SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Dharma Vikas (Monthly) Regd. No. B. - પS - -J એ પાનું તપગચ્છની માન્યતાનું છે! આચાર્ય દેવશ્રી સિધ્ધિસૂરિશ્વરજી મહારાજને વિજ્ઞપ્તિ. [આની એક હસ્તપ્રત તા. 23-11-40 ના રોજ હાથે હાથ અને એક હસ્તપ્રત રજીસ્ટરથી આચાર્યદેવતરફ તા. 26-11-40 ના રોજ મોકલી આપી છે.] વીરશાસન તા. 22-11-40 માં આ પ્રમાણે છપાયું છે - " પૂજ્ય શ્રી આણંદવિમલસરીશ્વરજી મહારાજના નામવાળું સેમી સદીનું પાનું બતાવે છે તે શું ? " - આ પ્રશ્નનો ઉત્તર આપતાં જ પૂ૦ શાન્તતપોભૂતિ, વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ વર્તમાન તિયિદિનચર્ચાનો નિવેડો લાવવા માટેનો એક અતિ સરલ અને ઘણું જ સુંદર ઉપાય દર્શાવ્યો હતો. પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવનો ઉત્તર એવો હતો કે. એ પાનામાં કેવું લખાણ છે. તે તો જુઓ? એની ભાષા જુઓ? આપણા ગચ્છની માન્યતાથી વિરૂદ્ધની ગાથાઓ એમાં છે, પણ એ બધી વાત પછી આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જે શ્રી તપગચ્છની માન્યતા મુજબનું સાચું છે, એ પુરવાર થઈ જાય તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે ભાઈ! અત્યારસુધી અમે આ જે કર્યું, તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું” - આ લખાણ—-આચાર્યદેવના આ શબ્દોને અમે વધાવી લઈએ છીએ. તેઓશ્રીમાનના આ મન્તવ્યને રદીઓ મારે નમ્રભાવે આપવો જોઈએ કે, આ પાનું જે અમોએ બહાર પાડેલ છે તે પાનું ૫છની માન્યતાનું છે, તેવું શ્રી શ્રમણ સંઘે સ્થાપિત કરેલી નવની કમીટી અથા-મધ્યસ્થ કમીટી પાસે સાબીત કરી આપવા લેખક તૈયાર છે. તો આ વિજ્ઞપ્તિને સ્વીકારી સં. 1997 ના માગસર સુદ 11 સુધીમાં એ નવની કમીટી યા મધ્યસ્થ કમીટી બોલાવી આ પ્રશ્ન તેમની પાસે રજુ કરવા તેઓશ્રીમાને તૈિયારી કરવી જોઇએ. જો માગસર સુદ 11 સુધીમાં આવી એક કમીટી સમક્ષ આ પ્રશ્ન રજુ કરવામાં ન આવે તો જનતાને એ પાનું સાચું છે એમ માનવાનો હક્ક રહેશે. આ પ્રશ્નમાં એકપણ શ્રાવકને સ્થાન ન આપવું જોઈએ. તેમ જ તેમની પાસે ઉહાપોહ ન કરાવવો જોઈએ આ તિથિનો પ્રશ્ન અને પાનું તપગચ્છની માન્યતાનું છે કે કેમ એ પ્રશ્નો શ્રમણ સંઘે જ વિચારવાના હોવાથી તેમજ તેઓજ આ પ્રશ્નોનો નિકાલ કરી શકે તેમ હોઈ ગૃહસ્થોને આ પ્રશ્નમાં વચ્ચે ન આવવા દેવા જોઈએ કમીટી બોલાવવા આપ જ આમંત્રણ મોકલશે. સમાજમાં વયોવૃદ્ધ આચાર્યદેવ તરીકેનું આપનું સ્થાન અખંડ રાખવા ખાતર પણ મારી આ વિજ્ઞપ્તિ સ્વીકારી કલેશ કંકાસને નાબુદ કરવા તૈયાર થઈ આપ આ પત્રની આપના હસ્તાક્ષરની પહોંચ ભાગસર સુદ 11 પહેલાં મોકલી આપશો એવી આશા રાખું છું.' સં. 1997. કાર્તિક વદ 8 ) લી૦ તા. 23-11-40 પં૦ કલ્યાણવિજયજી, શાહીબાગ–અમદાવાદ ટાઈટલ છાપનાર : શારદા મુદ્રણાલય, જુમા મસીદ સામે--અમદાવાદ.
SR No.522502
Book TitleJain Dharm Vikas Book 01 Ank 02
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy