________________
૨૫૮
બુદ્ધભા,
भक्तामर स्तोत्र.
ગુજરાતી પદ્યમાં ભાષાંતર કરનાર રા. પિટલાલ કેવળચંદ શાહ,
નારાથ ઇદ. સુભક્ત જે વિબુધ તે તણુ નમેલ તાજના, મણિત મુકાતિનેજ લાવતું પ્રકાશમાં કુરીત અંધકારને વિદારનાર છે, વળી ભવાબ્ધિમાં બુડેલને બચાવનારજે. કુપાળ જીન પાદયુગ–ને સુ હું નમું, સમસ્ત શાસ્ત્રનું રહસ્ય જાણવાથી ઉપન્યું; સુજ્ઞાત જેહ, તેહથી પ્રવીણ ઇદ્રથી થયા, પતાલ સ્વર્ગ મૃત્યુ લોકમાં રહેલા પ્રાણીના. ખચિત ચિત્તહાર શબ્દ અર્થથી ઉદાર જે સુભક્ત ઇંદ્રથી થયેલ સ્તુતિ તે વડે ખરે; જિનૅ આદ્ય જેહ તેહ દેવનામ દેવની, ખચિત ચિત્ત પ્રેમથી કરીશ તેમની સ્તુતિ–૧-૨ સુરે પૂજેલ યાદપીઠ એહવા અયે પ્રભુ નથી લગાર વિકતા હું લાજ વિણ છું વિભુ! પડેલ પાને વિષે જવલંત્ર ચંદ્ર બિંગની, સુપ્રાપ્તિ કાજ બાળવિણ કે મથે ન માનવી–૩ શશાંકની પ્રભા સમાન ગુણના સમુદ છે ગુણે ગણું બતાવનાર આપના જ કેણ છે ? સમર્થ થાય ના કદી વિબુધ જે બૃહસ્પતિ, વિનાશકાળને વિષે પ્રમત્ત થાય છે અતિ, પ્રચંડ મય જેને વિષે સમુદ્ર એ હવે, તરી ભુજાથી પાર કે પામશે જ તેહને -- શું આત્મવીર્યને વિસારી સિંહ સામું ના થશે ? બચાવવા શિશ, હરિણ પ્રીતિ ધા ના જશે? મુનીશ! તેમ હું તમારી ભક્તિને અધિન છું, અશક્ત, રતુવિજ નશીલ થાઉં છું ભુ છે, રસાળ મજરી તણું સમૂહને લીધે જ તે. મધુર ગાન નેત્રમાં કરે ૪ કિલા ખરે,