાસ્વાતિના વૃદ્ધ સમકાલીન નહીં પણ ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, દિગ્ગાગ, નિયુકિતકાર, અને બૃહત્કલ્પભાષ્યકાર (સંઘદાસગણિ : ઈ. સ, પર૫-૫૦) પછી, અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સમકાલીન, એટલે કે ઈસ્વીસનની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધના ઠરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522701
Book TitleNirgrantha-1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1995
Total Pages342
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy