SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. બાલમરણ વાતે એક શોધનશાળા કાઢી છે. તુવાનની તંદુરસ્તિની ઘણી સંભાળ લેવાય છે. નાનાં છોકરાંની શાળાઓ ઉઘાડી અવલોકનનું શિક્ષણ, વાર્તાકથા, પુનરાવર્તન, રમત, ગીત, ગાયન, સાદુ હાથકામ, વાડી ખેતી, જાનવરખાનું, શરીરકસરત ને મારી ખેલ કરાવે છે. વળી હવે પછી શહેર બંધાય તેમાં છોકરાંને રમવાની જ રાખવી જ જોઈએ એ હરાવ છે. (૫) વેપાર વધારવાની કળાઓ: કોઇપણ ધંધાની છેવટને માલ ઉત્પન્ન કરતાં લગીની બધી કલાઓ જર્મને એક જ કંકાણ કરે છે, ને તેથી ખરચ બહુ થોડું આવે છે. વિલાયતમાં કાંતવાનું, વણવાનું, દેવાનું, છાપવાનું વગેરે જુદે જુદે ઠેકાણે થાય છે તેથી પ દરેક કારખાનાનું વધે છે, પણ બધું એક ઠેકાણે થવાથી હનખર્ચ, તથા દેખરેખનું અને ભાડાનું ખરચ ઘણું ઘટે છે. પિતાને જોઇ ભાલ તેઓ પિતે જ પેદા કરે છે. આશરે ૩૦ વરસ ઉપર જર્મની એમ માનતું કે વિલાયતમાં જ સારા વહાણુ બને. પછી વિલાયતના કારીગર લાવી પિતાની ગાદીએમાં તે બનાવવા માંડ્યાં. હાલ તે પોતાનાં વહાણ બાંધે છે એટલું જ નહીં, પણ બીજા દેશનાં બાંધી આપે છે. દેશની બેન્ક ઉધોગને ઘણે આશ્રય આપે છે, તેથી કામ, વિજળીના દીવા, વિજલીની રેલવે કાઢવામાં ઘણું સુગમતા વધી છે. વળી બેન્કની મદદથી મેટાં કારખાનાં મઢવામાં ઘણું મદદ મળે છે. દહાડે દહાડે મોટાં કારખાનાં કાઢવાં ને ઉધમને એક કંપનીના હાથમાં લાવવો. કોડે કરી ન વહેચી લેનારી કંપનીએ કાઢવી, વગેરે રસ્તે વેપાર વધ્યું છે, તે હાલ એકહથ્થુ વેપારની નીતિ તરફ જર્મનને વેપાર વધે છે. તે પણ પાંચ લાખ માણસ ઘેર બેઠાં ઉધમ કરે છે. વળી વિધુત બળ ઘેર મળવાથી ઘણા મહાના નાના ઉદ્યોગ નીકળ્યા છે. નાનાં ધંધાવાળા સંપ કરી પોતાના ધંધાનું મહાજન ઉભું કરે છે, તેથી તેઓ ટકી શકે છે. જર્મનીમાં અનેક પેટારા છે. તે દરેક ગામના લેક ઘેર બેઠે કરી શકે એવા ઉઘને ઉત્તેજન આપે છે. તેથી ખેડુતની સ્થિતિ સારી છે. આ ઉત્તેજનના પ્રકારમાં દરેક બને ફાવે તેવી નરકેળવણી આપવા તેવી નિશાળે રાખે છે, અથવા ફરતા શિક્ષક રાખી તેવી કેળવણી આપે છે અને તેમને સરકાર આફતમાં મોટી મદદ આપે છે. બેરીઆના કરતા શિક્ષક હથના વણાટન. કામ ઉપર નજર રાખે છે, નવા બુ design ની સલાહ આપે છે, નવા નિશાળીઆને વણતાં શિખવે છે; ગામના વેપારીને ભાલ કાયદાસર વેચી આપે છે, વેચવાના સદા કરી આપે છે. ઘેર બેઠે રમકડાં બનાવવાને ઉધમ પણ થાય છે. વહાણુના મલેકને સરકાર તરફથી જોજન મળે છે. સરકારના કા અધિકારી વહાણની કંપનીના નિયમ ડીરેકટર થાય છે. વહાણને આવવા જવાનાં દુરસ્ત કરવાનાં, ને બનાવવાનાં બંદરો સરકાર કે મ્યુનિસિલીટી સુધારે છે.
SR No.522083
Book TitleBuddhiprabha 1916 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1022 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy