SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ એ કાળને ઓળખ્યા વગર એ યુઝને જાણ્યા વગર મહાવીરનું વ્યક્તિત્વ, એમનું જીવનકાર્ય કેટલું ઉદાત્ત ને ભવ્ય હતું તે ન જ સમજાય. અને ભૂતકાલિન વિભૂતિઓને માપવા માટે આજનું માપ કદી કામમાં ન આવે. એમ માતાં તે પાંચ વરસ પછીના દતિહાસકાર આજની વિદ્યમાન વિભૂતિઓને ત્યારે વામી જ ગાશે. કારણ યુ રે જ બદલાય છે. આજે ભગીરથ કામ ગણાય તે કાલ એકદમ સરળ બની રહે છે. મહાવીરના સાંસારિક જીવન વિષે જો કે બહુ ઓછું જળવા મળે છે અનાય ઉપલબ્ધ માહિતીઓથી એટલું અનુમાન તે જરૂર થી શકે છે. એને એનું જીવન ટૂંકું લાગે છે. રાજકુમાર હોવા છતાં રાજ્યના વાવ એને ભાવતા નધો. એનું હૈયું ઊંડી વેદના અનુભવે છે. એનું અંતર ઊંડે ઊંડે કરાય છે એના હૈયા હર ધબકાર એને કહે છે : “બીન દુખથી સબડતા હોય ત્યારે મને આમ સુખમાં રહેવાનો અધિકાર નથી.” રાજ રાજનું આ સંવેદન એને કયારેક રડાવે છે. એની આંખે કાણુથી કાઈ જાય છે. અને પળેપળનું આ મને મંથન એક દિવસ એને નિર્ણય કરાવીને બેસે છે. એ નિર્ણય કરે છે. આ રાજપાટ ન જોઈએ. આ ભોગ વિલાસ ન જોઇએ. આ મમતા ને માલિકી ન જોઈએ. પિતાને આ સત્ય લાધી ગયું છે. અને તે પ્રમાણે તે જીવવા માંગે છે. પણ બેફિકર થઈ એ ભાગી જતો નથી. નિષ્કર બનીને એ કેઇને અવગણીને ચા નથી જતા. બે વરસ એ વધુ થંભી જાય છે. અને પિતાનું સત્ય સૌને સમજાવીને એ ચાલી નીકળે છે. કોઈને એ સાથ નથી કરતો. કોઇને એ સંગાથ નથી કર, એકલો તે અટૂલે એ ચાલી છે. હિંસાના દારૂણ દુખથી ચીસ પાડતી દુનિયાને એને અહિંસાને માર્ગે શાંતિ આપવી છે. અને તે માટે એ નીકળી પડે છે. જંગલમાં ફરે છે. યક્ષ મંદિરમાં ઉતરે છે. ઈના પ્રત્યે એને પ્રેમ નથી. કોઈના તરફ એને રોલ નથી, કોઈના બારણે જઈ એ બે રહે છે. એ કંઈ આપે છે તે પીએ છે. કેઈ દે છે તે ખાય છે. અને દુનિયાના દુઃખનું ચિંતન કરતે એ વરસે સુધી વિચરે છે. જગતના શેક સંતાપનાં નિવારણનું મનન કરતે એ દિવસ સુધી અખ જાગે છે, અખંડ સાધનામાં દસકે ચા જાય છે. પણ એને એનું સત્ય સમજાવવાનું મન નથી થતું. એને લાગે છે, કંઈક ખૂટે છે. સાધના હુ અધૂરી છે. તપશ્ચર્યા કુછ પૂરી નથી થયું અને અલખની ધૂનમાં એ ભમે જ જાય છે. અને બાર બાર વસના અખંડ ઉજાગરા પછી એ મન તેડે છે. એને લાગે છે હવે યોગ્યતા આવી ગઈ છે. જે શાન માટે એ સાધના કરી રહ્યો હતો એ કેવળ તાન હવે તેને થઈ ગયું છે, અને એ મૂકસેવક કે ઝાડ નીચે બેસીને એના સત્યને ઉપદેશ કરે છે, એ સમજી લે છે. જગત એની ભાષામાં સમજે છે. માતાનું ધાવણ ધાવતાં જે બેલી બાળક મેલે છે તેમાં જ એને બધું સમજાય છે. અને લેકભાષામાં જ એ એના પ્રવચનો કરે છે. દેશના આપે છે. જગતના દુઃખ દર્દ દૂર કરવાં હશે તે એ રાજગાદી પરથી નહિ થાય. રાજમહેલમાં રહીને પણ નહી થાય. રાજકુમાર બનીને પણ એ નહિ. જાતને એને મુકિતના માર્ગે વાળવું છે. અનાનના ઘેર અંધકારમાંથી જ્ઞાનના તેજે લઈ જવું અને એણે રાજ છોડ્યું. રાજમહેલ છોડ.
SR No.522118
Book TitleBuddhiprabha 1961 04 SrNo 18
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages31
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy