SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ લેટોની રાજકીય સુધારો ૩૦૫ રાતી છે એ ભાવના સર્વના મનમાં હોવી જોઈએ. પરંતુ “ રિપબ્લિકમાં ખાનગી મિતને પ્લેટોએ જેમ નિષેધ કર્યો છે તેમ “ લેઝ ”માં કર્યો નથી. માત્ર સ્થાવર મિલ્કત સર્વની સરખી હોવી જોઈએ અને તે પણ જેટલી અવશ્ય હોય તે કરતાં વધારે ન હોવી જોઈએ એવું પ્લેટનું મત છે. જંગમ મિલક્ત સર્વની સરખી હોવી જોઈએ એવો પ્રેટોએ નિબંધ કર્યો નથી. માટે, અમુક કિમતની જંગમ મિલક્ત જેની પાસે હેપ હેને એક વર્ગ, હેથી બેવડી કિમતની જંગમ મિલક્તવાળા લોકોને બીજો વર્ગ એથી ત્રણગણી કિમતની જંગમ મિલક્તવાળા લોકોને ત્રીજો વ, અને એથી ચારગણુ કિંમતની જંગમ મિલકતવાળા કોને એથે વર્ગ, એવા ચાર વર્ગ સમાજમાં કરવા જોઈએ. આ જંગમ મિલકતના પાયા પર ઉભો રહે વર્ગ, “ રિપબ્લિક ”માંના ત્રણ વર્ગથી ભિન્ન છે એ ખુલું છે. પ્લેટોએ જંગમ મિલક્તનું જે કનિષ્ટ પ્રમાણ ધારણ કર્યું છે, હેનાથી ચારગણી સુધી ખાનગી જંગમ મિલકત હેાય તે હરકત નહિ. પરંતુ એ કરતાં વધારે મિલકત કઈ મેળવે તે હેની માલીકી નહીં અને એ સર્વ રાષ્ટ્રની થાય. સ્થાવર મિલકતમાં વિષમતા ઉત્પન્ન થાય નહી માટે હેને દય વિક્રય વિગેરે વ્યવહાર કાયદાથી નિષિદ્ધ કરે એવું ટેનું મત છે. પ્રત્યેક રાષ્ટ્રમાં ત્રણ નિયામક સંસ્થા હોવી જોઇએ અને તે નીચે પ્રમાણે, (૧) રાષ્ટ્રમંડલ (A council of State) (૨) સામાન્ય મંડળ (General council) અને (૩) વિશિષ્ટમંડળ. પહેલા અર્થાત રાષ્ટ્રમંડળમાં ૩૭ સભાસદ રહે. જે નાગરિકેએ સેન્ચમાં નોકરી કરી હેય, કિવા જે કરતા આવ્યા હોય તેઓ હેની નિમણૂક કરે. પ્રથમ એઓ ૩૦૦ હોક નિમે, આ ત્રણૉમાંથી પછી એઓ ૧૦૦ નિમે અને પછી ૩૭ સભાસદોની જે નિમખૂક કરવાની તે આ સોમાંથી એઓ કરે. આ મંડળમાંના સભાસદ ૫૦ થી એછી અને ૭૦ થી વધારે ઉમ્મરના ન હોવા જોઈએ. અને એઓની નિમણુક ૨૦ વર્ષ સુધી રહે. એકાદ સભાસદ નિમણુક વખતે ૫૦ વર્ષથી અધિક વયને હોય તે એ વીસ વર્ષ સભાસદ ન રહેતાં પિતાનાં સત્તર વર્ષ પૂરા થતાં પોતાની જગાનું રાજીનામું આપે, અને એની જગ્યાએ બીજાની નિમણૂક કરવામાં આવે. આ રાષ્ટ્રમંડળના ૩ સભાસદ કાયદાના સંરક્ષક ((stardians of th: .) રહે; અને એનું મુખ્ય કર્તવ્ય કાયદાનો અમલ ગ્ય રીતે થાય છે કે નહીં એ જોવાનું અને ન્યાયાધિશ વગેરે અધિકારી ઉપર દેખરેખ રાખવાનું રહે. બીજી સંસ્થા સામાન્યમંડળની. આના સભાસદ એકંદર ૩૬૦ રહે અને તેઓની નિમણૂક ઉપર પ્રમાણે થાય. પ્રથમ પ્રત્યેક વર્ગમાંથી ૩૬૦ સભાસદ નિમાય. પ્રત્યેક નાગરિકને મત આપવાને અધિકાર રહે. પહેલા બે વર્ગમાંથી એટલે જેની જંગમ મિલક્ત કનિષ્ઠ પ્રમાણથી અનુક્રમે ચાર ગણી અને ત્રણ ગણી હેય તેઓના વર્ગમાંથી જે ૭૨૦ સેકેની નિમણૂક થવાની તેઓની નિમણૂક કરતાં પ્રત્યેક નાગરિકે–પછી તે કોઇપણ વર્ગને હેય-પિતાને મત આપવેજ જોઈએ. ત્રીજા વર્ગમાંથી એટલે જેની જંગમ મિલકત કનિક પ્રમાણુથી બે ગણી હોય તેઓના વર્ગમાંથી જે ૩૬૦ સભાસદોની નિમણૂક કરવાની તે કરતાં પહેલા ત્રણ વર્ગમાંથી નાગરિએ પિતાના મત આપવા જ જોઈએ; પરંતુ કોનિક વર્ગમાંના નાગરિ પિતાના મત પિતાને ફાવે હેને આપે. તેમજ ચેથા એટલે ૩૭૦ સભાસદોની નિમણુક કરતાં પહેલાં અને બીજા વર્ગમાંના નાગરિકોએ પોતાના મત આપવા જોઈએ, પરંતુ ત્રીજા અને ચોથા વર્ગમાંના નાગરિકો પોતાને કાવે હેને મત આપે. આ પ્રમાણે એક વમાંશી - ના
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy