________________
સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી રચિત કાવ્ય સંગ્રહોમાંથી
સંકલિત કરેલ કાવ્યનું રસ દશન કરાવી જતી કાવ્ય કટાર
ઉદાસ અને મલાન વદને એ બેઠી છે. એની આંખમાં પી. શોકનાં અષાઢી વાદળે ગગડી રહ્યાં છે, ને ધીમે ધીમે, તૂટેલી માળાથી એક પછી એક મોતી સરે તેમ આંસુ સરી રહ્યા છે.
ટપુ , ટપ કઈ પાતાના ઉજાગરા હશે ! આંખ લાલ ઘૂમે છે. માં સૂજેલું છે. હેડ બગીન ને મૌન છે.
બારશાખ પર એ બેઠી છે, ઘડીએ ઘડીએ એ દૂર-સુદ્દર નજર નાંખે છે.
પણ હાય! એની આંખો જેને જોવા માંગે છે. એ દેખાતો નથી. અને આંસુ દદળે જાય છે !! એના જીવને ચિન નથી. એની આંખને આરામ નથી કારણું– એનો પ્રીતમ હવે એને ભૂલી બજારોમાં ભટકવા લાગ્યો છે. બસ એને એ જ ડંખ્યા કરે છે.
એ કહે છે. કોઈ! મારા પ્રીતમને લાવી દો. એના વિના મારા પ્રાણ તરફડે છે.
અને કઈ એના પ્રીતમને લઈને પાછું ફરે છે.
પ્રીતમને જોતાં જ એની જિંદગી હરખાઈ ઊઠે છે. ઘેરાયેલાં શોકનાં વાદળ વીખરાઈ જાય છે.
એનાં રોમેરોમ ઝણઝણી ઊઠે છે. હૈયું આનંદનું ગીત ગાઈ ઊઠે છે.
પ્રીતમ-પ્રેયસી-પ્રેમ-અને પતનની મુલાયમ લાગણીઓના સંઘર્ષને આધ્યાત્મિક કપનાના ઉદ્યનમાં વણી લેતું આ સોરઠી રાગનું ભજન સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની ઉસ્તાદ કલમનો પરિચય આપી જાય છે.
ક