SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વેરાવળના શિલાલેખમાંથી મળે છે. સામનાથ પાટણના શિયાપથી ઈરાની વહાણવટીઓને મિરજદ અધિવામાં ત્યાંના ‘બૃહપુરુષા' અથવા આગેવાનેાએ તથા રાજ્યાધિકારીઓએ કરેલી સહાયના એમાં સાભાર ઉલ્લેખ છે. આ શિલાલેખ ભારતીય ધ”નીતિના એક ઉજ્જ્વળ દસ્તાવેજી પુરાવા છે. આ વ્યાખ્યાનનું સમાપન આ પહેલાં અન્યત્ર મે' લખેલા શબ્દોમાં કરું તેા આપ નિર્વાદ્ય ગણશે। એવી આશા છેઃ આ ધર્મોની વિવિધ શાખા વચ્ચે તત્કાલીન સમાજમાં પ્રશસ્ય સમભાવ માત્ર નહિ, મમભાવ હતા. શૈવ, વૈષ્ણવ, શાક્ત અને જૈન સ'પ્રદાયે। વચ્ચે વિશિષ્ટ આકષ હતું. એ યુગના એક અગ્રગણ્ય પુરુષનું ઉદાહરણ લઈએ તેા ચૌલુકય રાજપુરાહિત સામેશ્વર આરૂઢ શૈવ અને શાક્ત તથા વેદવિદ્યામાં નિષ્ણાત હતા, છતાં રામભક્તિ પ્રદર્શિત કરતાં નાટકા અને સ્તેાત્રો તથા કૃષ્ણભક્તિનાં સુભાષિતા તેણે રચ્યાં છે એટલુ જ નહિ, જૈન મન્દિરાના પ્રશસ્તિલેખા પણુ આપ્યા છે. ચિતેાડના કિલ્લા ઉપર એક શિવમન્દિરમાંના રાજા કુમારપાલના પ્રશસ્તિલેખની રચના શિખર ભટ્ટારક રામકીતિ એ કરી હતી. શ્રવણુ અને બ્રાહ્મણુ વચ્ચે જૂના સમયથી ચાલતા આવેલા દ્વેષ, જેની નોંધ પત ́ત્રિ અને ખીજાઓએ કરી છે તે, ગુજરાનમાં જાણે કે લેાપ પામી ગયા હતા. એક જ્ઞાતિ કે કુટુંબની વ્યક્તિએ જુદા જુદા સંપ્રાયની હાય એ પરિસ્થિતિ ગુજરાતના હિન્દુસમાજમાં આજ સુધી ચાલતી આાવેલી છે. મધ્યકાલ અને ઉત્તર મધ્યકાલના ગુજરાતી જીવન ઉપર એ મહાન આચાર્યાંની જબરી અસર છે–એક હેમચન્દ્રાચાય અને બીજા વલ્લભાચાર્ય. ઇતિહાસકાર પાણિક્કરના શબ્દોમાં કહીએ તા, “ હેમચન્દ્ર એ અદ્ભુત સામર્થ્ય, અતુલ પાંડિત્ય અને વ્યાપક દનવાળા આચાર્ય હતા, જેમની તુલના કેવળ શકરાચાર્ય સાથે થઈ શકે- ભારતના સ` કાળના મહાપુરુષામાં જેનું સ્થાન હોય એવી એ અજોડ વ્યક્તિ છે.''.( ‘એ સષ્ઠે એક્ ઈન્ડિયન હિસ્ટરી,’ પૃ. ૧૬૫) તેમણે ગુજરાતના જીવનમાં અહિંસા, તપ અને દાન ધર્મ'ને દૃઢમૂલ બનાવ્યાં અને સધન વિદ્યાની સબળ પર્ ́પરા ઊભી કરી. વલ્લભાચાયે આધ સંમત આ પર‘પરાના સ્વીકાર કરીને તેમાં સેવાના આનંદ અને ઉત્સવાના ઉલ્લાસ ઉમેરી પ્રજાજીવનને સાચા અમાં નવપલ્લવતા અપ, ભક્તિમાર્ગના મહાયાન સ` પ્રકારના અધિકારીએ માટે ચાલુ કર્યાં. હેમચન્દ્રાચાય અને વલ્લભાચાર્યાં જેના પ્રતિનિધિઓ છે એવા ભારતીય ચિન્તન પ્રણાલી અને આચારસરણીના એ મહાપ્રવાહા ત્યાર પછી ગુજરાતના જીવનમાં સમન્વિત એકરૂપતા પામ્યા છે. ગાંધી બાપુને ! / ચન્દ્ર ભટ્ટે હવે ગાંધી બાપુ નવલ રૂપમાં જન્મ ધરવે રહ્યો તારે, આંહીં વિષમ રીત છે તે મનમહીં વિચારી ઊડેથી, અધીર ન થતા, લેાક અવળી રીતે ચાલે છે તે જગત પણ આ તે જ નથી હાં ! સવારે દાડીને પ્રતિપક્ષ ભમે સ્વાવરવા અને સધ્યા ટાણે વિકલ, ટિખળે જોમ ભરતા વળે છે પાછા સૌ શિથિલ ડગલે ક‘દર મહીં, પછી નિદ્રા ઢૂંઢે સપન વહુવા આત્મરતિનાં. અહીં તે! તારા એ વિલય પછીથી રૂપ બદલી ગઈ છે પૃથ્વી તે વિગત પળનું કાંઈ જ નથી. હવા પાણી માટી નથી એકે સાચુ ચહે પૃથ્વીપાટે જનમ નથી નથી રહ્યાં પૂર્વ યુગનાં મનુયુગલમાં સત્ત્વ અહીયાં. અધુના તા. પરહરી અાંચ તત્ત્વાને ગ્રહણ કર . જ્વાળા અગનની.
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy