SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તે આ આખી વસ્તુ જ જચતી નથી. કોઈ પુરુષ પેાતાની વહાલસેાયી પ્રિયતમાને પોતાના મૃત્યુ બાદ કદાચ લગ્ન કરવાનું કહે ( અને અહીં પણ માત્ર સૂચન રૂપે જ કારણકે ‘ સ્નેહલગ્નની વિધવાને પુનલગ્ન સમું પાપ નથી ':) પરતુ આ રીતે આનંદપ્રદાનની મહા સેવાપ્રવૃત્તિ આદરવાનું કહે એ માની શકાય એમ નથી. માનસશાસ્ત્રની રીતે પણ આ વસ્તુ ખોટી ઠરે છે. એ એટલું સ્પષ્ટ છે કે વિસ્તારની જરૂર નથી. આમ, પ્રતીતિકારકતાના અંશા ઘણી વાર્તાઓમાં ખૂટતા લાગે છે. સેવિકાજીવનની નિઃસારતાની પ્રતીતિ પામેલી સવિતા ‘ એક ક્ષણ માં જે નિણૅય લે છે તે ભાગ્યે જ માનવસ્વભાવને અનુરૂપ લાગે લાગ ઉન્હેં જિપ્સી કહતે હૈં 'માં પશ્ચિમી પ્રેમભાવના ભારતીય લેબાસમાં રજૂ થઈ છે. લક્ષ્મીનંદનાના મૂર્ખાઇભર્યા વિલાસ છાના નથી તેમ છતાં ‘મરીન ડ્રાઇવના દીવાના કિસ્સા કાઈને શાસ્પદ લાગે. આ વાર્તાસૃષ્ટિમાં એક જાતની કુત્સિતતાનુ' જ દન વિશેષ થાય છે. લગભગ ધણીખરી વાર્તાઓના વિષય પ્રેમ છે. પણ એ પ્રેમ કઈ ઉચ્ચાદર્શીને આંખતા નથી, કા ધ્યેય ખાતર કૃતા' ખતા નથી, કે સ્ત્રીપુરુષની પ્રસન્ન ઊર્મિઓનું સુભગ આલે ખૂન પશુ નથી. આ તેા કેવળ જાતીય વાસના અકે જાતીય વિકૃતિનું જ દર્શન કરાવે છે. એટલે જ તા એના સ્વાસ્થ્ય વિષે સર્ચિંત રહેવાને કારણ છે. તા પછી આ વાર્તાસૃષ્ટિમાં શું બને છે ? અહીં સ્ત્રી અન્યજાતે જાતીય આનંદ આપે છે, વેશ્યા પેાતાના જીવનને સહેજ પણ બદલવા ઇચ્છતી નથી, કાઇ ત્યક્ત ખળક વેશ્યા અનેલી માતા પાસે ‘ ઘરાક' તરીકે જઈ પહોંચે છે, તે કાઈ ભાઈ સિનેમા નટી બનેલી બહેનનુ ‘પિચર’ જોવા જાય છે. ક્રાઈ શેઠિયા રખડતી માંગણુને પ્રેયસી બનાવે છે, વગેરે, વગેરે. વાર્તામાં સ‘ભવદેષા પણ છે. આદિવાસીઓને • નૈનીતાલ 'ની વાર્તામાં અર્વાચીનતાના 'શે। કેવા ઘૂસી ગયા છે ! જેમકે કળી ક્રાની સાથે લગતી Jain Education International સમાલયના : : ૨૧ લગ્ન કરશે એમ પ્રેાફેસર પૂછે છે ત્યારે પેાતાનાથી નામ તેા નહિ દેવાય એમ કહી કળા જમીન પર નામ લખે છે એ વસ્તુ વાર્તાના વાતાવરણને અનુરૂપ નથી. કળી અને અર્જુનની જળક્રીડા સમજી શકાય, પરંતુ કળીના ભીના વાળમાં ફૂલ ખાસવાની ક્રિયા તા શહેરી જ લાગે છે અને કાઈ સિનેમાને ખ્યાલ કરાવે છે! ‘ એક ક્ષણ 'માં અરુણુ એટલે બધા મૌનપરાયણ હોય એ સંભવિત લાગતું નથી. અને સવિતાને સેવાની આટલી બધી લગતી છે તે એની પૂર્વભૂમિકા કેમ આપી નથી ? મરીન ડાઇવના દીવા 'માં રાધી જે અયાન રજૂ કરે છે એ ઉપરથી તેા તે ખૂબ ભણેલીગણેલી લાગે. એક મહિના જેટલા ટ્રેક ગાળામાં ફૂટપાથ પર સૂનારી આ રાધી આટલી બધી હોશિયાર કેવી રીતે બની ગઈ ! સાવ નાના છતાં આ મહત્ત્વના મુદ્દો છે. ટૂંકી વાર્તાના લેખકમાં આ દેખ ઉઘાડા તરી આવે. " સામાન્યતઃ લેખક આત્મકથનને પ્રકાર અજમાવવાના વલવાળા છે. કાઈ ને કાઈ વાર્તામાં એ આવે જ છે. શું ટૂંકી વાર્તામાં કે શું નવલકથામાં આ રીતિ માટું ભયસ્થાન છે. નૈનીતાલની ઠં`ડી સાંજે ' તા નિતાન્ત આત્મકથનાત્મક છે. એક ક્ષત્યુ પત્રાત્મક વાર્તા છે. ‘ સ્પોટ લાઈટ' અને ‘નૈના 'માં એ જરીક જુદા સ્વરૂપે જોવા મળે છે એકદરે લેખકને માનિસક સંબષ" નિરૂપવાની સારી હથેાટી છે. નૈનાં 'માં કેશવના ચિત્તમાં જે ચાલી રહ્યું હતું તે અને સિનેમાની સ્લાઈડ પર જે વ્યક્ત થતું હતું એ બે વચ્ચે મેળ મેળવી શકાયા છે. વાર્તાની ગતિમાં પણ એ વસ્તુ ઉપકારક નીવડે છે. એવું જ સ્પોટ લાઈટ 'માં બને છે. અરોના ચિત્તમાં પેલાં કાર્યક્રમની સુરેખા અને પેાતાના વાસ્તવના જીવનની ‘રેખા' વચ્ચે જે ગડમથલ ગોટાળા થાય છે એનું નિરૂપણુ આબાદ થયું છે. પરંતુ માનસિક સધ' ( mental conflict )નું ઉચ્ચ કલાત્મક નિરૂપણુ ' ફટકા 'માં જોવા મળે છે. ધેાંડુના મનમાં જે મથન ચાલે છે એનું નિરૂપણુ શ્રી. મુનશીએ કાઈ કલાકારની અદાથી કર્યું છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522252
Book TitleBuddhiprakash 1955 02 Ank 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy