SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરચંદભાઈ ગાંધીના સંસ્મરણે. અનુવાદક : ગુણવંત શાહ { આપણે જૈન સમાજ સાહિત્ય પ્રત્યે ખૂબ જ ઉદાસીન અને ઠડે છે. તેના પરિણામે આપણે કંઈક આપણા જ જૈન જ્યોતિધરાના જીવન વિષે ખૂબ જ સત્તાવાર એવું ઓછું જાણી શકીએ છીએ. લોકેતિ ઉપર જ આધારિત બની આપણે આપણા મહાપુરુષોના જીવન જાણુએ છીએ. પરિણામે ઘણીવાર જુઠ્ઠી માહિતી પણ ભેળસેળ થઈ જાય છે. શ્રી વીરચંદભાઈના સંપર્કમાં ઘણાં આવ્યાં હશે. ઘણાં ઉપર તેમને પત્ર પણ લખ્યાં હશે. પરંતુ તેમનાં સંપર્કમાં આવનાર ભાઇ-બેને તેમના જીવન વિષે કંઈ જ નોંધ રાખી નથી. અને રાખી હોય તે સાચવી નથી. પત્રોની બાબતમાં પણ એવી જ બેદરકારી રખાઈ છે. પરિણામે શ્રી ગાંધીના જીવન કાર્ય વિષે બહુ જ આછું જાણી શકાય છે છતાંય જે થોડું ઘણું સચવાયું છે તેમાંથી ઉતારીને-ગુજરાતી અનુવાદ કરીને અત્રે રજૂ કરું છું, –સંપાદક.] હિપ્નોટીસ્ટ શ્રી ગાંધી. શ્રી વીરચંદ ગાંધી ૧૯ મી સદીમાં જન્મ્યા હતાં ત્યારે હિંદુસ્તાનને ગુલામ બન્યું ૩૭ વરસ જ થયાં હતાં. ત્યારે આ દેશમાં એવા પણ કેટલાક માણસ હતાં જેમને ગુલામીને સ્પર્શ પણ થયે ન હતો. ત્યારે તે અમેરિકાને ચર્ચા કરતાં તેમણે કહી દીધું કે જેના માટે કહેવામાં આવે છે તે વિદ્યાને જનમ આપનાર યુરેપ છે, જે હીનોટીઝમ નામથી ઓળખાય છે. અહોહા ! તે વખતે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીથી લોકો કેટલા બધા પ્રભાવીત થયા હશે! કે જ્યારે મેસેનિક ટેમ્પલમાં હીનેટઝમ ઉપર બેલતાં તેમણે કહ્યું કે બત્તીઓ બધી બંધ કરી દે અને માત્ર આછુ જ અજવાળું રહેવા દે. એમ થતાં જ સફેદ વસ્ત્રમાં પરિધાન થયેલા એ હિંદુસ્તાનીના દેહમાંથી એક તેજરાશિ ચમકવા
SR No.522157
Book TitleBuddhiprabha 1964 08 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages78
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy