SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ માતા પિતાની ભક્તિ. ૨૪૦ માતા અને પિતાએ આપણા માટે અનેક પ્રકારનાં કષ્ટ સહન કર્યા છે તેથી તેમની ખસ છગરથી સેવા-ભક્તિ કર્યા સિવાય તે ઋણમાંથી આપણે કદાપિ કાળે મુક્ત થવાના નથી. તેઓને આપણા પર અપાર ઉપકાર ગર્ભમાં ઉત્પન્ન થવા સાથે શરૂ થાય છે, ગર્ભાવસ્થામાં પણ માતાઓને આપણું સંરક્ષણ માટે અનેક જાતનાં ૫ધ પાળવાં પડે છે, અનેક પ્રકારનાં સુખ તજી દેવાં પડે છે. સંતાન નિરોગી, નિર્મળ, નિષ્કલંક, સંપૂર્ણ બુદ્ધિશાળી અને ધર્મશાળી થાય, તે માટે તેને પિષણકારક અનેક જાતના ખોરાક દુઃખ વેઠીને પણ ખાય છે. શુદ્ધ બાબતોમાં ધ્યાન રખાય છે. સત્કર્મો કરાય છે, તથા બો વખત આનદમાં. ધર્મધ્યાનમાં, સદાચરણ અને શુભ સંકલ્પમાં ગળાય છે, એ દરેક કાર્યમાં માતાપિતા અનેક શ્રમ વેઠી પળે પળે તનથી, મનથી અને ધનથી મદદ કરવામાં જરા પણ તક જવા દેતાં નથી. એ પ્રમાણે સંતાનના સુખની ખાતર આધિ, વ્યાધિ અને ઉપાધિ સંતોષમાં રહી સહે છે. તેથી એ નિઃસ્વાર્થ પ્રેમની ખરેખરી બલિહારીજ છે. તે પ્રેમને બદલે આપ થી કોઈ ઉપાયે પણું વાળી શકાશે નહિ. વળી જન્મની પહેલી પળે અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિમાં અનંતગણે વધારો થાય છે. અને આપણું પરના અપાર ઉપકારોમાં મોટામાં મેટ જ ત્યાંથી ભળે છે. બાળકની ખટપટ, મૂત્ર, વિષ્ટા, ઓરી, અછબડા, ધવરાવવું, ખાવા પીવાની સપ્ત પથ્ય, સુવાડવાનાં દુખે, બાળકના વિચિત્ર રોગ અને સાચવવા સંભાળવાની પીડા વગેરે ઉપાધિને થોડા રાજમાં પાર રહેતો નથી. આ ઉપાધિ જેણે અનુભવી છે, તેજ બરાબર જાણી શકે છે. આ સમયે આ ઉપાધિથી કંટાળી માબાપ તેને જંગલમાં મૂકી આવે, અથવા અનેક નાનાં નીચે બાળકને મારી નાંખવાનું કરે તો ખુશીથી કરી શકે તેમ છે, એ સમયે બાળક જીવે યા ન છે તેને તમામ આધાર એ માબાપ ઉપરજ છે. આ પ્રમાણે સંતાન ઉત્પત્તિ પહેલાં પિ ઘણુંજ ફિકરાં, સ્વતંત્ર, નિરૂપાધિમય તથા આનંદમસ્ત હતાં, અને હવે પૂર્ણ વ્યવસ્થામાં વધી ગયાં છતાં પણ માબાપ કોઈ પિતાના બાળક પ્રત્યે નાની વયમાં અસંતોષ જાહેર કરી જરા પણ દુઃખી થવા દેતાં નથી. પરંતુ તેને ઉછેરવાને માટે અનેક દુખોને સહન કરીને પોતાના બહાળા સુખને ભેગ આપે છે. પોતે બંધનમાં રહ્યાં ને પાળી પિછી પિતાની જાત વેચીને મોટાં કરે છે તે કેટલે બધે નેહભાવ કહેવાય? એક કવિએ કહ્યું છે કે – જે આખા જગતમાં જગે જગ કરે, ન માબાપ સમ પ્યાર ક્યાં પણ જ; બહુ હેત આવે અને તે ટળે. પરન્તુ ન એ હેત ટા પડે; એ માતા ! એ માતા ! વહાલા ઓ તાત! ન તમ પ્યાર જે જગમાં જણાત ! ! ! માતાપિતાનું હેત તો અલૈકિક છે, પિતાના બાળક પર જે અનહદૃ પ્રેમ રાખે છે, તેના જેટલે બીજા કોઈ પર રાખતાં નથી. ઘરમાં ગમે તેટલી લક્ષ્મી અને રાજ્યસુખ ભોગવવાનું હોય તે પણ પુત્ર સિવાય તે સઘળાને તથા પિતાના જન્મને વૃથા ગણે છે, અને જ્યારે બાળક અવતરે છે ત્યારે જ પોતાના જન્મને સાર્થક થયેલ સમજી ઘગા પ્રારની
SR No.522068
Book TitleBuddhiprabha 1914 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size705 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy