________________
૨૮]
બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪ કેળવણીને પ્રચાર કર જોઈએ. ત્યાગી, જ્ઞાની, નિરપૃહ કર્મચારી ગુરુઓ પ્રગટયા વિના વારતવિક પ્રગતિ થઇ શકવાની નથી. અતએ એવા ગુરુઓ પ્રગટાવવાની વ્યવસ્થાઓને હાથમાં લઈ એ દિશાની પ્રવૃત્તિ કરવી જોઈએ.
શરીરના પ્રત્યેક અંગની આગતાની જેટલી આવશ્યક્તાની - જરૂર છે. તેટલી જ ધાર્મિક સમાજ, વ્યવહારિક સમાજ, સંઘ, રાષ્ટ્રસામ્રાજ્ય અને બ્રાહ્મણદિકના ગુણકર્મોના પ્રગતિકારક અંગેની પુષ્ટિની જરૂર છે. અનેક પ્રકારના તાપરૂપ તપને તપ્યા વિના સર્વ પ્રગતિકારક ધર્મને પ્રકાશ થઈ શક નથી.
તીર્થકરે, મહાત્માઓ, બષિઓ અને પયગમ્બરેન મૂળ ઉદ્દેશ એ હતો કે આ જગતમાંથી દુઃખને નાશ કરવો અને જીને સુખી કરવા. સર્વ ને સુખી કરવાની સત્ય ફરજ અદા કરવા માટે જે કંઈ મળ્યું છે, તેને ઉપયોગ કરે જેઇએ. દેશપ્રેમ, ધર્મપ્રેમ, ગુરુપ્રેમ, કુટુંબ પ્રેમને ઉચ્ચાશથી અને સાધ્ય દ્રષ્ટિથી ખીલવી વિશ્વ પિતાના આત્મ સમાન થઈ રહે એવી ઉદાર દષ્ટિને ખીલવવી જોઈએ. આપણે જેમ જેમ એવી ઉચ્ચ શુભ ઉદાર ભાવનાને સેવવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ આપણે પરમાત્માના પ્રકાશને હૃદયમાં વધુને વધુ પ્રકાશ પ્રાપ્ત કરવા સમર્થ થઈએ છીએ. એમ ચક્કસ જાણવું.
પરમાત્માને હૃદયમાં ધારણ કરી પરમાત્માને પ્રકાશ ગ્રહીને આપણે વિશ્વ ઇવેનું લેણું કે જે અનેક અવતારમાં લીધું છે તેને સેવા કરીને પાછું વાળવું જોઈએ. જગતની સેવા એ વાત્માની